________________
બુદ્ધિપ્રભા
૨૬ ]
તેના પગ દાઝે અને તેજ વખતે ઢેલ પર દાંડી પડે. દાઝી જવાથી રીંછ એ પગે ઊભું થઈ જાય. આમ વારં વાર કરવામાં આવે. દરેક વખતે રીંછ જેવા દાઝ કે તેજ ક્ષણે દાલ પર દાંડી પડે અને રીંછ દાઝેલા આગલા પગ થાળી પરથી ઊઁચી લેવા બે પગે ઊભા થઈ જાય. આમ વારંવાર કરવાથી તેના મનમાં એવું ઠસી જાય છે કે પેલા ઢોલના અવાજ તેને દઝાડે છે માટે જેવા એ અવાજ થાય એટલે તેણે એ પગે ઊભા થઈ જવું!
રીંછને આમ ઊભા થઇ જતાં તે શીખવ્યું. હવે તેને નાચતાં શીખવવું નેઇએ. આથી રીંછની અંતે બાજુ અકેક માણસ લાંખી લાકડી વડે તેની ડાકમાં ધાંચપરાણા કરીને તેને ધુણાવે છે, કાવે છે. રીંછ આ યાતનામ સહન કરીને એવા રાંક થઇ ગયે! હાય છે કે મદારીએ તેને જેમ નચાવે તેમ તે નાચે છે.
આશિક્ષણ દિવસે સુધી ચાલે છે.
પછી ઝાઝા માણુસેની જરૂર નથી પડતી. એક જ મદારી એકલે હાથે અધી ઈશારત કરે છે અને રીંછ તે
| તા. ૧૦-૮-૧૯૬૫
આ બધા સાંસ્કારની
પ્રમાણે વતે છે. અસર રીંછના મનમાં એવી ઘર કરી જાય છે કે પછી ગરમ થાળીની લાકડાના ઘાંચપરાણાની જરૂર નથી રહેતી. પછી ઢેલ પર જેવી દાંડી પડે કે રીંછ તરત ઊભા થઈ જાય છે અને તાલના તાલ પ્રમાણે તે કેટગુ અને હાસ્યાસ્પદ નૃત્ય કરવા માંડે છે.
આ તે યુરાપના બાલ્કન રાજ્યાના મદારી અને રીંછની વાત થઈ. આપણા મદારીએ! કેવી રીતે તાલીમ આપે છે તે જાણવામાં નથી. પરંતુ એટલી ખાતરી રાખી શકાય કે એ તાલીમ
પ્રેમ અને સમજણથી નહિં અપાતી હોય. આપણા મદારી પાસે આપણા રીંછને નાચતાં અને જાતજાતના ડૅાલન વધુ મદારીના રમુજી સવાલાના જવાબ આપતાં મેં ોયા છે. એ દૃશ્ય ખરેખર રમુજી હેાય છે. પરંતુ એની પાછળ કેટલી કરૂણતા હરો !
માણસ પેાતાનું પેટ ભરવા માટે પ્રાણીઓ પર કેટલું ધાતકીપણું ગુજારે છે ! મે' રિંગમાસ્તરને નર્યાં ઘાતકીપણા વધુ સિંહવાધ પર ત્રાસ ગુજારી વાક બેસાડી દઈ તાલીમ આપતાં જોયેલ,