________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IN |
પ્રતીકાર ને પ્રત્યુત્તર
શ્રીયુત સુરેશગાંધીના ખુલાસા અને જૈનધર્મના એક સમર્થ સાધુપુરુષ શ્રીસ્થૂલિભદ્રજીએ બુદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કર્યાનું પ્રતિપાદન કરતી (સંદરના દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલી) બુદ્ધને શરણે' નામક નાટિકા સંબંધમાં અમે અમારા તા. ૬-૧૧-૪૯ના અંકમાં એક નોંધ લખીને એના લેખક ભાઈ સુરેશ ગાંધીનું ધ્યાન દોર્યું હતું અમારી જેમ જ બીજી જૈનસંસ્થાઓએ કે ભાઈઓએ પણ સુરેશ ગાંધીને એ માટે લખ્યું હતું. આ પછી તા. ૧૩-૧૧-૪૮ ને રવિવારના “સંદેશ' પત્રના અંકમાં શ્રી સુરેશ ગાંધીએ નીચે મુજબ ખુલાસે પ્રગટ કર્યો છે. તેઓ લખે છે કે
“મારી “બુદ્ધને શરણે નાટિક માટે જૈન સમાજમાં ઊહાપોહ થવા પામ્યો છે એટલું જ નહીં કેટલાક ચર્ચાપ પણ આવ્યાં છે. ખાસ કરીને શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ, તેમજ ભાવનગરથી પ્રગટ થતા જેન' સાપ્તાહિકમાં પણ એ અંગે ચર્ચા ઉપસ્થિત થઈ હોવાથી તેમજ વિરાધ જીવવામાં આવ્યો હોવાથી એ બધાને એકસામટે ખુલાસે કરું છું.
જેને ચર્ચાપત્રીઓએ અને પાએ પૂલિભદ્રજીએ જૈનધર્મ સ્વીકાર્યો હોવાને ઉલ્લેખ કર્યો છે. પણ મેં જેમાંથી સ્થૂલિભદ્રનું પાત્ર લીધું છે એ શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદી નામના એક હિંદી લેખકના “રૂપકેશા ' નામના પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે યૂલિભદ્રજીએ પ્રથમ બૌદ્ધધર્મ ઉપણુપ્ત પાસેથી સ્વીકાર્યો હતો અને ત્યારબાદ એણે જૈનધર્મની દીક્ષા લીધી હતી.
આવા બનાવે જેન ધર્મશાસ્ત્રોમાં સંખ્યાબંધ પ્રમાણમાં જોવામાં આવે છે. રાજા બિંબિસારે પણ પહેલાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને ત્યાર પછી મહાવીરસ્વામી પાસે જૈનધર્મની દીક્ષા લીધેલી, એ જેનો સારી રીતે જાણે છે. એટલે સ્થૂલિભદ્ર માટે આમ બનવું સર્વથા અશકય તો નથી જ, છતાં જેનામીએ સ્થૂલિભદ્ર માટે એમ માનવા તૈયાર ન હોય તે હું એમની લાગણી દુભવવા માંગતા નથી ભવિષ્યમાં હું જેને માન્યતાને સ્વીકાર કરી, મારા પ્રગટ થનારા નાટિકા સંગ્રહમાં બુહને શરણે નટિકામાં સ્થૂલિભદ્રને જેને તરીકે ચિતરવાનો સુધારો કરી લઈશ.”
ભાઈ સુરેશ ગાંધીને આ ખુલાસે તેમના પિતાની જવાબદારી દૂર કરવા પૂરત બરાબર છે અને તેથી જૈન સમાજને સંતોષ થશે એમ અમે માનીએ છીએ છતાં તેમના આ નિવેદનમાં બેએક મુદ્દા જરૂર વિદ્રારવાના રહે છે.
પહેલું તે એ કે એક વ્યક્તિ માટે અમુક ઘટના અમુક રીતે બની હતી તે ઉપરથી બીજી વ્યક્તિને માટે પણ એવી ઘટના બન્યાનું માનવું કે કાપવું એ તર્કશુદ્ધ ન ગણાય. એટલે બીજાઓ બુધર્મ પ્રહણ કર્યા પછી જૈન બન્યા હતા માટે સ્થૂલિભદ્દે પણ તેમાં કર્યું” એમ કહી લેવું યોગ્ય નથી. ભિકતે લમ ઇતિહાસ તે સાવ સ્પષ્ટ જ છે અને એ ઈતિહાસ સ્પષ્ટ મળી હોવાને કારણે જ જેતે સ્થૂલિભદ્ર જેનધર્મની દીક્ષા લીધાનું માને છે તેથી ભાઈ સુરેશ ગાંધીએ પિતાના નિવેદનમાં જે એમ લખ્યું છે કે “છતાં જેને
For Private And Personal Use Only