________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ” તરીકે નિશાયલી કૃતિઓ [ ૭૯
(૧૧) રતનસીઋષિ-ભાસ આ એતિહાસિક કૃતિની પ્રારંભિક પંકિત નીચે પ્રમાણે છે –
“ શ્રીમીસર જિન નમી, પ્રણમી શ્રી ગુરુરાય
ગુણ રતનસી માઈય, મતિ દઉ સરસતિ માય.” આમ અહીં સૂચવાયા મુજક આમાં રતનસી ઋષિના ગુણગાન છે. એના નું નામ ગોધ (ગોવર્ધન) અપાયું છે. જુઓ જે. ગૂ. ક. (ભા. ૧, નં. ૨, પૃ. ૧૫ર). આમાં એકંદર ૬૮ ગાથા છે અને એ વિક્રમની અઢારમી સદીની કૃતિ છે.
(૧૨) લલિતાન-ભાસ આ એક નાની સરખી કૃતિ છે. પાર્શ્વનાથના એક ભવમાં એમનું નામ “લલિતાંકુમાર ' હતું અને એમને સજજન નામને અનુચર હતો. આ લલિતકુમારને અંગે વિ. સં. ૧૭૬૧માં દાનવિજયે લલિતાગ-રાસ રચ્યો છે તેમ શું આ માસમાં પણ આ જ લલિતકુમારને અધિકાર છે?
(૧૩) ગુંજ-ભાસ જે. ગુ. ક (ભા. ૭, નં. ૧, પૃ. ૪૮૩)માં આની પહેલી અને અગિયારમી કડી અપાઈ છે. ૧૧મી કડીમાં આના કર્તાનું નામ શાન્તિસૂરિ જોવાય છે. આની એક હાથજેથી વિ. સં. ૧૫૩૫માં લખાયેલી છે. આ તેમ જ આ વર્ષમાં લખાયેલી બીજી પણ કેટલીક કૃતિઓ “જૈન યુગ” (પુ. , પૃ. ૪૭૩-૭)માં “સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો” એ નામથી પ્રસિદ્ધ કરાઈ છે. આજે આ “ જેન યુગ” મળવું મુશ્કેલ છે તે આ પ્રાચીન કાવ્યો ફરીથી છપાવવા ઘટે. શત્રુંજય-ભાસમાં “શત્રુંજય ગિરિને
(૧૪) સુદર્શન-ભાસ આ નાનકડી કૃતિના કર્તાનું નામ સેવક છે. ચાવીસ તીર્થંકર-ભાસના સ્તનું પણ આ જ નામ છે. વળી ગુણનિધાનસૂરિના શિષ્યનું પણ આ જ નામ છે. તો શું આ ત્રણે એક છે? સુદર્શન શ્રેણીની વાત આ કૃતિમાં આવતી હશે એમ આ કૃતિનું નામ જોતા ભાસે છે.
આ પ્રમાણે પવમાં રચાયેલ ચૌદ “ભાસ 'ના વિહંગાવલોક્ન રૂપે આ લેખ લખતા મને નીચે મુજબ પ્રશ્નો પુર્યા છે –
(૧) અમુક પઘાત્મક કૃતિને “ભાસ' કહેવાનું કઈ ખાસ કારણ છે? અને હોય તે એ શું છે?
(૨) ભાસની એકંદર સંખ્યા કેટલી છે? (૩) “ભાસ' તરીકે ઓળખાવાતી કઈ કઈ કૃતિ કયાં અને ક્યારે છપાઈ ! (૪)• પ્રાચીનમાં પ્રાચીન “ભાસ’ તરીકેની કૃતિ કઈ? (૫) વિદમની સોળમી સદી પહેલાં રાઈ ભાસ રચાયેલ છે?
(૬) કોઈ અજેન કવિ “ભાસ” તરીકે ઓળખાવાય એવી કૃતિ રચી છે અને હોય તો તે કઈ છે અને એ કેટલી પ્રાચીન છે?
ગોપીપુરા, સુરત. તા. ૧૬-૮-૪૮
For Private And Personal Use Only