SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ]. દાસાઃનામક પ્રાચીન મુનિવરે વર્તમાન અને ભાવિ અસંદર્ય જ છે. વાસ્તવિક સોંદર્ય ફક્ત આત્મ-આત્મના જોડાણમાં જ છે. વીર્યનાં તેજ મળે એમાં છુપી ભારે મલીનતા છે. રાગના પુદ્ગલથી થતા જોડાણમાં પણ મલીનતા જ છે. કાંઈક ઉજજવલતા પ્રશસ્તરાગનાં પુદ્દગલમાં રહેલી છે. પણ સર્વથા ઉજજવલતા તે શુદ્ધાત્માઓના મેલાપમાં જ રહેલી છે. ઉપરોક્ત ત્રણે જગાએ મલીનતમ, મલીન અને ઉજજ્વલ જડપ્રકૃતિની સહાયતા છે, જ્યારે ચેથામાં જ જડની સહાય ન હોઈ આત્માની જ પરમજજવલતા છે. પ્રભુએ ઉપાધિ વગરનું, લેશ પણ સ્વાતંત્ર્યને છીનવ્યા વગરનું, સ્વામી તરીકેની સત્તાવિનાનું અવિનશ્વર જોડાણુ પિતાને ચાલુ કેટલાક પૂર્વભવોના સંબંધી રાજિમતીના પરમજવલ આત્મા સાથે કર્યું. પ્રેમની-નિર્દોષ પ્રેમની વ્યાખ્યા કરનારાઓએ આ ખાસ વિચારવા જેવું છે. ઉપરોક્ત પદ્ધતિએ નિવૃત્તિને-આત્મવૃત્તિને પારસ્પરિક તેજ સંચાર અને ત્યાં અચલ મેલાપ એ જ વિદ્વાન વિચારકેને ઈચ્છવા યોગ્ય છે. એવો સંબંધ જ સદા જીવતે હેઈ, તેને સાધવા મહાનુભાવોએ પ્રયત્ન કરે, કરાવવો જોઈએ. એ સંબંધમાં જ સર્વથા નિઃસ્વાર્થતા, આત્મપ્રસન્તા અને સુખાનન્દ છે. સાચે આત્મરસ પણ એમાં જ છે. અનુભવથી જ એ સર્વ વાસ્તવિક રીતે સમજાય છે. પુણ્યવંતો! એ અનુભવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી જુઓ, એ જ શુભેચ્છા. દાસાન્તનામક પ્રાચીન મુનિવરો (લે. . હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ.) નામોના જે અર્થ વગેરેની દષ્ટિએ અનેક પ્રકારે પડે છે તેમાંની એક દષ્ટિ તે નામેના અંતમાં વપરાયેલ પદ છે. આ પદે ભિન્ન ભિન્ન પ્રકારના જોવાય છે. જેમકે કીતિ, ચન્દ્ર, તિલક, દાસ રત્ન, પવિમલ, શેખર, સિંહ ઈત્યાદિ. આ પૈકી જે પ્રાચીન મુનિવરોનાં નામના અંતમાં ‘દાસ’ પદ છે તેમને ઉદ્દેશીને અહીં વિચાર કરાય છે. એટલે કે ઋષભદાસ, ગેડીદાસ, જિનદાસ, બનારસીદાસ વગેરે શ્રાવકેને કે દાસાત નામક મલ્લિદાસ વગેરે સત્તરમા સૈકાના અને તે પછીના આધુનિક મુનિવરે વિષે વિચાર કરવાનું આ સ્થળ નથી. અહીં તો નીચે મુજબનાં નામવાળા મુનિવરને વિષે હું ઘેડું જ કહીશ – જિનદાસ, ધર્મદાસ અને સંઘદાસ. [૧] જિનદાસ આ જિનદાસ તે બીજા કોઈ નહિ પણ “જિનદાસગણિ મહાર” તરીકે સુપ્રસિદ્ધ ૧ ઉદયકીર્તિ, ક્ષેમકીર્તિ, ચન્દ્રકાતિ, જ્ઞાનકીર્તિ, વગેરે. ૧ અભયચન્દ્ર, અમચન્દ્ર, અશોકચન્દ્ર, બાલચન્દ્ર, ભાવચન્દ્ર, હેમચન્દ્ર વગેરે. ૩ અભયતિલક, જયતિલક, લમીતિલક, સંધતિલક, સિંહતિલક, સેમતિલક વગેરે. ૪ ઉદયરત્ન, તપોરન, હેમરત્ન વગેરે. ૫ આવિમલ, કીર્તિવિમલ, કેસરવિમલ, ગુણવિમલ, જ્ઞાનવિમલ વગેરે. ૬ રશેખર, રાજશેખર, સોમશેખર વગેરે. ૭ ઉદયસિહ, કર્મસિહ, વગેરે. • ૮ આ લેખ હવે પછી પ્રસિદ્ધ થનાર છે, For Private And Personal Use Only
SR No.521604
Book TitleJain_Satyaprakash 1944 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy