SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮]. નિહનવાદ [ ૨૪૫] હું કહું છું કે જીવ અને અજીવ બે જ રાશિ છે. પ્રત્યક્ષ બે જ રાશિ દેખાય છે માટે. અર્થાત નરનારી, પશુ-પક્ષી, કીડી-મકેડી, માખી-મચ્છર, ચાંચડ-માંકડ વગેરે સર્વ જીવ છે, સોનું-રૂપું, ઇટ-ચૂનો, લોઢું–લાકડું વગેરે સર્વ અજીવ છે. આ સિવાય જીવ નામની કોઈ પણ વસ્તુ મળતી નથી માટે બે જ રાશિ છે, પણ ત્રણ રાશિ નથી” પરિવ્રાજક પ્રત્યક્ષ અનુભવથી બે રાશિની સ્થાપના કરી. પરિવ્રાજકજી ! તમે સુન્દોષસુખ્ય ન્યાયથી બને અનુમાન વ્યર્થ જશે એમ કહે છો તે ઠીક નથી. જો કે એક વસ્તુ માટેના પરસ્પર વિરુદ્ધ અનુમાન કરવામાં આવે ત્યારે સત્મતિપક્ષિત નામના હેત્વાભાસથી બને અનુમાને નકામાં થાય છે, પણ તે કયારે કે જ્યારે બન્ને અનુમાન સરખાબળવાળાં હોય. પરંતુ જે એક અનુમાન વિશેષ બળવાળું હોય અને બીજું અનુમાન નિર્બળ હોય તે નિર્બળ અનુમાનને બલિષ્ઠ અનુમાન નકામું કરી તેને જ સમ્પ્રતિપક્ષ દેખથી દૂષિત કરીને પિતે પોતાના સાથની સિદ્ધિ કરે છે. માટે તમારું અનુમાન સત્રતિપક્ષ સાથે અસાધારણ નામના દોષથી પણ દૂષિત હોવાથી નિર્બળ છે માટે તે નકામું થાય છે. ને અમારું અનુમાન સાથે સિદ્ધ કરવા સમર્થ બને છે. વળી તમે જે પ્રત્યક્ષ અનુભવ બે જ રાશિને થાય છે માટે બે રાશિ છે એમ સિદ્ધ કરે છો એ તે તમારી નરી અજ્ઞાનતા જ છે. તમે તમારા જ્ઞાનચક્ષુઓ ખેલીને જગતને નિહાળ્યું નથી એટલે તમને નોઝવે નામની વસ્તુ દેખાઈ નથી. જગતમાં નોવ નામની વસ્તુ વિદ્યમાન છે, ને તે પ્રત્યક્ષ દેખાય છે. જુઓ-દેખાતાં ઈન્દ્રિયવાળા પ્રાણીઓ જીવ છે. કાષ્ઠ, પત્થર વગેરે અજીવ છે. ને તરતનું કપાયેલ ગિળીનું પુછ નજીવ છે. જેમ વળ દીધેલ કાથીની દોરી સ્વયં ચેષ્ટા કરતી હોવાથી અશ્વ નથી, ને સુખ દુઃખનો અનુભવ કરતી ન હોવાથી છવું નથી માટે નો જીવ છે, તેમ છેદાયેલ ગિરાળીનું પુચ્છ ચેષ્ટા કરે છે ને સુખ-દુઃખને અનુભવ નથી કરતું માટે જીવ છે. એ પ્રમાણે જીવ નામને પદાર્થ પ્રત્યક્ષ દેખાતો હોવાથી જીવ, અજીવ અને નેત્ર, એ ત્રણ રાશિ સિદ્ધ થાય છે” શ્રી રેહશું તે પરિવ્રાજકના મતને દૂષિત કરી પિતાના અનુમાનથી અને પ્રત્યક્ષ પ્રમાણુથી ત્રણ રાશિની સિદ્ધિ કરી. - “મુનિજી! ગિળીના તરતના કપાયેલા પુચ્છને તમે નો જીવ તરીકે ઓળખાવો છો તે યથાર્થ નથી. કારણ કે જ્યાં સુધી તેમાં ચેષ્ટા થાય છે ત્યાં સુધી તેનો જીવમાં સમાવેશ થાય છે ને ચેષ્ટા બંધ પડયા પછી તેનો સમાવેશ અછવમાં થાય છે. વળી વળ દીધેલ કાથીની દેરી તે અજીવ જ છે. ચેષ્ટા તો તેને વળ દીધેલ હોવાથી થાય છે. જેમ તળાવ હોય ત્યાં ગોળ પત્થરને દેડ હોય તે સ્વયં ગતિ કરે જ જાય છે તેથી તે કંઇ જીવ કે નજીવ થઈ શકતો નથી. કારણ અને સંવેગોને પામી અજીવ પણ ચેષ્ટા કરે છે તે પ્રત્યક્ષ દેખાય છે. માટે જીવ નામની વસ્તુ કઈ સિદ્ધ થતી ન હોવાથી જીવ અને અજીવ એમ બે જ રાશિ સિદ્ધ થાય છે.” પરિવ્રાજકે રેહગુપ્ત ગિળીના પુચ્છમાં નજીવની સ્થાપના કરી હતી તેનું ખંડન કરી બે રાશિની સિદ્ધિ કરી. પરિવ્રાજકજી ! ગિરેલીના ચેષ્ટાવાળા દાયેલા પુચ્છને તમે જીવમાં ગણુ છે. ને ચેષ્ટા બંધ પડેથી અછવમાં ગણુ છે. ઠીક, જ્યારે તેનામાં ચેષ્ટા થાય છે ત્યારે તેને કયા જીવમાં સમાવેશ થાય છે. જે ગિરોલીનું તે પુચ્છ છે તે જીવમાં કે કોઈ જુદો For Private And Personal Use Only
SR No.521589
Book TitleJain_Satyaprakash 1943 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy