________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ ઉક્ત ખાતામાં સારા પગારે અથવા પુરસ્કાર તરીકે સારી રકમ આપી રોકવા જોઈએ. આજનો યુગ ઐતિહાસિક વિષય તરફ વધુ પ્રમાણમાં ઢળી રહ્યો છે. જે વાતના શૃંખલાબદ્ધ અંકોડ મળી રહે છે એ વાતને માનતાં જરા પણ વિલંબ થતો નથી. જૈનધર્મના ગ્રંથમાં જે જુદી જુદી બાબતેના ઉલ્લેખ છે એમાં તથ્ય તે ઘણું જ છે અને અતિશક્તિનું પ્રમાણ નહીં જેવું છે; પણ ખરી જરૂર એટલી જ છે કે અનુભવી અભ્યાસીઓના અભાવે એ વાતે બરાબર પ્રકાશમાં આવી નથી. યુરોપીઅન અભ્યાસીઓમાંથી ઘણખરા જૈનધર્મના મૌલિક સિદ્ધાંતના પૂર જાણકાર ન હોવાથી તેમના હાથે અજાણતાં એવું મિશ્રણ થઈ ગયું છે કે આજે એ વાંચતાં હસવું આવે. ખુદ જે વાત બૌદ્ધગ્રંથોમાં નજરે જેવા પણ મળતી નથી અને જે કેવળ જૈનધર્મના ઘરની જ છે એમ કહીએ તે ચાલી શકે તે બાબતે બુદ્ધના નામે ચઢાવી દીધેલી દૃષ્ટિગોચર થાય છે.
ભારતવર્ષમાં કેટલાક નિષ્ણાત શેધકાને બાદ કરીએ તે બાકીનાઓએ કયાંતો આંગ્લ શોધકોનું આંધળું અનુકરણ કર્યું છે અથવા તો જેનધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચે કેટલુંક સામ્ય હોવાથી અને જાતે જૈનધર્મના ગ્રંથે જોવાની જરા પણ તસ્દી લીધી ન હોવાથી ભળતે ભળતું ચીતરી માયું છે.
સામાન્ય નજરે આ વાત વિચારતાં આપણામાંના મોટા ભાગને એમ જ લાગશે કે એમાં શું ? એથી શું બગડી ગયું? મિથ્યાત્વીઓ ગમે તેમ કહે અગર લખે તેથી શાસ્ત્રમાં ઓછું જ છેટું બનવાનું છે? પણ આ સાંત્વના શોધકહૃદયવાળાને ગળે ઊતરે તેવું ન ગણાય! શાસ્ત્રમાં બેટું કહ્યું નથી. એ જે સાચી શ્રદ્ધા હોય તે અત્યારના દરેક સાધનને ઉપયોગ કરી એ પુરવાર કરવાના પ્રયત્ન સેવવા જ જોઈએ, એમાં ઓછી શાસનસેવા નથી જ, જાણે અજાણે હજારો મનુષ્યો ઊંધે રાહે દેરવાઈ રહ્યા હોય તેમને સન્માર્ગે આણી શકાય એટલું જ નહીં પણ એમ કરવાથી જેનધર્મને વિજયધ્વજ ફરકી રહે. જૈનધર્મ એક એ ધર્મ છે કે જે વિશ્વધર્મ બનવાની સાનુકુળતાઓ ધરાવે છે એ વાત પુરવાર કરી શકાય. અશોકના શિલાલેખો તરીકે ઓળખાતા ધર્મ-ફરમાનેએ આજે જગતનું ધ્યાન આકર્ષે છે. પણ એમાંની વાતે શ્રી બુદ્ધના ઉપદેશ કરતાં શ્રી મહાવીરને ઉપદેશને વધુ મળતી આવે છે. વળી અશોકના બૌદ્ધધમપણે માટે જ્યાં એકમત નથી ત્યાં એ અંગેની શોધખોળ ખાસ જરૂરી છે. એના અનુસંધાનમાં અશોકચરિતમાંના ઉલ્લેખ મૂકી શકાય
અશકચરિત–અનુવાદક ભરતરામ ભાનુસુખરામ મહેતા. એમાંના કેટલાક ઉલ્લેખો
એમ. એમ. વિલ્સન સાહેબે અશોકના બૌદ્ધપથી હવા સંબંધી શંકા ઉઠાવી છે, એડવર્ડ થેમસ સાહેબનું મંતવ્ય છે કે અશક પ્રથમ જૈનપંથી હતા. અને જહેન ફેઈથકુલલીટ સાહેબના લખવા મુજબ શિલાલેખમાં અને સ્વંભલેખમાં જે ધર્મને ઉલ્લેખ કરેલો છેતે કાંઈ બૌદ્ધપંથીઓને ધર્મ ન હતા, (અશોચરિત પૃ. ૬૯-૭૦) :
* જૈન લોકેાના સંપ્રદાય તથા આછવકોને સંપ્રદાય અને એવા બીજા સંપ્રદાયો જે તત્વને કબૂલ ન રાખે એવું કાંઈ પણ તત્વ અશોકની ધર્મસ્મૃતિમાં જોવામાં આવતું નથી. (પૃ. ૧૧૨). - જૈન સાહિત્યમાં “ગga” શબ્દ છે તે “કવિનવ'ને બરાબર મળતા આવે છે. આવના'ને લગન પિયસિને સિદ્ધાંત બૌદ્ધસાહિત્યમાંના ત્રણ પ્રકારના કે ચાર
For Private And Personal Use Only