SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ 50 તેપથી પણ તે દુઃખનો નાશ કરી શક્તા નથી. અજ્ઞાની, આત્માને સ્ત્રી, પુરૂષ, નપુંસક વેદવાલે જાણે છે, અને જ્ઞાની જ્ઞાન દર્શનમય જાણે છે શરીરે પહેરેલું લુગડું જાડું, ફાટેલું હોય, લાલ હેય, પીલું હોય, પાતળું હોય તેથી કંઈ શરીર જાડું પાતળું કહેવાય નહિં. આ હાલતું ચાલતું એવું જે જગત, તે મેરૂ સરખું સ્થિર જેને લાગે છે તેમજ મન, વચન, કાયાની ક્રિયા વિગેરેનું જડ જેવું લાગે છે, તેજ આ નંદમય મોક્ષ પામે છે. આત્મ સ્વરૂપની ઓળખાણ કરનારાઓ પરસંગ ત્યાગ કરો. તેને માટે કહે છે; “હાવત મન, તન, ચપલતા, જન કે સંગ નિમિત્ત જનસંગી હવે નહિ તો તે મુનિ જગ મિત્ર” મન શરીર અને વાણુની સંપલતા તે માણસના સંસર્ગથી થાય છે. માટે જ્ઞાની પુષે ચપલતાનું બીજ એ જે મનુષ્યને સંસર્ગ, તેનો ત્યાગ કરે છે. જેને આમાને નિશ્ચય થાય છે તેને પહેલાં આ જગત ઉન્મત્ત જેવું લાગે છે; પરંતુ આમદર્શનની દર વાસના થયા પછી તે જગત પત્થરની પિઠે ભાસે છે આ શરીરાદિથી આભા જુદો છે એવું માત્ર બેલવાથી કે સાંભળવાથી જ બંધન મુકાઇ મૈક્ષિ પામતો નથી, પરંતુ જ્યારે ભેદ જ્ઞાનના અભ્યાસથી આમાનો નિશ્ચય થાય છે, ત્યારે જ મોક્ષ પામે છે. આ શરીરથી જુદા એવા આત્માની, આમા વિષે એવી દર વાસના કરવી કે–તે સ્વમમાં પણ હું શરીરી છું, કે પોતાને ફરીથી અંગ સંગતિ ને થઈ જાય. જાતિ અને લિંગ બે દેહને આથમી રહ્યાં છે. અને એ દેહ તે જ સંસાર છે, માટે જાતિ અને લિંગનો, પરમાર્થ દષ્ટિવાળાએ આગ્રહ કરે નહિ. જેમ યેલ ભ્રમરના સંગથી ભમરી થાય છે, જેમ વાટ દીવાને પામી પિતે પણ દીવારૂપ બની જાય છે, તેમ આત્મા પિતાથી ભિન્ન એવા સિદ્ધ ભગવાનની આરાધના કરતાં પોતે પણ સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાછે વાણીથી નહિ વર્ણન કરી શકાય એવા પરમાત્માની ભાવના કરતાં કરતાં પિતજ પરમાત્મા રૂપ બને છે, એટલે મોક્ષ લક્ષ્મીને પામે છે. ઇતિશ્રી. શાન્તિઃ શાન્તિ.
SR No.522010
Book TitleBuddhiprabha 1910 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size919 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy