________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
જ
-
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮ ઈની વામી અને કલા મંડે કરવી પડે છે અને તેમાં પણ એકેક ખંડને વશ કર્યા બાદ છેલ્લા ખંડને પસાર કરવા માટે તે વળી અના સંખેય ટૂકડા કરવા પડે છે અને એના ઉપર ક્રમસર વિજય મેળવવું પડે છે. .
(૩) ક્ષક-શ્રેણિએ આરૂઢ થયેલી વ્યકિતની એ વિશેષતા છે કે દેધાદિ કાને અડધા ખોખરા કર્યા પછી એ કાર્યને જાણે છેડા વખત સુધી તિલાંજલિ આપી, ત્રણ પ્રકારની ઘારમાં ઘેર નિદ્રારૂપ દર્શનાવરણ-પ્રકૃતિઓને તેમજ નામ-કમની તેર પ્રવૃતિઓ એમ મોહનીય કર્મ સાથે સીધો સંબંધ નહિ ધરાવનારની પણ આત્માની ખરાબી કરવામાં સાથ આપનારી પ્રકૃતિની એ પૂરેપૂરી ખબર લે, અને એ કાર્ય પૂર્ણ થતાં અધમૂઆ કરાયેલા કષાયોને હંમેશને માટે ભયભેગા કરે છે.
(૪) ઉપશમ શ્રેણિનો સંબંધ ચેથાથી અગિયારમા એમ આઠ ગુહાસ્થાનો સાથે છે, જ્યારે પક-શ્રેણિનો સંબંધ ચોથાથી દસમા સુધી અને ત્યારબાદ બારમાથી ચૌદમા સુધોને એમ દસ ગુણસ્થાને સાથે છે. . (૫) શત્રુને ટૂંક સમય માટે બી દેવો એ એક વાત છે અને એને સવશે નાશ કરો એ બીજી વાત છે.
(૬-૭) ઉપશમનું કાર્ય જેટલું સહેલું છે એટલું ક્ષયનું નથી અને આથી તે આ કાર્યો સિદ્ધ કરવા માટેના ક્રમમાં ફેર હે ઘટે અને એ છે ખરો. ** (૭) વીતરાગતા એટલે રાગને અર્થાત્ અસક્તિને અને ઉપલસણથી ઠેષનો પણ સંવશે સંહાર. ક્રોધ એ દ્રેષ છે, રાગ નથી. માનને દ્વેષ ગણો કે રાગ એ વિવક્ષા ઉપર આધાર રાખે છે. એ ગમે તે હે, પરંતુ દેવને જીતવો જેટલું સહેલું છે એટલે રાગને પરાસ્ત કરવો સહેલું નથી. એ હકીકત પણ આ બે શ્રેણઓમાં જે ક્રમે કાર્ય કરાય છે એ જોતાં સ્પષ્ટ થાય છે.' - (૮)..સાચી અને સંપૂર્ણ વીતરાગતા એટલે મેહને સવશે નાશ એ વાત ખરી. પણ એની પૂર્વ તૈયારી કરનારે જૈન દષ્ટિ પ્રમાણે નિર્ભયતા કેળવવી જોઈએ. નિર્ભય બન્યા વિના કોઈ સામાન્યયુદ્ધ પણ છતાય નહિ. ડરપોકની તો સંસારમાં ચે ક્યાં કિંમત છે, તે પછી રમ અનાદિ કાળના શત્રુઓ સામેનું ભયંકરમાં ભયંકર યુદ્ધ તો એના જેવાથી કેમ જ છતાય? આથી નેકષાયે પૈકી ભયને સામને શા માટે કરવો જોઈએ એ વાત સ્પષ્ટ બને છે.
(૯) વેદ એટલે કામાતુરતા યાને મનની વિહળતા. કામાતુરતાની તૃપ્તિ બાહ્ય સાધને ઉપર આધાર રાખે છે. આ એક જાતની પરવશતા છે. સાચી સ્વતંત્રતાને પૂજારી આવી પરવશતાને વશ બનવાનું કેમ પસંદ કરે છે. પરાધીન રહેવું પડે એટલી સુખમાં ખામી ગણાય તે સર્વથા વીતરાગદશા પ્રાપ્ત કરી “ જીવન-મુક્ત' થઈ આત્માન દમ-આત્મરમણુતામાં મસ્ત રહેવા ઈચ્છનાર કામાતુરતાને જલાંજલિ ન આપે એ બને જ કેમ? ' (૧) લડાઈનું ઘર હાંસી અને રોગનું ઘર ખસી ' એ લેકેજિત છે. હસીનું પરિણામ કેક વાર. કેટલું ભયંકર આપે છે એ મહાભારતનાં અભ્યાસથી અજાણ નથી-યુધિષ્ઠિરાદિ પાંડવેએ દુર્યોધનની હાંસી કરી અને એમાંથી મહાભીષણ યુદ્ધરૂપ દાવાનળ પ્રગટયો અને એમાં વિજેતાઓ સુદ્ધાં એ છાવત્તે અંશે હોમાઈ ગયાં.
[ જુઓ અનુસંધાન પૃષ્ઠ: ૨]
For Private And Personal Use Only