________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૧૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬ બીજું બૌદ્ધ સ્મૃતિને વસ્ત્ર–ઉત્તરીય વસ્ત્ર, ઉપવીત આદિ ચિહ્નો દેખાય છે તેમાંનું એક પણ ચિહ્ન આ મૂર્તિમાં બતાવશે ખરા ? શ્રીયુત શાસ્ત્રીજી મૂર્તિમાં એક હથેલીમાં બીજી હથેલી રાખેલી હોવાથી બૌદ્ધ મૂર્તિની કલ્પના કરે છે. પરંતુ તેમની આ માન્યતા ભૂલભરેલી છે. બૌદ્ધ સ્મૃતિએ જુદી જુદી મુદ્રાએથી અંકિત હોય છે, તેની ઘણી મુદ્રાઓમાંની એવી એક મુદ્રા હોય છે કે હથેલી પર હથેલી હોય, પરંતુ જૈન મૂર્તિઓમાં તો, ખીજ કાઈ મુદ્રા છે જ નહિ; ખેડેલી–પદ્માસનસ્થ જિન મૂર્તિ, પછી તે પ્રાચીન હૈ। કે અર્વાચીન હા, દરેકમાં હથેલી ઉપર હથેલી હાય જ છે એટલે આ દલીલ તા બૌદ્ધ કરતાં જૈન મૂર્તિની તરફેણમાં વધુ જાય છે. આ પછી શાસ્ત્રીજી બીજા એ કારણો આપી આ મૂર્તિને બૌદ્ધ સ્મૃતિ હોવાનું જણાવે છે પરંતુ તે કારણેા પણ સખળ નથી : (૧) સ્મૃતિના મધ્ય ભાગમાં ધર્માંચક છે. (૨) મૃતિની આંખેા ચકચકિત છે. હવે પહેલું કારણ જોઈએ—
પ્રાચીન સમયની જૈન મૂર્તિઓમાં ધર્માંચક્ર જરૂર મળે છે. જેમકે મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી અને લખૌનના મ્યુઝીયમમાં રહેલી ઘણીખરી જૈન મૂર્તિ એમાં ધર્માંચક્ર વિદ્યમાન છે. હું આ સબંધી મ્હારા મથુરાના મ્યુઝીયમની જૈન મૂર્તિ એના પરિચયમાં વિગતવાર લખી ગયા છું; તેમજ પટના, રાજગૃહી અને ક્ષત્રીયડના જૈન મદિરામાં પણ આવી મૂર્તિ-ધર્મચક્ર વાળી સ્મૃતિ'એ-છે. મારવાડની પંચતીર્થીના સુપ્રસિદ્ધ જીવિતસ્વામી-શ્રીમહાવીર પ્રભુની સ્મૃતિ, નાદીયામાં છે ત્યાં પણ ધચક્ર છે અને અમદાવાદનાં મદિરા કે જેમાં પરિકર છે તેમાંની કેટલીકએક મૂર્તિમાં ધર્માંચક્ર અત્યારે વિદ્યમાન છે. શ્રીમાન્ શાસ્ત્રીજી આ ધર્માંચઢ્ઢા બરાબર નિહાળી પાતાની એ ભૂલ સુધારે કે ધર્માંચક્ર કેવળ બૌદ્ધ સ્મૃતિઓને જ હાય છે એવું નથી પણ જૈન સ્મૃ`િને પણ ધ ચક્ર હોય છે. તેમજ અપરાજિત વગેરે શિલ્પમ્રથામાં પણ ઉલ્લેખ મલે છે કે જૈન કૃતિઓમાં ધર્મ ચક્રની રચના કરાય છે.
હવે બીજું કારણ જોઇએ. અહીંની જૈન મૂર્તિ ચકચકત તે છે આ જોઇ શાસ્ત્રીજી લખે છે—એથી ઉલટું ચકચકિત ચક્ષુ બૌદ્ધોએ ના પાસેથી અપનાવેલી હાય એમ લાગે છે, કારણ કે બૌદ્ધ મૂર્તિ કે ચિત્રામાં તે પ્રચલિત નથી. જો કે તેમાં પણ કવચિત્ મળી આવે છે ખરી. આવી મૂર્તિના ઉદાહરણ માટે (ચિત્ર પ્લેટ છ વાળી) તાર’ગાની ટેકરી ઉપરની બૌદ્ધ સ્મૃતિ (તારાદેવી)ને હું ઉલ્લેખ કરુ છું.”
શાસ્ત્રીજી આ મૂર્તિમાંની ચકચકિત ચક્ષુ જોવા છતાં–એક સ્પષ્ટ પુરાવા જેવા છતાં, એમ લખી મનમનાવે છે કે જેના પાસેથી આ કળા અપનાવેલી છે; ખરી રીતે કાઇ પણુ બૌદ્ધ સ્મૃતિમાં આવી ચકચકિત ચક્ષુએ હોતી જ નથી. જે તારાદેવીનું દૃષ્ટાંત તે આપે છે ત્યાં પણ તેઓ ભૂલ્યા છે. તારાદેવી એ બુદ્ધદેવીની મૂર્તિ નથી; એમની માન્યતાનુસાર એક સામાન્ય દેવીની મૂર્તિ છે. ખરી રીતે આ મૂર્તિ પશુ બોદ્ધ માન્યતાનુસારિણી નથી પરંતુ એક જૈનશાસનાધિાયિની દેવીની મૂર્તિ છે. પરંતુ હું એ ચર્ચા અત્યારે નહિ કરું. શ્રીયુત શાસ્ત્રીજીને મારું સાદર નિમંત્રણ છે કે કાઇ પણ ખુદ્ધ મૂર્તિ આવી ચકચકત
‘જૈનયાતિ’માસિક તથા આ ‘જૈન સત્ય પ્રકાશ'ના અ।માં મે આ સબધી લખ્યું છે.
For Private And Personal Use Only