SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ મધુસૂદન ઢાંકી Nirgrantha કારકિર્દીના અરસામાં રચાયેલા વાસ્તુદ્રગ્ન્ય અપરાજિતપૃચ્છામાં મળે છે. ત્યાં વૈશ્ય, ક્ષત્રિય, અને બ્રાહ્મણ જો રાજા ન હોય તો તેને મેરુ જાતિનો પ્રાસાદ બાંધવાનો નિષેધ કરેલો છે. યથા : Jain Education International वैश्येनापि यदा मेरुविना राज्ञ प्रकार्यते । विभ्रमस्तत्र राष्ट्रेषु दुःस्थिता भ्रमति प्रजा ||६|| क्षत्रियोऽपि विना राज्ञो यदि मेरुं च कारयेत् । तस्करोपटुता लोकास्तत्र राष्ट्रेषु नित्यशः ॥७॥ विप्रोषि कारवेमेरुं विना राहो धनेश्वरः । परस्परं प्रजाकोपो भवति ग्रामदुःस्थितिः ॥८॥ -અપરાનિતપૃચ્છા ૨૮૩.૬-૮ (પૃ૰ ૪૭૩) આ સૂત્રો લક્ષમાં લેતા વૈશ્ય દણ્ડનાયક અભયદ કેવી રીતે મેરુપ્રસાદ બંધાવી શકે ? વાત એટલેથી પતતી નથી. અ પૂ.માં વિશેષમાં એમ પણ કહેલું છે કે રાજેન્દ્રો (એટલે કે મોટા મહારાજાધિરાજો, સખાટો આદિ) જ મૈરુ પ્રાસાદ કરાવી શકે. અન્ય રાજીઓ મેરુમાનથી અર્પા માનનો કરાવે; અને તેના અમાને અને અર્ધું અંડકવાળા (રાજપદથી વિભૂષિત ન હોય તેવા) અન્ય વર્ણના લોકો કરાવે તેવી આશા કરેલી છે. પથા ઃ राजेन्द्रैर्यः कृतः पूर्व महामेरुर्महोदयः । ततो हीन कर्तव्यः शेषवर्णैस्तथैव च ॥ अथस्तान्मरुतः कार्यः प्रासादोऽन्यक्ष राजभिः । ततो होनोऽन्यव गण्डकैहंस्त कैस्तथा ॥१८॥ -પબિનપુત્રા ૮૩ ૬-૧૮ (પૂર્વ ૪૭૩) આ સૂત્રોના પ્રકાશમાં તો સ્પષ્ટ જ છે કે તારંગાનો પ્રાયઃ ૪૦૩ અંડકનો અને ૮૦ જેટલાં તિલકો ધરાવતો મોટા માનનો મેરુ પ્રાસાદ સમ્રાટ કુમારપાળનો જ કરાવેલો હોય, દંડનાયક અમારે નહીં. ૨૭. મહેતા / શેઠ પૃ ૧૩૮-૧૩૯ : જુઓ ત્યાં ‘અભયદેવ’ વાળી કંડિકા નીચે. ૨૮. પુરાતન પ્રવન્ય સંગ્રહ, સિંધી જૈન ગ્રન્થમાળા ગ્રન્થાંક ૨, સં૰ જિનવિજય મુનિ, કલકત્તા ૧૯૩૬, પૃ. ૩૩. ૨૯. વોશ, સિંધી જૈન મન્થમાળા, સન્માંક ૬, સં૰ જિનવિજય, શાન્તિનિકેતન ૧૯૩૫, પૃ. ૯૭, ૩૦. જુઓ કુ॰ પ્ર પૃ ૨૧૯, ૨૨૦. ૩૧. મહેતા / શેઠ સામે આ વિષયમાં આમ કથન કરવા માટે કોઈ અન્ય ગ્રન્થ આધારરૂપે રહ્યો હશે ? ૩૨. સંપાદક ઠાકર દ્વારા જે વિધાનો થયેલાં છે તે આ પ્રમાણે છે : એમના લઘુપ્રબંધસંગ્રહમાં ‘‘સહસ્રલિંગતટાક પ્રબન્ધ''માં પહેલી વાત તો એ છે કે રાજા જયસિંહદેવ સિદ્ધરાજની પરામર્શમંડલીમાં (કે સભામાં ઉપસ્થિત) બેઠેલ આઠ વ્યક્તિઓમાં શાન્તુ મન્ત્રી પછી ક્રમમાં બીજે ‘આભડવસાહ' હતો, દંડનાયક અભયદ નહીં. અને ઠાકરે અન્યત્રે "વસાય એટલે વ્યાપારી' એવો અર્થ કરેલો છે. (જુઓ એમનું મંજુલ વિમર્ષ, સયાજી સાહિત્યમાળા, વડોદરા ૧૯૯૧, પૃ ૩૬૯ : અને મહેતા / શેઠે જેનો એમની પાદટીપમાં હવાલો આપ્યો તે પૃ ૭૧૮ કે ૭૨૩ પર તો આ વિષયમાં ખાસ કોઈ સૂચન જ નથી; અને લઘુપ્રબંધસંગ્રહમાં પણ આવું કંઈ જ કહ્યું નથી. સંપાદકનું તો ત્યાં આ પ્રકારે વિધાન મળે છે : “ABHADA VASAHA was a generous merchant to whom are devoted separate prabandhas in such prominent works as PC, PK, and PPS. he seems, however, to have come into prominence during Kumārapāla's reign.” (LPS, Baroda 1970, p.101.) અને ત્યાં સંપાદકે હવાલો આપેલા ત્રણે પ્રબન્ધગ્રન્થો પાટણના આભડ વસાહ સંબંધમાં છે, દંડનાયક અભયદના વિષયમાં નહીં. કુમારપાળના સમયમાં, અને તેના અનુગામી અજયપાળના સમયમાં પણ, આભડ પાટણના અગ્રગણ્ય શ્રેષ્ઠી રૂપે જ પ્રબન્ધોમાં દેખા દે છે. કુમારપાળ પછી ગાદી કોને આપવી તેની મંત્રણામાં તેણે અજયપાળનો પક્ષ લીધેલો, જે કારણે તેના અયપાળ સાથેના સંબંધો સારા રહ્યા હોવાનું જણાય છે. કુમારપાળ (અને તેના માનીતા મંત્રીઓ, જેઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy