________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૨
મને પેાતાને પણ આ ગ્રંથભંડારની તાડપત્રીય હસ્તપ્રતો પરથી સ્વસ્થ ચીમનલાલ દલાલે નહિં ઉતારી એવી ગ્રંથપ્રશસ્તિએ ઉતારવાના અમૂલ્ય અવસર ત્યાંના વહીવટદારોની તથા પૂજ્ય ગુરુવર્ય શ્રી જિનરિસાગરસૂરીશ્વરજીની મદદથી પ્રાપ્ત થયા હતા. મારા અઢાર દિવસના ત્યાંના વસવાટ દરમ્યાન સાતેક વખત મને અપેારના ગ્રંથભંડારની પ્રશસ્તિ ઉતારવાતા સુયેગ પ્રાપ્ત થયેા હતો. આ ગ્રંથભંડારમાંની કેટલીક પ્રશસ્તિ જે મેં ઉતારી લીધી છે, તે શે આણુદૃષ્ટ કલ્યાણજીની પેઢીની એરીસમાં છે. મારા આ કા દરમ્યાન તાડપત્રીય પ્રત નંબર ૨૫૨ ની ભગવતી વૃત્તિની ૪૩૫ પત્રની સર્વત ૧૬૭૪ ની સાલમાં લખાયેલી પ્રતની ઉપર તથા નીચે બાંધેલી લાકડાની ખે પાટલીએ પર બાવિસૂરિ તથા દિગમ્બર કુમુદ્રની વચ્ચે આશાપલ્લીમાં ઍલા વાદવિવાદને લગતા ઐતિહાસિક પ્રસ`ગ જોવા મળ્યાં હતાં; જેના ફૅટાકા લેવડાવી લીધા હતા, અને તે પણ ગે આણુંદજી કલ્યાણજીની પેઢીની ઓફિસમાં ૬,
આ ભંડારમાં કેટલાંક તાડપત્રોનાં છૂટક પેટલાં પણ બાંધેલાં પડેલાં , રે જાતાં ત્યાંના કાર્ય વાકાની તે પ્રત્યેની ઉપેક્ષા દેખાઈ આવે છે. હું ઇચ્છું હ્યુ કે જો સમય હાય તે। શ્રીયુત જિનવિજયજી તે પેટલાંમાંની સામગ્રીની પણ જરૂર તપાસ કરશે. આ ભંડારની સાથે સાથે કાગળની હસ્તલિખિત પ્રતે પણ સારી સખ્યામાં છે. આ ભંડાર વિદ્યાતાથી જરા પણ અજ્ઞાત નથી, છતાં પણ હજી સુધી તેની બરાબર જોઇએ તેવી તપાસ થઈ હાય એમ લાગતું નથી. શ્રીયુત જિનવિજયજી દ્વારા હાલમાં બરાબર તપાસ થાય છે એ જાણીને કયા સાહિત્યસેવીને આનંદ નહિ થાય ?
ઉપરોક્ત ભડારમાં જવાની સીડીના ઉપરના ભાગમાં પીળા આરસના બે શત્રુજય ગિરનારના પટો છે; આ અને પટો સંવત ૧૫૧૮ ની સાલના છે (. લે. સ, ભા. ૩. લેખાંક ૨૧૪૦-૨૧૪૧). પ્રવેશદ્વારમાં દાખલ થવાના દ્વારના ઉપરના ભાગમાં મંગલમૂર્તિ તરીકે એક નાની પીળા પાષાણની જિનમૂતિ છે. જમણી બાજુએ ઉપરાક્ત એ પટા ભીંતના ટકે રાખેલા છે, અને ડાબી બાજુની ભીંત પર ચૌદ સ્વપ્ન જાળીમાં કાતરેલાં છે.
પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ ડાબા હાથ પર આ જિનમદિરા ૩૫ લીટીને લેખ એક પાળા પાષાણુ પર કાતરેલા છે. (જે. લે. સ. ભા. ૩ લેખાંક ૨૧૩૯). પ્રવેશદ્રારહ્માંથી અંદર જતાં ઠેઠ ગભારા સુધી બંને બાજુ એટલી પર આરસની નાની મોટી જિનપ્રતિમાએ સ્થાપન કરેલી કંઠે: તે પૈકી ડાબા હાથ તરફ ૩૬ નાની મોટી જિનપ્રતિમા તથા એક પીળા પાષાણનો નંદીશ્વરદીપનો પટ અને 1 પીળા પાપણના ચોવીશ જિનત પટ છે; જ્યારે જમણા હાથ તરફ માદેવા માતાની પીળા પાષાણુના હાથી પર બિરાજમાન શ્કેલી કૃતિ છે, તથા નાની મેડી ૪૧ જિનપ્રતિમા પાષાણની છે. ખાસ કરીને જમણી બાજુના પીળા પાષાણના છે તારણાનું નકસીકામ બહુ જ કલાત્મક ૐ, જેના ઉલ્લેખ સુદ્ધાં સ્વસ્થ નહાએ તેમના ‘સલમેર ' કે જૈનલેખસમહના વીત્ ભાગમાં કર્યાં નથી. આ બંને તારણોની અંદરના ભાગમાં પીળા પાષાણુની નાની નાની ૧૯ જિનપ્રતિમા શિલ્પીએ કાતરેલી છે, આ બન્ને તારણા અંધારામાં હોવાથી તેના ફોટાએ લઇ શકાયા નથી. પરંતુ બંને તારા પરના લેખા નાહરજીના પુસ્તકમાં છૂપાએલા નિહ હાવાથી મેં ઉતારી લીધા હતા, જે નીચે પ્રમાણે છે:-~~
For Private And Personal Use Only