SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંસા-અહિંસા-વિવેક લેખક-પૂજ્ય પંન્યાસ શ્રી ધુરધરવિજ્યજી (૨) હિંસાની ભ્રમજાળ હિસા એટલે જીવનને પ્રાણથી વિમુક્ત કરે–એ જે આગ્રહ બંધાઈ જાય તે પણ જીવ વિવેક ચૂકી જાય છે અને જ્યાં ખરેખર હિંસા નથી ત્યાં હિંસા માનવા લાગે છે. બીજી બાજુ સામા જીવનું હિત કરવાની ભાવનાપૂર્વક એવું આચરણ કરવામાં આવે કે સામાના પ્રાણ જાય અને હિત ન સધાય એ સ્થિતિમાં ભાવના ઉપર ભાર મૂકીને જે તેને હિંસા ગણવામાં ન આવે તે પણ અનર્થની પરંપરા વધે. એટલે હિંસાનું સ્વરૂપ સુક્ષ્મ બુદ્ધિથી અનાગ્રહભાવે વિચારીને સ્થિર કરવા જેવું છે. | ગમે તે જીવને ગમે તેમ મારવા અને તેમાં અમે તેનું પણ હિત કરીએ છીએ એવું માનવું અને મનાવવું એ ખરેખર હિંસા છે. વિવેકદ્રષ્ટિથી ખૂબ જ વેગળું છે. એ હિંસા પાછળ ધર્મનો હાથ નથી પણ કષાયોન–મોહના તીવ્ર ઉદયને હાથ છે. “ના Éિસ્થાન સર્વભૂતાનિ' કોઈપણ વને હણવો નહિ-એવું સૂત્ર વ્યાપક કરીને ધર્મને નામે જુદા જુદા ની ધૃણા ઉત્પન્ન થાય એ રીતે હિંસા કરવા આદેશ કરતાં અને આચરણમાં પણ એવી હિંસાને અનુસરતા ગ્રન્થ અને માનવ મહાહિંસક છે. વિહિત હિંસા—વેદવિહિત હિસાને નામે વિશ્વમાં હિંસાનું તાંડવ ખૂબ જ ચાલ્યું. હિંસાને પણ છે ધર્મ માનવા લાગ્યા. હિંસાની એ માયા એટલી વધી ગઈ કે અશ્વમેધ અને નરમેધ યજ્ઞો થવા લાગ્યા. રક્તવતી અને ચર્મવતી એવાં નામે નદીઓનાં પડ્યાં. પિતાની મેલી વાસનાઓને ધર્મને નામે સંતોષવાનું અને પોષવાનું કાર્ય આમ ધમધોકાર ચાલ્યું. સુજ્ઞ અને સમજુ આત્માઓ પણ એમાં ફસાયા. મેડા મેડા પણ જેમને સાચો રાહ મળ્યો તેઓ પાછા ફર્યા અને બચી ગયા. જેઓને સાચો માર્ગ ન મળ્યો, મળ્યા હતાં જેઓ તેને સ્વીકારવાનું સામર્થ્ય ન કેળવી શક્યા તેઓ એમાં ને એમાં પડી રહ્યા અને પરિણામે પાપકર્મથી ભારે બનીને દુર્ગતિને વર્યા. આ હિંસામય પાપધર્મથી બચાવવા માટે કડક શબ્દોમાં પણ શુદ્ધધર્મને અનુસરનારાઓએ ચેતવણી ઉચ્ચારી છે. ભલે તે તે ધર્મને પ્રિય માનનારાઓને ન એ, ન ગમે, ભલે તેઓ ક્રોધે ભરાય, પણ ખરેખર કહેવાયેલા શબ્દો યથાર્થ છે. જ્યારે મહાહિંસાને પણ ધર્મ ગણાવતા એ ધર્મનાક ખચકાયા નથી તે તેને તેના ખરા સ્વરૂપમાં ખુલ્લા પાડનારા પણ શા માટે કરે! કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મહારાજે ગશાસ્ત્રમાં કહ્યું છે કે— “વ , રોગ પ્રતિક છે वेदोक्तितापलछमछन्नं रक्षो न जैमिनिः ॥" For Private And Personal Use Only
SR No.521713
Book TitleJain_Satyaprakash 1954 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy