SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ કશુ જીવન તા. ૧૬-૨-૧૭ અધિકારીઓને ઓર્ડર ઓફ ધી સ્ટાર ઈન ધી ઈસ્ટ વિશેની જાણકારી, થતાં, ભાવિ ઈશુના અવતારને ભણાવવાને જશ ખાટવાને અથવા તો જવાબદારી લેવાને તેમણે ઈનકાર કર્યો. એટલે કે બ્રીજને બદલે કૃણમૂતિને સેરબેન લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમણે ન્ય અને સંસ્કૃતને અભ્યાસ ક્મ. આ દિવસોમાં કૃણમૂતિને નાના ભાઈ નિત્યાનંદ ગંભીર માંદગીમાં પટકાઈ પડે, અને તેને કોઈ પણ રીતે બચાવવાના હેતુથી તેમને બન્નેને કેલીફેર્નીયા લઈ - જેવામાં આવ્યા. ૧૯૨૫માં ૨ા યુવાનને બંધું મુત્યુ પામ્ય, આ જીવનભરના સાથીના મૃત્યુને કૃષ્ણમૂર્તિને ઘણા સખત આઘાત લાગ્યા અને તે ઘણા સમય સુધી ચાલુ રહ્યો. દૂર દેશમાં આવી પડેલી આ આફતના કારણે તે દુ:ખાવહ વલ બની ગયા અને છૂટા છવાયાં કાવ્યો રચવામાં તેમણે પોતાના મનનું સમાધાન શોધ્યું. અને આપણે કાવ્ય નહિ પણ એક પ્રકારના જોડકણાં જ કહી શકીએ. જો કે પછીના વર્ષોમાં તેમની શૈલી પરિપકવ બની હતી અને તેણે એક પ્રકારનું આગવું રૂપ ધારણ કર્યું. હતું. તેની શરૂઆતની કૃતિરાના આ બે લાક્ષણિક નમૂનાઓ છે : Keep still dancing waters, And listen to the voice of my Beloved... As the flower contains the secret So I hold thee, o world, in my heart, For lain Liberation And Happiness... As the pracious stone " , Lies deep in the earth . So I am hidden , Deep in thy heart. : : ભાવાર્થ: “ખળખળ વહેતા પાણી શાન્ત થાઓ અને મારી પ્રેયસીના અવાજને સાંભળો. ', ' ' ' , ' , “જે હું આગળના વર્ષોમાં મારા વિશે, કહી શક્વાની પુરી સ્થિતિમાં નહોતે તે આજે હવે હું મારા વિશે કહેવાની સ્થિતિએ પહોંરયે છું અને તે એ છે કે હું the teacher – જેની રાહ જોવાઈ રહી છે. તે જગદગુરુ છું. એ વખતે મેં આ કહ્યું હોત તે તે સાચું ન હોત. પણ આજે હું એ મુજબ કરી શકું છું. હું મારા ઈષ્ટ દેવ-મારી પ્રેયસી–સાથે એકાકાર બન્યો છું.' આ સાંભળીને આનંદમાં આવી જઈને મીસીસ બીસેન્ટ - બેલી ઊઠયા કે “જે અવાજ બે હજાર વર્ષ સુધી સંભળાવે નહોતે તે અવાજ આજે ફરીવાર . સંભળાઈ રહ્યો છે.” પછી તે આખી દુનિયામાં કેલીફે નિયાની ઓજાઈ વેલીમાં, ઍ સ્ટ્રેલિયામાં, ભારત ખાતે પિવેલીમાં, અને હેલાન્ડમાં આવેલા એમેન નજીક કેસલ અડીંમાં સ્થળે સ્થળે શિબિર ગેઠવાવા લાગી. . ૨૫ વર્ષના conditioning વડે– માનસિક અધ્યાપની સતત પ્રક્રિયા વડે એવી પરિસ્થિતિ પેદા કરવામાં આવી હતી. યુવાન કૃણતિએ શરૂઆતમાં માની લીધું કે પે તે ભગવાન મૈત્રેય છે, પણ આ લાંબા સમય સુધી ચાલ્યું નહિં, ટકયું નહિ. , - ૧૯૨૭ની સાલ સુધી તેમને એવો દાવો કરતા આપણે જઈએ છીએ કે તેઓ હવે રૂપ અને આકારની સ્થિતિને તેમ જ દ્રોની દ્રિધાને વટાવીને અાગળ ચાલ્યા છે અને બધા ધર્મોને, માન્યતાને અને સાંપ્રદાયિક સિદ્ધાંતને તેઓ ઈનકાર કરી ચૂક્યા છે, કારણ કે તેમના અભિપ્રાય મુજબ વિચારો જ બંધન અને મુકિતનું – મોક્ષનું – કારણ છે. થોડા સમયના મનોમંથન અને સંઘર્ષ બાદ, પોતે પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂકેલ હોવાથી, તેમને દાવો. એ કરતાં જરા પણ ઉતરતો નહોતો. તેમણે ઉચા :-“...તત્ત્વપ્રાપ્તિ અને પૂર્ણતા પાછળની લાંબી મુસાફરી બાદ મેં તે પૂર્ણતા પ્રાપ્ત કરી છે અને તેને મારા અંતસ્તત્વમાં સ્થિર – પ્રતિષ્ઠિતકરી છે અને મેં ચિત્તશાન્તિ પ્રાપ્ત કરી છે અને તેણે મુકત અને અનન્ત એવી દિવ્ય જ્યોતિનું રૂપ ધારણ કર્યું છે. આ કારણે, મને જે હવે પ્રાપ્ત થયું છે તેનું હવે હું સર્વત્ર વિતરણ કરવા અનુવાદક : પરમાનંદ. [ અપૂર્ણ:]. મૂળ અંગ્રેજી : શ્રીમતી એની માર્શલ. . જેવી રીતે પુષ્પમાં પેતાનું રહસ્ય છુપાયેલું છે . - તેવી રીતે, એ ‘વિશ્વ, તને મારા હૃદયમાં હું ધારણ કરું છું, કારણ કે હું મુકિત છું, અને હું જ સુખ છું.' ' ' : ' . ક્વી' રીતે રા : , , ' , પૃથ્વીના પેટાળમાં રહે છે. * તેવી રીતે હું તારા હૃદયમાં છુપાયલે છે.” આમાંના બીજ કાવ્યમાં કોઈ પ્રકારની ગૂઢ રહસ્યાત્મક અનુભૂતિના બીજ દેખાય છે.. ' ડૅ. એની બીસાન્ટને હવે લાગ્યું કે પિતાને આ પાલિત પુત્ર દુનિયા સમક્ષ એક જગદ્ ગુરુ તરીકે રજુ કરવા માટે બધી રીતે તૈયાર થયો છે. બાદિયાર ખાતે, થીઆસેડફિકલ સેસાયટીના ૩૦૦૦ પ્રતિનિધિઓ સમક્ષ કૃષ્ણમૂર્તિને ઊભા કરવામાં આવ્યા ત્યારે એમણે કહ્યું :- “તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે હું તમારા વચ્ચે જરૂરી ઉપસ્થિત થાઉં છું.. જેમને સહાનુભૂતિની પેઢતા છે, જેમને સુખ જોઈ એ છીએ તેવાડની વચ્ચે હું આવી રહ્યો છું. હું કશી ભાંગફેડ કરવા નહિ પણ નવી રચના કરવા આવી રહ્યો છું.” . . . એ જ વર્ષમાં–૧૯૨૭માં આપણને તેમના નીચેના શબ્દો વાંચવા મળે છે. : - ઘરમાં એકઠાં થયેલાં ઔષધ સંધના કાર્યાલયમાં મોકલી આપો! શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તેમજ મુંબઈમાં વસતા પ્રબુદ્ધ જીવનના વાચકોને નમ્ર નિવેદન કે આજે કુટુંબમાં માંદગી. આવતાં ડાક્ટરે અનેક પ્રકારની પેટન્ટ દવારો, મલમ તથા ઈકશને લખી આપે છે અને ધાર્યા મુજબને આરામ ન થતાં આગળનાં ઔષધે પૂરા ઉપયોગમાં આવ્યા ને આવ્યા અને નવાં - આષ લાવવાની ડોક્ટરો સૂચના આપે છે. આ રીતે આછાં વપરા- ચલાં તેમ જ નહિ વ૫રાયેલાં ઔષધો અનેકને ત્યાં ઠીક પ્રમાણમાં એકઠાં થાય છે. આ રીતે નંહિ વપરાયેલાં, તથા થોડા પ્રમાણમાં વપરાયલાં છતાં ઉપયોગમાં લઈ શકાય તેવાં ઔષધને અન્યત્ર ઉપયોગ થઈ શકે તે માટે મુંબઈ લાયન્સ કલબ તરફથી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં એક પેટી રાખવામાં આવી છે, જેમાં સંધના સ તેમજ પ્રબુદ્ધ જીવનના વાચકો તરફથી મળેલાં ઉપર જણાવ્યા મુજબનાં ઔષધ ચોકઠા કરવામાં આવશે અને લાયન્સ કલબ દ્વારા તેની પૂરી જાચતપાસ કરીને તે ઔષધ તેની જરૂરિયાતવાળા કોને વહેચી આપવામાં આવશે. તો પિતાને ત્યાં નકામાં પડી રહેલા છતાં ઉપગમાં ચાવે તેવાં ઔષધ સંઘના કાર્યાલયમાં પહોંચાડતા રહેવા સંઘના સદ્દસ્ય તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રાર્થના છે. ' ' ' મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy