SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ તારી જગ્યાએ પાછો જા. ધર્મને નીચું જોવું પડ્યું કારણ કે પિતાને ખાતર તે લક્ષ્મી, દયા, સત્ય સર્વ જવા દીધાં માટે ધર્મ પાછા પોતાની જગ્યાએ જઈ બેઠે. આખરે લક્ષ્મી આખા ગામમાં ફરી પણ તેણે કઈ પણ ઠેકાણે ધર્મને જોયો નહીં તેથી તે પાછી રાજ પાસે આવી અને વિનવવા લાગી હે રાજ ધર્મ, ગામમાં કોઇ પણ કાણે નથી ફકત તારી પાસે છે માટે તું મને રાખ. રાજાએ કહ્યું કે તું ચંચળ છે માટે જે તારે આવવું હોય તો આ ઘર ખુલ્લું છે અને તારે જવું હોય તો આ રસ્તે ખુલ્લો છે એ પ્રમાણે કહ્યું ત્યારે લમી રામના ઘરમાં રહી તેની પછવાડે સત્ય, અને દયા ગામમાં ફરીને પછી રાનની પાસે આવ્યાં માટે હે પ્રીય બંધુઓ ! ધર્મ શું નથી કરી શકતો. તેનાથી તૃણને મરૂ, એક પલકમાં માણસે બનાવી દે છે, માટે ધર્મ રાખશે અને ગરીબ સ્થિતિ ગમે તેવી હશે તે પણ આખરે ધર્મરૂપી દોલતથી આ દુનિઓમાં તેમજ પરદુનિઆમાં અક્ષય સુખ પામશે અને પામશેજ. માસિક સમાચના. ગુંદી મુકામે મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરના વિહાર વખતે તેઓ શ્રીએ ત્યાંના કાકોર સાહેબને આત્મજ્ઞાનનો સદબાધ આયે હતા. મહારાજ શ્રીના સદુપદેશથી તે ઠાર સાહેબે એક લાયબ્રેરી ખાલી છે. તા. ર૬-૧ર-૦૯ના રોજ કે મુકામે મુનિ મહારાજ શ્રી બુદ્ધિ સાગરજના વિહાર વખતે અત્રેથી વકીલ વેલચંદ ભાઈ ઉમેદચંદ મહેતા તથા શેઠ, લલ્લુભાઈ રાયચંદ જૈન બોર્ડીગના સુપ્રીન્ટેન્ડન્ટ શંકરલાલ ડાહ્યાભાઈ ત્યાં ગયા હતા ત્યાં વકીલ વેલચંદભાઈએ મહારાજશ્રીના પ્રમુખપણ નીચે સં. ઘની સભા મેળવી હતી, શરૂઆતમાં વકીલ વેલચંદ ભાઈએ જણાવ્યું આપણે જેનો જમાનાની હરીફાઈમાં કેટલા પછાત છીએ તથા આધુનિક સમયે આપણે કેવી સ્થિતિ ભોગવીએ છીએ તથા આપણે હવે ઉન્નતિ કેમમાં કેવી રીતે આગળ વધવું જોઈએ વગેરે બાબતો ઘણી અસરકારક રીતે લગભગ અડધો કલાક સુધી વર્ણવી હતી, ત્યારબાદ તેમણે જણાવ્યું જે સાત ક્ષેત્રમાં આપણે સખાવતનાં નાણાંને ઉપયોગ કરવાનું છે, એ શા
SR No.522010
Book TitleBuddhiprabha 1910 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size919 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy