SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૂતન વર્ષના પ્રારંભ [ સંપાદકીય ] હેજી તો જાણે હમણાંની જ વાત હોય એમ થોડા જ વખત પૂર્વ રાજનગરના આંગણે મુનિસમેલન ભરાયું હતું, અને તે પછી ૧-૧૫ વર્ષે શ્રી જૈન સત્ય પ્રકાશ” માગ્નિક શરૂ કરવામાં આવ્યું હતું. પણ જરાક પાછળ નજર કરીએ છીએ–ચાડું કે સિંહાવલોકન કરીએ છીએ અને લાગે છે કે એ વાતને આજે બાર બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં. જાણે મુનિસમેલનની કાળગણનાનું સાક્ષાત્ સમયપત્રક કે સીમાચિહન જ ન હોય એમ ‘ શ્રી જૈન સત્ય પ્રકાશે' એ સુનિસએલનની યાદને હમેશાં તાજી રાખી છે. - પાતાના બાયકાળસમા ૧૨ વર્ષના યુગ વટાવી, બીજી અવસ્થાના યુગમાં પ્રવેશ કરવાની ધન્ય વેળાએ, “ શ્રી જૈન સત્ય પ્રકાશ પાતાના સહાયક, આશ્રયદાતાઓ અને પિષકો-ચતુર્વિધ શ્રી સંઘના સમગ્ર સભ્ય-પૂજય આચ ચું મહારાજ આદિ મુનિવરો, આર્થિક સહાયતા આપનારા તે તે સદ્દગડ સ્થા કે સંસ્થાઓ, અને લેખન સામગ્રીથી સદા સહકાર આપનારા વિદ્વાનો-પ્રત્યે પોતાના આભારની લાગણી વ્યક્ત કરે છે, અને સદાય એવો સહકાર મળતા રહેશે એવી આશા વ્યકત કરે છે. | ગત બાર વર્ષ દરમ્યાન જે કંઈ કરવા ચેાગ્ય હતું એ બધુંય કરી શકાયું છે એમ ન કહી શકાય એવું તે કેટટુંય કરવાનું વિશિષ્ટ રહ્યું છે. અમારી વિશેષાંકેાની ચેાજના પણ યુદ્ધકાલીન પરિસ્થિતિના કારણે આગળ ધપી શકી નથી; અડધે આવીને જ અટકી પડી છે. આ મારો ધ્યાલ તે એવા છે કે જે આર્થિકસાધન અને બીજી સામગ્રી મળતાં રહેતા દર વર્ષે અમુક અમુક વિષયનો એક દળદાર વિશેષાંક સિઘને સાદર કરતા રહીએ આજે તે અતિઆકરી માંઘવારી અને કાગળનિયમનના ધારાના કારણે એ સંબધી વિચાર થઈ શકે એમ નથી; પશુ સદાય આવી વિષમ પરિરિથતિ ચાલુ નહીં રહે, અને અમારી આ ભાવના અતિ દૂરના નહીં એવા કાઈક સમયે જરૂર ફલવતી થશે એવી આશા રાખીએ. | આસપાસની પરિસ્થિતિને જરાક ઊંડાણથી વિચાર કરીએ છીએ તે લાગે છે કે સમિતિએ ૮ શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકના કાર્યો ઉપરાંત મીજી' કાર્યોમાં પણ કઈક ફાળે આપવો જોઇએ, અને પોતાનું ક ય ક્ષેત્ર, એના મૂળ નિયમનને લેશ પણ હરકત ન આવે એ રીતે, વિસ્તૃત કરવું જોઇએ. આ માટે કેવી રીતે શું કરી શકાય એ સંબંધી પોતપોતાના વિચારો જણ વવાની અ મે આ તબક્કા સમગ્ર શ્રીસંઘના સભ્યોને વિનંતી કરીએ છીએ આવી વિચારણામાંથી જ કંઈક ચોગ્ય માર્ગ મળી શકશે એમ અમને લાગે છે. - સદાય શ્રી સંઘની કૃપાનુ ભાજન બનેલ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ શાસનની અને શ્રી સંઘની વધુ ને વધુ સેવા બજાવવા ભાગ્યશાળી બને એ જ અભિલાષા ! For Private And Personal use only
SR No.521636
Book TitleJain_Satyaprakash 1947 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy