SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] અનાઈટનકાઈની જેને ગુફા [૪૯] વરતુ છે. એ વસ્તુ તેઓ તાપ ઉપર ફેંકતી જણાય છે. મંદિરનું દ્વાર ભાયુક્ત આકૃતિ વિનાનું છે. મંદિર બાર સમચોરસ ફુટ છે. અને તેની મધ્યમાં મૂર્તિ માટે જગ્યા છે, તેની પછવાડે જમણી બાજુએ એક હોટું બાંકુ છે, એ વાટે નીચેના નાના ખંડમાં જઈ શકાય છે. એ ખંડમાં એક મૂર્તિ છે. આ મૂર્તિ મંદિરમાંથી ફેંકી દેવામાં આવેલી હોય એમ લાગે છે. મૂર્તિઓ માટે નીચેના ભાગમાં ગુપ્ત ખડે રાખવાનો રીવાજ મહમદ ગીઝનીના હુમલા પછી ચાલુ થસે છે. જે વખતે મુસ્લીમોએ મૂર્તિ ભાંગવાનું કામ કરવા માંડયું હતું તે વખતે આ મંદિર ઉપયોગમાં હતું. ચેથી ગુફાને બે જંગી સપાટ ચેરસ સ્થંભો છે. એ સ્થભ પડસાળની મોખરે આવેલા છે. પડસાળની લંબાઈ ૩૦ ફુટ અને પહોળાઈ ૮ ફુટ છે. બારણું પહેલા નંબરની ગુફા જેવું જ છે. ખંડની ઊંડાઈ મઢાર ફૂટ અને પહેલાઈ ચોવીસ ફૂટ છે. તેની છતને મધ્યમાંના બે થંભોથી ટકે મળી રહે છે. બાજુની દીવાલે ઉપર તેમજ મોખરે અને પાછળના ભાગમાં પણ સ્થભે છે. એ સ્થંભની રચના હાલના શિલ્પયુક્ત મંદિર જેવી છે. પાછલી દીવાલના ભાગમાં એક બાંકડે છે ને મંદિરના દ્વાર તરક પગથીયાંની ગરજ સારે છે. મૂતિની બેઠક પાછલી દીવાલ તરફ છે. એ દીવાલની અંદર એક કમાનવાળા ગોખલે કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પણ એ કામ અધૂરું જ રહ્યું છે. પડસાળની ડાબી બાજુના સ્થંભ ઉપર એક શિલાલેખ છે જે ભાગ્યે જ વાંચી શકાય છે, તેની લીપી ઈ. સ.ના અગીઆરમા કે બારમા સૈકાના અરસાની છે. પૂર્વ બાજુનાં બીજાં ખોદકામો વધારે નાનાં છેતેઓ ઘણું તૂટી પડયાં છે, અને તેમને ઘણું નુકશાન થયું છે. તેમનાં બારણું પહેલી અને બીજી ગુફાઓનાં બારણાં જેવાં છે. આમાંના એક મંદિરમાં તીર્થકરની મૂર્તિ છે. આ ખેદકામે ઓછા વધતા અંશે પુરાઈ ગયાં છે. ધ-સતરમી શતાબ્દિ આસપાસમાં થઈ ગયેલ વિદ્વાન કવિ મહોપાધ્યાય શ્રી. મેધ વિજયજીએ પોતાના થયેલ ચાર્તુમાસ દરમ્યાન એક વિજ્ઞપ્તિપત્ર જેનું નામ “મેઘદૂત સમસ્યા લખ” છે, એ વિનંતિપત્ર તૈયાર કરી આચાર્ય વિજયપ્રભસૂરિને દીવબંદર મોકલી આપેલ, જેમાં ઔરંગાબાદથી દીવબંદર સુધી ભૌગોલિક તેમજ પ્રાકૃતિક જ્ઞાનનો પરિચય કરાવેલ છે. તે “મેઘદૂત સમસ્યા લેખ”ના શ્લેક ૪૭માં અકિટાણુકી પર્વત માટે ઉલ્લેખ કરતાં જણાવેલ છે કે-પૂર્વ કાળમાં પાર્શ્વનાથ ભગવાનની આ ભૂમિ પર ફરસના થયેલ છે તેથી આ સ્થળ અતિ પવિત્ર મનાય છે— गत्यौत्सुक्येऽप्यणकिटणकीदुर्गयोः स्थेयमेव पार्श्वस्वामी स इह विहृतः पूर्वमुर्वीशसेव्यः । जाग्रदूपे विपदि शरणं स्वर्गिलोकेऽभिवन्धमत्यादित्य हुतवहमुखे सम्भृतं तद्धि तेजः ॥ १७ ॥२.. Gazetteer of Bombay Presidency. Vol. 16. PP.. 423-24. ૨ વિજ્ઞપ્તિ ત્રિવેણી મુનિ જિનવિજયજી, પૃષ્ઠ૨૨ For Private And Personal Use Only
SR No.521571
Book TitleJain_Satyaprakash 1941 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy