SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૫ - પંજાબમાં રાવી નદીના પૂર્વ કિનારે મોટગોમેરી જિલ્લામાં લગભગ ૩૧ ઉત્તર અક્ષાંશ તથા ૭૩ ૨૫' પૂર્વ રેખાંશ ઉપર હરપ્પા નામનું એક સ્થળ આવેલું છે. સરકારી પુરાતત્વખાતાના અધિકારી જોન માલનું બ્રિટિશ મ્યુઝિયમમાં જોયેલાં નાણું અને એલેકડર કનિંગહામે આ લોજિકલ સર્વે ઓફ ઈન્ડીઆના સન. ૧૮૭૨-૭૩ના રિપોર્ટમાં પ્રસિદ્ધ કરેલા હરપામાંથી મળી આવેલા સિક્કાના ઉલેખ ઉપરથી હરપ્પા તરફ લક્ષ્ય ગયું. અને રાયબહાદુર દયારામ સહાની નામના વિદ્વાન દ્વારા ઇસ્વી સન ૧૯૨૧ના જાન્યુઆરી મહિનામાં હરપ્પામાં ખેદકામની શરૂઆત કરી, અને ત્યાંથી એક પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યા. બરાબર બીજા જ વર્ષ પુરાણુ વસ્તુ સંશોધન ખાતાના અધિકારી રાખાલદાસ બેનર્જીની દેખરેખ નીચે ઈસ્વીસને ૧૯૨૨માં મોહન-જો-દારોની એક ટેકરીના ખોદકામની શરૂઆત થઈ. ત્યાર પછી પણ જુદા જુદા અધિકારીઓની દેખરેખ નીચે ખોદકામ થયું. મોટી આશ્ચર્યની વાત એ છે કે મોહે-જો-દારોમાં એક ઉપર એક એમ બાંધવામાં આવેલાં છ થી સાત નગરો નીકળ્યાં છે. હરપ્પામાં જેવી નગર રચના મળી વખતે “રાજા તમારી પાસેથી રાજ્ય પાછું લેવા માટે આવ્યા છે આવા મંત્રીઓનાં વારંવાર કથનથી ભરમાયેલા કેશી રાજાએ ભિક્ષા સમયે તેમને આહારમાં વિષ અપાવ્યું હતું. વિશ્વના પ્રયોગથી રાજર્ષિનું નિર્વાણ થયું હતું. રાજાના આ દુષ્કાર્યથી કોપાયમાન થયેલા દેવોએ ત્યાં ધૂળની ઘેર વૃષ્ટિ કરી અને તેમાં સમગ્ર નગર. દટાઈ ગયું હતું. ઉદાયન રાજર્ષિને વિષ આપવામાં આવ્યું ત્યારે તેઓ કુંભારના ઘરમાં રહેતા હતા તેથી જ્યારે ધૂળની દૃષ્ટિથી નગર દટાઈ ગયું ત્યારે તેમાં કુંભારનું ઘર બચી ગયું હતું તેથી આ સ્થાનને માનશેવ પણ કહે છે. “આવશ્યક ચૂર્ણિ” (પૃ. ૩૪, ૫૫૩)ના કથનાનુસાર આ સ્થાન સિણવલીમાં આવેલું હતું. પ્રેમી અભિનંદન ગ્રંથમાં છપાયેલા નૈનપંથોમેં મૌનોઝિ સામગ્રી : મારતાર્થનેં જૈનમાં વણા નામના લેખમાં (પૃ. ૨૨માં) ૫. જગદીશચંદ્ર જૈન લખે છે કે પંજાબના મુજફફર ગઢ જિલ્લામાં સનાવત અથવા સિમાવત નામનું સ્થાન છે કે જ્યાંની જમીન ઉપર છે. આ જ સિથવી સંભવતઃ હવું જોઈએ, અથવા તે સિંધ કે પંજાબ માં કઈ રેતીમય પ્રાચીન સ્થાન સિણુવલ્લી લેવું જોઈએ.” મુજફફરગઢ પંજાબમાં સિંધુ નદીની નજીકમાં પૂર્વ કિનારે ૩૦ ૫” ઉત્તર અક્ષાંશ અને ૭૧ ૧૪' પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. જગદીશચંદ્ર જૈનની વૈકલ્પિક સંભાવના સત્ય હોય કે અસત્ય હોય ગમે તે હે, પણ ઉપર જે દલરાયની કથા આપેલી છે તેની સાથે આપણું કયામાં અમુક સમાનતા સ્પષ્ટ દેખાય છે. શું મોહેનજેદારે જ પ્રાચીન વીતભયપુરપત્તન હશે? મહેન્સેદાર અને વીતભયપુરપત્તન ભલે કદાચ એક ન હોય તે પણ બલુચિસ્તાન-સિંધ-પંજાબ વગેરે પ્રદેશોમાં આવાં આવાં નાના મોટા પ્રકારનાં ૩૭ સ્થળે ખેદકામ થયાં છે અને ત્યાંથી અવશેષો મળી આવ્યા છે. એટલે આવાં બીજાં ઘણાં નગર ત્યાં દટાયેલાં છે. સંભવ છે કે આપણું વીતભયપુરપત્તન પણ તે પૈકીનું એક હેય. આ વાત પણ સ્મરણમાં રાખવા જેવી છે કે કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ મહારાજ “ ત્રિષષ્ટિ શાખા પક ચરિત્રમાં જણાવે છે કે ભગવાન મહાવીરદેવે સ્વમુખે કહ્યું હતું કે “દટાઈ ગયેલા વીતરાયપુરપત્તનમાંથી કુમારપાલ રાજા ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા કઢાવશે અને મહાઉત્સવપૂર્વ પાટણમાં પધરાવશે.” અને બરાબર તેમજ થયું હતું. કુમારપાલે રાજાને ખેદકામ કરતાં એ પ્રતિમા મળી હતી અને પછી મહામહોત્સવ પૂર્વક પાટણમાં લાવીને પધરાવી હતી. આ પ્રસંગનું અતિસુંદર વર્ણન 'ત્રિષષ્ટિશલાકા પુરુ ચરિત્રના છેલ્લા પર્વમાં તથા કુમારપાલ મહાકાવ્યમાં છે, For Private And Personal Use Only
SR No.521660
Book TitleJain_Satyaprakash 1950 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy