________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ શ સ .
છાપકામ અને કાગળની દિવસે દિવસે વધતી જતી કારમી મોંધવારીના સમયમાં પણ “ જૈન સત્ય પ્રકાશ ?' માસિક ગ્રાહકોને માત્ર બે રૂપિયા જેટલા નજીવા લવાજમમાં અને પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિવરને વગર લવાજમે આપવાનું અને ચાલુ રાખ્યું છે, અને ભવિષ્યમાં પણ એ મુજબ જ અમે એ ચાલુ રાખવા માગીએ છીએ. આ રીતે માસિક અમે આપી શકયા છીએ એનું મુખ્ય કારણ શ્રીસંધ તરફથી અમને સમયે સમયે મળતી રહેલી ઉદાર મદદ છે; આવી મદદ ન મળે તો આ રીતે માસિક આપી શકાય જ નહીં.
અત્યારે છેલ્લે છેલ્લે વધેલી મોંઘવારીના કારણે અમારે થોડીક નાણાંભીડ ભોગવવી પડે છે, અને તેથી સમસ્ત શ્રીસ'ધ સમક્ષ અમે અમારી એ વાત રજુ કરીએ છીએ.. અને આશા રાખીએ છીએ કે અત્યાર સુધીની જેમ આ વખતે પણ શ્રી સંધ અમારી માંગણી જરૂર પૂરી કરશે.
ચાતુર્માસના ધાર્મિક પર્વોના દિવસો આવે છે. તે વખતે આ માસિકને અને સમિતિને દરેક પ્રસંગે યાદી રાખવા અમે દરેક ગામના જૈન સંઘને તેમજ તે તે ગામમાં બિરાજતા મુનિવરોને વિનંતિ કરીએ છીએ.
ચટ
For Private And Personal use only