________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪િ૧૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ :
કુચકદમ કરી છે ખડ ધરતી પર આધિપત્ય જમાવ્યું. પણ આજે એ બધનું સ્મરણ કરવા સિવાય અન્ય કઈ જ નથી, દેવાલયની મૂર્તિઓ અને ચરણપાદુકા સિવાય ભૂતકાળને યાદ કરાવનાર બીજી કોઈ વસ્તુ વિધમાન નથી. અલબ નજીક માં સરયુ નદીને જળ પ્રવાહ છે ખરો. બીજી નગરીઓ કરતાં હજુ અધ્યા કઈક ટકી રહી છે. અન્ય દર્શનીએના ધમ પણ અહીં સંખ્યાબંધ છે, કેમકે રામલક્ષ્મણનું જન્મસ્થાન થવાનું સાભાગ્ય પણ એને જ વધુ છે. આજે પણ સીતાની શોધમાં સહાયક બનનાર હનુમાનજીના વસજો
અહીં વિપુલ પ્રમાણમાં દૃષ્ટિગોચર થાય છે. ભલે પછી એમાં એટલો ફેર રહે પેલા વિદ્યાશાળી હનુમન સતી અંજનના પુત્ર ને મનુષ્ય હતા જ્યારે આ તે તિ ને રક્ત મુખા છે. રેલવે માર્ગે ફૈજાબાદ સ્ટેશને ઉતરી વહનઠારા અધ્યા જવાય છે.
(૧૧) જગૃહ-ભૂતકાળે જેની વિશાળતા અડતાળીશ ગાઉની એટલે વિધમાન મુંબઈથી ચારગણું હતી અને જેની દ્ધિ સિદ્ધિને પાર ન હતે એવી ભાતવર્ષની મહાન નગરી કહે કે મગધ જેવા મહાન દેશનું પાટનગર કહે તે આ જ. જ્યાં ચરમ જિનેશ્વરે એક બે નહિ પણ ચદ ચેમાસા કરેલાં છે અને પ્રભુશ્રીને પરમ ભકત શ્રેણિક
જ્યાંને અધિપતિ છે એવું એ દેશ દેશાંતરમાં પણ સુપ્રસિદ્ધ રાજગૃડ નગર આજે માત્ર છેડા ઝુંપડામાં સમાપ્ત થઈ જાય છે. એક કાળે જ્ઞાન-વિવાથી ગજ તે નાલંદાપાડો આજે શો પણ જડે તેમ નથી. જ્યાં અભયકુમાર સમાં પ્રબળ બુદ્ધિમાન મત્રીશ્વરે રાજકારભાર ચલાવ્યું અને જ્યાં ધન્ય અને સાળિભદ્ર જેવા છે માનેએ વ્યવહારી જીવન ગાળી દશાદિશ નામના કહાડી અને જે સ્થળના અતિ અ૮૫ પુવાળા શ્રાવકા પુજે (પુંજીમાં માત્ર સાડા બાર કડા) એવું સમતાયુક્ત ધાર્મિક જીવન વ્યતીત કર્યું છે કે જેની પ્રશંસા ખુદ મહાવીરદેવે સ્વમુખે કરી છે. તેમના સામાયિકની તળે આવી શકે તેવું ભાગ્યે જ અન્ય કરી શકતું. તેથી તે જ્યાં ઉદહરણની જરૂર જણાતી ત્યાં તેમનું નામ લેવાતું. આવી ખ્યાતિધાક નગરી આજે હતી ન હતી થઈ છે, છતાં પર્વને સ્મૃતિ તાજી કરાવનાર વિપુલરિ, વૈભારગિરિ આદિ પાંચ ટેકર એ તે વિદ્યમાન છે. આજે પણ ત્યાં દહેરીઓ અને ચરણપાદુકાઓ શોભી રહી છે. વૈભારગિરિની તળેટીમાં ટાટા-ઉના પાણીના કુંડ યાત્રિકને આનંદ આપે છે. આજે પણ ધન્ય–શાલિભદ્દે અનશન કર્યું હતુ તે શિલા થાન અને શ્રેણિકને જ્યાં ભંડાર હતે એ ગુહા દેખાડવામાં આવે છે. ભૂતકાળની ઝાંખી કરાવવા શું એટલું બસ નથી ! ઉતરવા સારૂં ગામમાં સગવડવાળી ધર્મશાળા છે. વળી નજીકમાં દેવાલય પણ છે. સીધુંસામાત મળી શકે છે.
પાવાપુરી અને રાજગૃહીની સમિપમાં જ થોડા માઈલના અંતરાળે એક તરફ કુંડલપુર (ગેબરગામ ), બીજી બાજુ ગુણશીલન અને એથી થોડે દૂર ક્ષત્રીયડ નગર આવેલાં છે. નગરથી ચેડા ફાસલા પર નાની ટેકરી ચઢયા બાદ જ્યાં પ્રભુશ્રી મહાવીર જન્મ થયો હતો એ જગ્યા આવે છે. ધર્મશાળાની નજીકમાં જ નદી વહે છે. એ પ્રમાણે કાકદી નગરી પણ બહુ દૂર નથી. સુવિધિનાથની એ જન્મ ભૂમિ છે. કુંડલપુરથી બિહાર આવી ત્યંથી ટ્રેન મારફતે પટણા યાને પાટલીપુત્ર આવવું. પૂર્વકાળે એ સ્થાનો વિશાળાનગરી અને વશિલા કે પાટલીપુત્ર તરિકે વિખ્યાત હતાં. આજે પણ ત્યાં જિનમંદિરો તેમજ જૈનની વસ્તી છે. યાત્રિકો માટે સરાઈઓ તેમજ બીજી સેઈ પણ છે. કુંડલપુરથી થોડે
For Private And Personal Use Only