________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
फरवरी २०१३
૧૮
તેમજ પુષ્પિકાના અંતે ગુરુ હીરહર્ષાદિ ગણિને પણ વંદના જણાવે છે. સંભાવના છે કે હીરહર્ષના શિષ્ય આ પ્રતના પ્રતિલેખક હોવા જોઈએ, પ્રતિલેખક મુનિએ માંડવગઢમાં આ પ્રત લખી છે. પ્રતિલેખકના વિદ્યાગુરુ શ્રીહર્ષકુલગણિ આચાર્યશ્રીહેમવિમલસૂરિના શિષ્ય હતા, વિ. સં. ૧૫૫૭ માં હર્ષકુલ ગણિએ લાસ નગરમાં વસુદેવ ચોપાઈની રચના કરી તેમજ તેઓએ સં. ૧૫૮૩માં સૂત્રકૃતાંગ પર દીપિકા નામની ટીકા, બંધહેતૂદય ત્રિભંગી, અને વાક્યપ્રકાશની રચના કરી. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૨૮૩૪૦ નંબર પર નોંધાયેલ છે. पुष्पिका श्रीमंडपमहादुर्गे पूज्याराध्यध्येय पं. धर्महर्षगणि शिष्य उदयधर्मगणि पं. हर्षकुलगणि शिष्येण लिखितं ।। संवत १५५० वर्षे कार्तिक वृदि ८ दिने गुरौ लेखकपाठकयो कल्याणमस्तु चिरं नंदतु ।। पं. ज्ञानहर्ष गणि शिष्य पं. धर्म्महर्ष गणि पं. हीरहर्ष गणि गुरुभ्यो नमः || विद्यागुरु पं. हर्षकुलगणि गुरुभ्यो नमः ||
* વીતરાગ સ્તોત્ર, પ્રત-પત્ર સંખ્યા - ૧૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક્ષરો સામાન્ય છે, પ્રતના વિશેષ સ્થાનો માટે લાલ રંગ વપરાયો છે. ઉપરોક્ત પ્રતની જેમ અહીં પણ પ્રતિલેખકનું નામ અજ્ઞાત છે. તપાગચ્છમાં હેમવિમલસૂરિની પાટે આચાર્ય સૌભાગ્યહર્ષસૂરિ આવ્યા. આચાર્ય સૌભાગ્યહર્ષસૂરિના રાજ્યકાળ (સં. ૧૫૮૩થી૧૫૯૭)માં જયકલ્યાણના શિષ્ય કૃતકર્મરાજાધિકાર રાસની રચના કરી, તેમજ સૌભાગ્યહર્ષસૂરિના શિષ્ય સોવિમલસૂરિએ ધમ્મિલરાસની રચના કરી. સૌભાગ્યહર્ષસૂરિના આજ્ઞાનુવર્તી વિનયપ્રમોદ ગણિના શિષ્યએ સૂર્ય(સૂરત)નિવાસી શાહ આસા નામના શ્રાવક માટે આ પ્રત વિ. સં. ૧૫૮૪માં લખી છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૨૧૯૬૪ નંબર પર નોંધાયેલ છે.
-
पुष्पिका श्रीतपागच्छाधिराज परमगुरु श्रीश्रीश्रीश्रीश्रीश्री श्री हेमविमलसूरि तत्शिष्य तत्पट्टे गच्छाधिराज श्री श्री श्री श्री श्री श्री श्री सौभाग्यहर्षसूरि राज्ये पूज्याराध्य पं. विनयप्रमोदगणि शिष्येण लखितं । । संवत १५८४ वर्षे वैशाख मासे शुक्ल-पक्षे गुरुवासरे आश्विन - नक्षत्रे पंचमी - तिथौ ભવિત !!શુમ ભવતુ 1 સૂર્ય વાસ્તવ્ય!! સા ાતા પતનાર્થે || शुभं भवतु ।।
For Private and Personal Use Only