________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
li
જાકોડા પાર્શ્વનાથ તીર્થ
લેખક : પૂ. મુનિરાજ શ્રીવિશાળવિજયજી (દ્ધિ-ધર્મ-જ્યોપાસક)
સુમેરપુરથી સાડા ચાર માઈલના અંતરે જાકડા નામે જેનું પ્રસિદ્ધ તીર્થધામ છે. આ તીર્થ કેટલું પ્રાચીન હશે તે જાણવામાં આવ્યું નથી પરંતુ શિલાલેખોમાં જેનો જારાફર અને જાકપુર તેમજ તીર્થમાળાઓમાં જાપુરી નામથી ઉલ્લેખ આવે છે તે જ આ જાકડા તીર્થ છે. પં. શ્રી. મહિમાવિજયજીએ રચેલી તીર્થમાળામાં આ તીર્થને આ પ્રકારે ઉલ્લેખ કર્યો છે –
જારિ ચૌદ જિન દિનક, પાલિ ચૌદિરે જગીસ. ૮ પિસાલિ ત્રિણિ ઈટવાલિ દસ ભલી, વાદ્ય તેલાઈ દેવિ.”
(પ્રાચીન તીર્થમાળા સંગ્રહ : ભા. ૧, પૃ. ૫૯) પિષાલિયાની પાસે આવેલું જારિ તીર્થ છે. શિવગંજથી પષાલિયા ચાર ગાઉ દૂર છે. અને જાડા તીર્થ પણ શિવગંજથી ચાર ગાઉના અંતરે છે. એટલે જાષારિ એ જ જાડા સમજાય છે. ૫. મહિમાવિજ્યજીએ આ તીર્થની અઢારમા સૈકામાં યાત્રા કરી ત્યારે અહીંના જિનાલયમાં ચૌદ જિનપ્રતિમાઓ હતી.
અઢારમા સૈકા કરતાં પ્રાચીન એવા ૫. મેધવિજ્યજીએ સં. ૧૪૯૯ લગભગમાં રચેલી તીર્થમાળામાં આ તીર્થ તેમજ આસપાસનાં જિનમંદિરવાળાં ગામોની આ પ્રકારે નેધ કરી છે
વીસલપુરિ વાલ્હી દરિ, બાલીસઈ માહિ પૂજા ફિરી;
તીરથતણ ન જાણુઉં પાર, જારઈ જિણ કરઉ જુહાર.” આમ વીસલપુર, વાહી, ઉંદરી વગેરે ગામે જાકડાની પાસે આવેલાં છે. તે જ આ તીર્થમાળાકારે નેધ્યાં છે. એટલે પંદરમા સૈકામાં આ તીર્થ જાણીતું હતું.
મારા ગુરુ પૂ. શ્રી જયંતવિજયજી મહારાજશ્રીએ સંપાદિત કરેલ આ ભાગ બીજાને લેખાંક: ૩૧૪માં–સં. ૧૩૪૬ના ફાગણ વદિ ને સોમવારે જાખલપુરના રહેવાસી શ્રીજિનચંદના પુત્ર સંઘવી એચટન વગેરેએ જિનપ્રતિમાઓ ભરાવ્યાને ઉલ્લેખ એ લેખમાં કરેલું છે.
મતલબ કે આમાં ઉલ્લેખેલ જાખલપુર એ જ જાકડા હોય તે સં. ૧૩૪૬માં આ ગામ વિદ્યમાન હતું એટલું નક્કી થાય છે.
જાકેડામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર પહાડની ખીણમાં આવેલું છે.
For Private And Personal Use Only