SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૯-૫૮ એકઠા થઇને તેમનુ જે ભવ્ય સન્માન કર્યું છે. અને એક લેખિત ટેસ્ટીમેનિયલ દ્વારા તેમને જે પ્રમાણપત્ર આપ્યું છે. તે ઉપરથી આવી શકે તેમ છે. આવું સન્માન અને આવુ પ્રમાણપત્ર હજુ સુધી. ખીજા કાઈ એમ્બેસેડરને મળ્યાનું અમેરિકાના ઇતિહાસમાં નોંધાયું નથી.. પરે ૧૯૪૬ માં એ વખતના વાઈસરોય લોર્ડ વેવલ નીચે આપણું પહેલું પ્રધાનમંડળ રચાયું. તેની નામાવલિ વિચારાઈ રહી હતી ત્યારે તેમાં સમાવેશ કરવા અંગે ગગનભાઈનું નામ પણ વિચારવામાં આવેલું. આટલી ખ્યાતિ અને પ્રતિષ્ટા તેમણે તે સમયે પ્રાપ્ત કરી હતી. આઝાદી મળ્યા બાદ ૧૯૪૭ માં આપણી કન્સ્ટીટયુઅન્ટ એસેબી દેશનું બંધારણ નક્કી કરવા માટે ઉભી કરવામાં આવી, તેમાં તેમની સભ્ય તરીકે નિમણૂર્ણાંક કરવામાં આવી. અને છ મહીના થયા એટલામાં તેમની રીક્ડના ચેરમેન તરીકે નિમણૂક થઈ અને તેથી ક્રાસ્ટીટયુઅન્ટ એસે બલીમાંથી તેમને રાજીનામુ આપવુ પડ્યું. એ ટેરીફ ખેડતુ એ વર્ષના ગાળે ટેરીફ કમીશનમાં રૂપાન્તર થયું તેના ચેરમેન તરીકે તેઓ ચાલુ રહ્યા અને સાથે સાથે એ અરસામાં ઉભું કરવામાં આવેલ પ્લાનીંગ કમીશનમાં પણ એક સભ્ય તરીકે તેમની નિમણૂક થઈ. આ બન્ને અધિકાર ઉપર તેમણે છથી આઠ મહીના કામ કર્યું. એટલામાં તેમની યુનાઇટેડ સ્ટેટ્સના ભારતીય એલચી તરીકે નિમણુક થઈ અને ૧૯૫ર ના સપ્ટેમ્બર માસમાં તે એ અત્યન્ત મહત્વની જવાબદારી સંભાળવા અમેરિકા ગયા, યુનાઇટેડ સ્ટેઈટ્સ સાથે મેકસીકેાના પણ તેએ એલચી બનેલા અને પાછળથી ક્યુબાને પણ સંભાળવાનુ તેમના માથે આવ્યું હતું. યુનાઈટેડ સ્ટેઇટ્સમાં તે ભારતના એમ્બેસેડરના માનવન્તા સ્થાન ઉપર કુલ ૫ વર્ષ અને છા મહીના રહ્યા અને ગત મે માસની પાંચમી તારીખે તે પદથી તેઓ નિવૃત્ત થયા. અમેરિકામાં રહીને તેમણે જે કામ કર્યું છે તેની આજે ચેતરફ મુક્ત કંઠે પ્રશ'સા થઇ રહી છે. તેમની કામગીરીની વિવિધ બાજુએ તપાસતાં માલુમ પડે છે કે તેઓ માત્ર રાજદારી એલચી નહાતા પશુ આપણી ભારતીય સંસ્કૃતિના પણ એક પ્રતિનિધિ હતા. પાંચ વર્ષના ગાળા દરમિયાન માત્ર રાજકારણી વિષયો ઉપર જ નહિ પણ માનવીની સભ્યતા અને સંસ્કૃતિને સ્પતા અનેક વિષયો ઉપર ભારતને કેન્દ્રમાં રાખીને તેમણે ૪૦૦ થી વધારે ભાષા કર્યા છે. આ તેમની વિવિધલક્ષી પ્રજ્ઞાનો અચુક પુરાવા છે. થોડા સમય ઉપર તેએ અહિં આવ્યા હતા ત્યારે મેં તેમનાં ખે જાહેર વ્યાખ્યાને સાંભળ્યા હતા. આન્તરરાષ્ટ્રીય પરિષદોમાં અને સ ંમેલનામાં ભિન્ન ભિન્ન રાષ્ટ્રના અગ્રતમ રાજપુરૂષો પ્રેમ ખેલતા હશે, વાણી ઉપર તેમના કૅવા ભારે સંયમ હશે તેનું આપણા દિલમાં ભારે કૌતુક હાય છે, આ કૌતુક તેમને સાંભળીને તૃપ્ત થયું. તેમનામાં એ અન્તરરાષ્ટ્રીય પ્રતિભાનાં મેદન કર્યાં. એક શબ્દ કે વાકય આમ તેમ ખેલાતાં અર્થના અનર્થ થવાનુ મેટુ જોખમ રહેલુ હાય છે ત્યાં એક પણ શબ્દ આડા અવળે ખેલાઇ ન જાય અને એમ છતાં પેાતાને કહેવાનુ હાય તે સચોટપણે કહેવાય – આવી વાણીકુશળતાના મને તેમનાં ભાષણામાં પરિચય થયે અને આ વ્યકિત તે આપણામાંની જ એક છે-આપણી જોડે પ્રેસનારી છે-એ જાણીને માર્ક” શ્યાનંદ અને ગોરવ વડે પુલકિત બન્યું. - તેમણે એવા સમય દરમિયાન કામ કર્યું છે કે જ્યારે ભારતની તટસ્થ રાજનીતિ સંબંધે અમેરિકામાં અવારનવાર ગેરસમજુતી ઉભી થયા કરતી હતી અને આપણે આજના બે મોટા રાજારી બ્લેકસમાંથી એકમાં પણ નહિ જોડાતાં તટસ્થતાની નીતિને ચુસ્તપણે વળગી રહ્યાં હતા અને એમ છતાં ભારત રશી તરફ રખેને ઢળી રહ્યું તે નથીને—એવી આશકા અવારનવાર જ્યાં પેદા થતી હતી એવા દેશમાં આપણા દૂત તરીકે તેમણે આટલી સફળતાપૂર્વક કામ કર્યું, અને એટલુ જ નહિ આપણા વિષેની ગેરસમજુતીઓને દૂર કરતે કરતે આપણી બીજી પંચવર્ષીય યોજના અંગે અમેરિકા તરફથી ધણી મેટી રકમ તેઓ ભારે કુનેહપૂર્વક મેળવી. શકયા—તેમની અસાધારણ કાર્ય કુશળતાથી આથી વધારે બીજો કા પુરાવા હોઇ શકે ? અમેરિકાના રાજકારણી તેમજ અન્ય આગેવાનાના દિલમાં તેમણે કેટલું માટું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનેા ખ્યાલ તે તે વિદાય થઈ રહ્યા હતા તે દરમિયાન અમેરિકાના પાંચસેાથી વધારે રાજપુરૂષોએ આવી વિશિષ્ટ વ્યકિત જ્યારે આજના કટોકટીના સમયમાં સમૃદ્ધિ અને શસ્ત્રસામગ્રીના શિખરે બેઠેલા દેશમાં લગાતાર પાંચ વર્ષ સુધી ઊંડી નિષ્ઠાપૂર્વક ભારતની અનેકવિધ સેવા ખૂજાવીને અને ભારત વિષે ત્યાંની પ્રજામાં સહાનુભૂતિ અને સહકારની, આદર અને પ્રેમની લાગણી પ્રગટાવીને પાછી કરે ત્યારે આપણે તેમને આદર કરીએ, તેમનું સન્માન કરીએ—તેમાં આપણી ફરજથી આપણે કશુ વિશેષ કરતા નથી. આપણા સધ જેવી એક નાની સરખી સંસ્થાનુ નિમંત્રણ સ્વીકારીને તે અહિં આવ્યા તે રીતે તેમણે આપણા સધના ગૌરવમાં વધારો કર્યો છે. આપણા તેમને અન્તરના આવકાર છે. હજુ પણ તે આપણા દેશની ખૂબ સેવા કરતા રહે અને તે માટે તેમને ચિરાયુષ્ય પ્રાપ્ત થાય અને તેમનુ આરોગ્ય અખંડિત જળવાઈ રહે એવી આપણી પરમેશ્વરને પ્રાર્થના છે.” ત્યાર બાદ શ્રી ગગનવિહારી મહેતાએ આ પ્રમાણે તેમના ભાવભર્યા સત્કારતું આયે!જન કરવા બદલ સંધના આભાર માન્યો, શ્રી પરમાનદભાઈ સાથેના લાંખાકાળના તેમના સંબંધના ઉલ્લેખ કર્યાં અને પછી અમેરિકા અને હિંદના કાલ’ખસથી માંડીને આજ સુધીના ઉત્તરોત્તર વધતા જતા—માત્ર રાજકારણી કે આર્થિક નહિ પણ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબધાની અનેક વિગતો અને ટનાએ રજુ કરવા શાથે લગભગ એક કલાક સુધી આલેચના કરી અને ઉપસ્થિત ભાઈ બહેનએ તેમને આમ વિસ્તારથી સાંભળીને કૃતાર્યતા અનુભવી. સંધની મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે એ જ દિવસે “ચિત્રલેખા” માં પ્રગટ થયેલ ‘સુવાસના સેતુ' એ મથાળા નીચેના લેખનેા ઉલ્લેખ કરીને ગગનવિહારીએ સુવાસના સેતુ તરીકે અમેરિકામાં કેવુ કાર્ય કર્યું છે તેને ખ્યાલ આપ્યો અને સધ તરફથી શ્રી ગગનવિહારી મહેતાના આભાર માન્યો. સંધના પ્રમુખે શ્રી ગગનવિહરીનુ પુષ્પહારથી સન્માન કર્યું અને સભા આનંદભર્યા વાતાવરણમાં વિસર્જિત થઇ. 5 શ્રી ગગનવિહારી મહેતા,
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy