________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] શ્રન નિવેદન
[૨૫] આપણે પૂજ્ય મુનિરાજે અનેક વિષયના ઊંડા વિદ્વાન હોય છે. એટલે અત્યારના સંયોગો પ્રમાણે તેઓની વિદ્વત્તાને લાલ નાના નાના વિવિધ વિષયના લેખ દ્વારા જેન તેમજ જૈનેતર જનતાને સમયે સમયે મળતું રહે એ ઘણું જરૂરી છે. આવા લેખે અનેક પ્રકારની ગેરસમજોને દૂર કરી સાચી પરિસ્થિતિ સમજાવી શકે છે. આવા લેખો પ્રગટ કરવાનું કાર્ય પુસ્તક કરતાં વર્તમાન પત્રો કે સામયિકે દ્વારા વધુ સારી રીતે બની શકે છે. અત્યારસુધી પૂજ્ય મુનિરાજેમાં મોટે ભાગે પુસ્તક લખવાની પ્રથા હોવાથી આવા લેખ લખવાનો લગભગ અભાવ હતો, પણ “શ્રી જૈન સત્ય પ્રકાશે પૂજ્ય મુનિરાજેને સહકાર મેળવીને તેમણે લખેલા વિવિધ વિષયના લેખે મારફત આ અભાવને દૂર કરવાને જે પ્રયત્ન કર્યો છે એ સમિતિ માટે શૈરવનો વિષય છે.
શ્રી જૈન સત્ય પ્રકાશના વાચકે જોઈ શક્યા હશે કે અનેક પૂ એ અનેક પ્રકારના લેખે આપીને માસિકને સમૃદ્ધ બનાવવામાં સુંદર સહકાર આપે છે. અમને આશા છે કે આ સહકાર હજુ પણ વધશે અને તેમની વિદ્વત્તાને લાભ વધુને વધુ પ્રમાણમાં અમે જનતાને અપાવી શકીશું. - આપણુ પૂજ્ય મુનિસમુદાયની વિદ્વત્તાને લાભ આ રીતે જનતાને મળે અને એ પૂજ્યવ પણ કોઈ પણ પ્રકારની શંકા વગર નિસંદેહપણે પોતાના લેખે મેકલી શકે અને તેમના લેખે કઈ પાય પ્રકારની ટીકા-ટિપણી વગર પ્રગટ કરી શકાય તે માટે “શ્રી જૈન સત્ય પ્રકાશ જેવા માસિકની ઘણી જ જરૂર છે. સમાજે આ દષ્ટિએ પણ સમિતિ અને માસિકને નભાવવાં જોઈએ.
ઓછું લવાજમ તેમજ ભેટ શ્રી જૈન સત્ય પ્રકાશના વાચકો જોઈ શક્યા હશે કે તેમાં કોઈ પણ પ્રકારની જાહેરખબરમાં જગ્યા રોકવામાં નહીં આવતી હોવાથી વર્ષ દહાડે લગભગ ૫૦૦ પાનાનું સંગીન વાચન આપવામાં આવે છે. અને આમ છતાં તેનું લવાજમ માત્ર બે રૂપિયા જ (અને અમદાવાદ માટે તે માત્ર દેઢ રૂપિયે જ) લેવામાં આવે છે, જે પ્રમાણમાં ઘણું જ ઓછું ગણાય.
આ ઉપરાંત આ સમિતિની સ્થાપના શ્રી મુનિસંમેલને કરી તેથી તેને લાભ પૂજ્ય મુનિસમુદાયને વિશેષ પ્રમાણમાં મળતો રહે તેથી પૂજ્ય મુનિરાજેને આ માસિક કોઈ પણ પ્રકારનું લવાજમ લીધા વગર ભેટ આપવામાં આવે છે.
સમિતિ અને માસિકની ઉપયોગિતા ઉપરની હકીક્ત ઉપરથી બરાબર સમજી શકાય એમ છે કે સમાજસેવા માટે આ સમિતિ તેમજ આ માસિકની કેટલી ઉપયોગિતા છે, અને તે કેવું સુંદર કામ બજાવી શકે છે.
For Private And Personal Use Only