SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧ જીવવા દે'–અમારી જેમ જગતના બધા જ જીવોને જીવન ધારણ કરવાનો હક્ક છે. માટે અમારે જીવનનિર્વાહ કે રક્ષણ વગેરે બીજા જીવોના જીવનના ભોગે થાય તે કોઈ પણ રીતે ન્યાયયુક્ત નથી, પાપ છે. આ છે સમ્યગ્દષ્ટિવર્ગ. ૪અહિંસાધર્મની વિપરીત સમજ ધરાવનાર વર્ગ- અને જીવાડના મુદ્રાલેખવાળો છે. ઉપરના ત્રણ વર્ગની તેમજ “વૈતાનિ વવિઝાનિ સર્વેનાં મારિ I સિાસ્વિમોચે ત્યા મૈથુનવર્ઝન'-એ ઉક્તિ અનુસાર અહિંસાધર્મને તે ઉત્તમ જ કહે છે. પરંતુ અહિંસાધર્મને તથારૂપે સમજેલ નહિ હોવાથી અહિંસાધર્મમાં માનતો હોય છે પણ વર્તનમાં ઉતારતા નથી તેથી પિતાના જીવનની જેમ બીજા જીના જીવનના રક્ષણની વાતો માત્ર કરતે હોય છે. પરિણામે “નવો નીચા જીવન' જેવી ઉક્તિને “એક જીવ બીજા જીવના ભાવ જીવનનું કારણ છે? એ સીધો અર્થ ઉલટાવીને “નીવો નીવસ મફળમ્’ એવો જુલમીઅર્થ કરવા માંડે છે એટલે કે- બળવાન દુર્બળનો ઉોગ કરી શકે છે.' એવા ઘેર પાપપ્રવર્તક અર્થને આગળ કરીને આ જગતના અન્ય નબળા પ્રાણીઓના કિંમતી જીવનને પિતાના જીવનના નિર્વાહાથે નાશ કરીને જીવવામાં ફરજ માને છે ! એ રીતે અહિંસાના નામ તળે ધોર હિંસા કર અને ફેલાવતો હોય છે. દયાને કહેતા હોવાથી તે વર્ગ નિરાધાર, નિરાશ્રિત, અંધ, લૂલાં, લંગડાં, પાંગળાં, બેકાર આદિ છવોને જીવાડતો પણ દેખાય, છતાં તેમાં પણ બીજા ના જીવનને બેગ તો લેતો જ હોય છે, આથી બહુલતાએ આ વર્ગને અહિંસાનો અવાજ પણ પ્રાયઃ મનુષ્ય અને ગાયના રક્ષણ પૂરતો જ રહી જવા પામે છે! એ સિવાય પાડા, ભેંસ, બકરાં ઘેટાં, રેઝ, હરણ, સડા, વાગોળ, માંકડ, મચ્છર, ડાંસ, વીંછી ઈત્યાદિ બિચારા લાખો નિરાધાર પશુઓની થતી કરુણ હિંસા પ્રતિ તે લગભગ મૂક પ્રવૃત્તિ જ સેવાતી હોય છે. તેવા પણ મોટા સર્વ જીવોની હિંસા બંધ જ થવી જોઈએ.' એવું મુંબઈની શ્રી જીવદયા મંડળીના તથા અમદાવાદ હિંસાવિધ સંઘના જેવું અહિંસાધર્મનું વ્યાપક ધ્યેય આ વર્ગમાં આવવું મુશ્કેલ હોય છે. આ જોતાં રાજકારણમાં થતી અહિંસાની વાત તો પર પ્રતારણરૂપ જણાયા સિવાય રહેતી નથી. પ-અહિંસાધર્મને અનર્થકારી માનનાર પાંચમો નાસ્તિક વર્ગ “બીજા જીના ભેગે પણ જીવો'ના મુદ્રાલેખવાળો હોય છે. તે વર્ગનું કહેવું એવું છે કે–ચાવજ્ઞીત સુવં ગીત, ગળ ક્વિા વૃત વિવેત્ | મીભૂત હેચ પુનરાગમનં : ?' એટલે કે જ્યાંસુધી જીવો ત્યાં સુધી હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, અને પરિગ્રહ વગેરેથી થતા પાપને બિલકુલ ડર રાખ્યા વિના બસ મોજપૂર્વક છે. સુખે જીવવાના સાધનોના અભાવે ઋણ કરીને પણ ઘી પીઓ. શરીરની રાખ થયા પછી એ ફરી ક્યાં મળવાનું છે ? મનુષ્યમાં આ પાંચમો વર્ગ તે બિચારે પાપે પાર્જન કરીને ભવાટવીમાં ભટકવા જ સર્જાયેલ હોવાથી તેના માટે તે અહિંસાધર્મ નકામો છે. ચોથા વર્ગ અહિંસાધર્મની આ મેક્ષમહેલ પર પહોંચવા માટેની ઊભી કરેલ સીડીને કૂવામાં મૂકવા જેવું કરે છે, જે સીડી માળ પર ચડવાને બદલે કૂવાના તળિયે ધકેલવાનું કામ આપે છે! આથી વર્ષભરનાં પાપોને ખપાવવાને સમર્થ એવા નજીકમાં આવતાં મહાન પર્યુષણ પર્વની આરાધના મનુષ્ય જેવી ઉત્તમ ગતિને પામેલ હોવા છતાં તે બે વર્ગને તે ઉગી નથી. [ જુઓ : અનુસંધાન પૃષ્ઠ : ૨૦ ] For Private And Personal Use Only
SR No.521713
Book TitleJain_Satyaprakash 1954 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy