________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઝામ રાજ્યમાં આવેલી
ઈલોરાની જૈન ગુફાઓ
સં- સ્વ. શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ.
સ૩. શ્રીયુત નાથાલાલ ભાઇએ સંગ્રહ કરેલા પુરાતત્તનું કે ઇતિહાસ સંબંધી કેટલાક મુખે અમારી પાસે છે, જે આ લેખની જેમ યથાવકાશ આ માસિકમાં અમે પ્રગટ કરવા ધારીએ છીએ, વ્ય.
ઈલેરાની જૈન ગુફાઓ હુમલેના નામના સૌથી ઉત્તરે આવેલા બ્રાહ્મણી મંદિરથી આશરે બસ વારના અંતરે આવેલ છે. ટેકરી ઉત્તર ભાગ જે ચારણાદ્રિ કહેવાય છે તે ભાગ આ ગુફાઓથી રોકાઈ ગયા છે. ગુફાઓની સંખ્યા હાલમાં વધારે નથી, કારણ કે તેમાં પાંચ કે છ મોટાં ખેદકામોનો સમાવેશ થઈ શકે છે. આમ છતાં એટલું તે કહેવું જોઈએ કે આમાંનાં કેટલાંક ખોદકામ ખરેખર વિશાળ છે, એટલું જ નહીં પણ એક જ મંદિરમાં કેટલાએક ખંડોનો સમાવેશ થઈ જાય છે. આ ખોદકામો જુદા જુદા સમયકાળનાં છે. તેમને સમયકાળ આઠમા થી તેરમા સૈકા સુધીનો હોવો જોઈએ, કારણ કે આ પ્રદેશમાં કેટલાએક જૈન રાજાઓ આ સમયમાં રાજ્યકર્તા થઈ ગયેલ છે. જૈનસાહિત્યમાં એ ઉલ્લેખ છે કે મહારાજા સંપ્રતિએ ઈલેરાગિરિ ઉપર નેમિનાથબિંબ (મતિ)ની સ્થાપના કરી હતી.
અહીંનાં ગુફામદિર ભારતવર્ષના શિલ્પની એક અમર આકૃતિ છે. તેમ એનાં દર્શન એ જીવનની અનેરી લ્હાણું છે. કોઈ પણ સાચા શિલ્પી, ચિત્રકાર, ઇતિહાસતત્ત્વ કે ધર્મના જિજ્ઞાસુને માટે એમાં અભ્યાસ કરવાની અખૂટ સામગ્રી ભરેલી છે. આ શિલ્પધામમાં અકેક ખડકમાંથી જે ભવ્ય અને વિશાળ વિહાર અથવા મંદિરે કોતરી કાઢવામાં આવ્યાં છે, તેમાં અદ્યાપિ પર્યત અજોડ કળા સચવાઈ રહેલ છે. આ સ્થળની બીજી મહત્તા એ છે કે આર્ય સંસ્કૃતિની ત્રણ શાખાઓ જૈન, બૌદ્ધ અને હિન્દુઓને તે પવિત્ર સંગમ છે. ગુફાઓ માંહેની કેટલીએક કૃતિઓ તે વિશ્વવિખ્યાત માઈકલ એજેનાં પૂતળાઓની હરિફાઈમાં પણ બરાબરી કરી શકે તેવી છે. ગુફાઓના સમૂહમાં નબર એકથી બાર સુધીની બૌદ્ધ સંપ્રદાયની છે, તેથી ઓગણતરીસ નંબર સુધીની હિંદુઓની છે અને ત્રીશથી ચેતરીસ ગુફાઓ જેની છે.
૪ આ ગુફાઓનું સશેધન નિઝામ રાજ્યના પુરાતત્વખાતા તરફથી કરવામાં આવ્યું છે. ૧ તપાગચ્છ પઠ્ઠાવલિ.
૨ તપાગચ્છ પટ્ટાવલીમાં જણાવેલ છે કે–મહારાજા સંપ્રતિએ છેલેરગિરિ ઉપર નેમિનાથ બિંબની સ્થાપના કરી હતી. (જુઓ તપાગચ્છ પટ્ટાવલી)
અઢારમી શતાબ્દિની શરૂઆતમાં જૈનાચાર્ય વિબુધવિમળસૂરિ ઇલારગિરિની યાત્રાએ ગયા હતા. અને ત્યાંના છ ગુફામંદિરનાં દર્શન કર્યા હતાં.
For Private And Personal Use Only