________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી?
~ [ એક વિચારણા ] – લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી
(ગતાંકથી ચાલુ) ગયા અંકમાં, ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી એ સંબંધી ભિન્ન ભિન્ન તેર ઉલેખ આપણે જોયા. હવે એ ઉલ્લેખના આધારે કંઇ નિર્ણયાત્મક વિચાર કરીએ તે પહેલાં મહામાત્ય ઉદયનની અંતિમ પ્રતિજ્ઞા સંબંધી, ગિરનારની નવી પાજ બંધાઈ તે પહેલાંની જૂની પાજ સંબંધી તેમજ નવી પાજ કોણે બંધાવી એ સંબંધી જે બીજા ઉલ્લેખો મળ્યા છે તે પહેલાં જોઈ લઈએ. મહામાત્ય ઉદયનની અંતિમ પ્રતિજ્ઞા સંબંધી વધુ ઉલલેખે –
આ સંબંધી પાંચ ઉલ્લેખો આપણે જોયા છે. તે ઉપરાંત નીચે મુજબ ત્રણ વધુ ઉલ્લેખે મળ્યા છે– . (૬) વિ. સં. ૧૭૩૪ માં શ્રી પ્રભાચંદ્રાચાર્ય કૃત “ઘમાતા-રિત્ર'માંના : કિમવંરિપ્ર” માં
मृत्यौ विप्रतिसारो नास्माकं विज्ञापयामि तत् । किंचिन्मन्नंदनस्यास्य वाग्भटाख्यस्य कथ्यताम् ॥ ४४६ ।। शत्रुजयमहातीर्थे प्रासादस्य परिश्रुतः । जीर्णोद्धारस्ततः श्रेयोहेतु स विधीयताम् ॥ ४४७ ॥
અર્થાત–“મને મરણને પસ્તાવો નથી, પણ મારે એટલું જ કહેવાનું છે કે મારા વાલ્મટનામના પુત્રને જણાવજે ક—(મું) શત્રુંજય મહાતીર્થના મંદિરને
દ્ધાર કરવાની પ્રતિજ્ઞા કરી છે તો મારા કલ્યાણમાટે એ જીર્ણોદ્ધાર) તું કરાવજે .”
(૭) વિ. સં. ૧૫૩ માં શ્રી સોમધર્મગણિકત “શિક્ષતિઅધિકાર ૨ ઉપદેશ ૧ માં–
ततो गतः पुनस्तत्र, संजाते घोरसंगरे । प्रहारजर्जरीभूतो, जगाद निजसेवकान् ॥ ६ ॥ शत्रुजये भृगुपुरे, गिरिनारगिरौ तथा । प्रासाद-पद्यविषया, अभूवन्मे मनोरथाः ॥ ७ ॥
અર્થાત–“(મંત્રી ઉદયન) ત્યાં ગયા અને ભયંકર યુદ્ધ થયું અને શિસ્ત્રોના) પ્રહારોથી ઘાયલ થયેલા એવા તેમણે પિતાના નોકરને કહ્યું–શત્રુંજય અને ભરૂચમાં મંદિર બંધાવવાના અને ગિરનાર તીર્થમાં પાજ બંધાવાના મારા મનોરથે હતા.” (૮) વિ. સં. ૧૫૧૮માં શ્રી રત્નમદિગણિતકૃત ‘ ઘાતળી ” પૃ. ૧૨૧ માં
છીનાદવમસ્ત્રિ શ્રીરાäનયોદ્ધા–રાવરકુવામા -મુગુसमलिकाविहारोद्धार-तीर्थद्वययात्रादि-मनोरथाः स्वपितृ मं. उदायनसत्काः सफलीकृताः।"
For Private And Personal Use Only