SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સંશોધન-સંપાદનમાં નિરત વિદ્વાનોને નિવેદના આપશ્રી અતિ પરિશ્રમ લઈને જે કાર્ય કરી રહ્યાં છો, તે કાર્ય પૂર્ણ થતાં મહિનાઓ કે વર્ષો નીકળી જતાં હોય છે. શક્ય છે કે દરમિયાનમાં એ જ ગ્રંથનું નૂતન પ્રકાશન અન્ય કોઈ વિદ્વાન બહાર પાડે, અને ત્યારે સહજ રીતે (૧) આપના પ્રકાશનનું એટલું મૂલ્ય ન રહે. (૨) આપને પ્રકાશન કરવાનો પૂર્વ જેવો ઉત્સાહ ન રહે. (૩) આપ પ્રકાશન કરો, તો ય વાચક વર્ગ એવી પણ આશંકા વ્યક્ત કરી શકે કે આપે મધ્યકાળમાં પ્રકાશિત ગ્રંથનો ઉપયોગ કરીને જ આ પ્રકાશન કર્યું છે. (૪) આવી આશંકાના નિવારણ માટે પ્રબળ ખુલાસો કરી શકાય એવી સ્થિતિ હોતી નથી. આ સંયોગોમાં એક જ માર્ગ અપનાવવા યોગ્ય છે, કે આપશ્રી પૂર્વેથી સંશોધનાદિ કાર્ય ચાલુ હોય, ત્યારથી એ કાર્યની જાણકારી ઉચિત માધ્યમ દ્વારા આપી દો. તેના અન્ય પણ લાભ થશે જેમ કે, (૧) જે વિદ્વાનો નવા કાર્યો હાથમાં લેતાં હશે, તેઓ પિષ્ટપેષણ ન થાય, તે માટે આપે જાણકારી આપેલા ગ્રંથોને છોડી દેશે. (૨) તેનાથી આપશ્રીનું પ્રકાશન “મોનોપોલી” ધરાવશે. (૩) તે વિદ્વાનો વણખેડ્યા/દુર્લભ ગ્રંથોના કાર્ય કરશે, તેનાથી શાસનને વધુ લાભ થશે. (૪) આપના કાર્યની જાણકારી મળતાં પરાર્થરસિક વિદ્વાનો પોતાની પાસે રહેલી તે વિષયની સામગ્રી/માહિતી આપને પાઠવશે. (૫) એક જ વિષયમાં થતાં બિનજરૂરી અનેક પ્રકાશનોથી જિનશાસનની સંપત્તિ/શક્તિ | આદિનો જે દુર્વ્યય થાય છે, તે અટકશે. (૬) આપને ગ્રંથ પ્રકાશિત કરવામાં ગમે તેટલો વિલંબ થાય, આટલા સમયથી આપનો એ 1 કાર્યમાં પરિશ્રમ ચાલુ હતો, તેનું પ્રમાણ પૂર્વથી જ પ્રસિદ્ધ હશે. (6) આપના કાર્યની જાણકારી મળતા એ વિષયના અધ્યેતાઓ આપના પ્રકાશનની પ્રતીક્ષા કરશે, પ્રકાશિત થતાં ગ્રંથની માંગણી કરશે. આપના પ્રકાશનની ઉપાદેયતા અનેકગણી વધી જશે. | આવા અનેક લાભો હોવાથી પોતાના કાર્યની જાણકારી આપવી, એ વિદ્વાનોના પોતાના હિતની વાત છે. આપને જે ઉચિત લાગે એ માધ્યમનો આપ ઉપયોગ કરી શકો છો. પણ જો. બધાં વિદ્વાનો એક માધ્યમ અપનાવે, તો ઉક્ત લાભો બહોળા પ્રમાણમાં મળી શકે. સરસ્વતી પુત્રોને વંદના” આ માધ્યમથી “અહો શ્રુતજ્ઞાનમ” આપના કાર્યોની અનુમોદના. કરવા સદા સજ્જ છે. “વિકાનેવ વિનાનાતિ વિકMનપરિશ્રમ" આપનો અથાગ પરિશ્રમ શતમુખપણે ફળીભૂત થાય, એ જ અમારી શુભાભિલાષા. (આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિજી, અઠવાલાઈન્સ, સુરત) તો, ઉપરોક્ત વાતને ધ્યાનમાં લઈ સમય-શક્તિ અને દ્રવ્યના વ્યયને અટકાવવા આપ જે પણ ગ્રંથ ઉપર કાર્ય કરતા હો તેની વિગત તુર્ત મોકલશો, જેથી આગામી અંકમાં અમે તે પ્રકાશિત કરી શકીએ.
SR No.523306
Book TitleAho Shruta gyanam Paripatra 06
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy