SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ માટે પ્રાણીઓ સાથે માયાળુ પણે વર્તવાને, પ્રાણીઓને મિત્ર થવાને આછાને ઉપદેશ આપવો જોઈએ. જે પ્રાણીને હેરાન કરવામાં આવતું હોય, તેને દુરૂપયોગ થતો હોય, અથવા તેની તરફ કરતા વાપરવામાં આવતી હોય તે વખતે તે બાળકને તે હેરાનગતિ, દુરૂપયોગ અને કરતાની સામે થવાને શિખવવું જોઈએ. જ્યારે માણસ થાકી જાય છે, અથવા માણસને સખ્ત કામ કરવાનું હોય છે, ત્યારે આપણે તેને મીઠાશભર્યા શબ્દોથી ઉત્તેજન આપીએ છીએ, પણ તેને મારતા નથી, કારણ કે મારવાથી તે કદાપિ કામ કરી શતે નથી, તેજ રીતે ઘોડા અથવા બળદની સાથે વર્તવું જરૂરનું છે. જે ડે કે બળદ થાકી ગયો હોય, અથવા તેના પર વધારે ભાર લાદવામાં આબે હોય તે તેજ રીતે મીઠા શબ્દોથી તેને ઉત્તેજિત કરવા જોઈએ, પણ ચાબુક મારવી જોઈએ નહિ. ઇંડાઓને તથા બળદોને એવી ટેવ પાડવી જોઈએ કે ઉત્તેજિત શાથી કામ કરવા લાગી જાય. ચાબુક મારવાથી તેને માર ખાવાની ટેવ પડી જાય છે, અને તે ચાબુકવિના કદાપિ કામ કરી શ. કતો નથી. અને ધીમે ધીમે એ નંદાર બની જાય છે કે ચાબુકની પણ કાંઈ અસર થતી નથી. હાલમાં સેંકડે નવાણું ટકા ચાબુક વાપરવામાં આવે છે. આમ કરવું તે બીન જરૂરી છે, એટલું જ નહિ પણ નિરર્થક છે. અમેરીકાને એક મુસાફર રૂશયાના રહેવાશી પરમ ભક કાઉન્ટ ટેલિસ્ટોય સાથે સવારી કરતા હતા. તેણે કહયું કે તે કદાપિ ચાબુકનો ઉપયોગ કરતા ન હતા અને જ્યારે તેને કારણ પુછ્યું ત્યારે ટેલિસ્ટોયે જણાવ્યું કે મારા ધાડાની સાથે હું વાત કરું છું પણ હું ઘેડાને કદાપિ મારતે નથી આપણે આ પરોપકારી દયાળ પુરૂષના દાત ઉપરથી લંડ લેઈ તે પ્રમાણે વર્તતાં શીખવું જોઈએ. વિશાળ દષ્ટિ અને પરોપકાર, ( લેખક. Patience. ) આપણી દષ્ટિ બહુ સાંકડી થઈ ગયેલી છે, અને તેથી આપણે ઘણીવાર આપણને ન દે તેવા સંજોગોમાં આવી પડીએ છીએ તે સમયે આપણે
SR No.522004
Book TitleBuddhiprabha 1909 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size950 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy