SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમહંત મહાકવિ શ્રી. ધનપાલનું આદર્શ જીવન લેખક–મુનિરાજ શ્રી સુશીલ વિજય (ગતાંકથી ચાલુ) ભીક્ષામાં આવેલ પાષાણને ટુકડો સ્તુતિ કરી રહ્યા બાદ, ગે ચરીને સમય થતાં તેઓ નગરમાં ભીક્ષા લેવાને ગયા. બરના મધ્યાહન સમયે સૂર્ય જેવા પ્રચંડ તેજવાળી આ કઈ વ્યકિત ચાલી આવે છે? –એમ સેને થતું, કેનાં ટોળેટોળાં તેમની પાછળ ચાલતાં હતાં. પધારે, પધારેના મનેહર શદેથી સૈ તેમનું સ્વાગત કરવા તૈયાર થતું! મુનિવર ચાલતાં ચાલતાં એક શ્રીમતને ત્યાં જઈ પહોંચ્યા. ધર્મલાભ કહીને તેઓ શાંત ચિત્તે ઉભા રહ્યા. તેમના મનહર દેહની ચારે તરફ અપૂર્વ તેજ વ્યાપી રહ્યું હતું. તેમના કોમળ શરીર ઉપર મુનિને વેશ શોભી રહ્યા હતાં. અષ્ટમીના ચંદ્રતુલ્ય ભવ્ય લલાટમાં જ્ઞાનજ્યોતિ ઝગમગી રહી હતી. તેમનું લાવણ્ય અન્ય જીવોને મંત્રમુગ્ધ બનાવી દેતું હતું. અને તેમની નિસ્પૃહતા તે અપાર હતી. શ્રીમતે હકષ્ટ હૃદયે, અનેકશઃ વન્દન કરતાં, બહુમાન પૂવર્ક મુનિવરને ભીક્ષા વહરાવવાની તૈયારી કરી. મુનિવરે ઝેલીમાંથી માત્ર બહાર કાઢી ભીક્ષા ગ્રહણ કરીને પાત્ર પાછું ઝેલીમાં સ્થાપન કરી દીધું. આશ્ચર્યપૂવર્ક મારે લખવું પડે છે કે એ સમયે એ ગીતાર્થ મુનિવરનું મન જિનેશ્વર પ્રભુની સંસ્કૃત કોમ સ્તુતિ રચવામાં તલ્લીન થઈ ગયેલું હોવાથી ત્યાં રહેલ પાષણને ટુકડે પણ ભીક્ષાની ઝેલીમાં આવી ગયું. મુનિવર ભીક્ષા ગ્રહણ કરી પાછા ઉપાશ્રયમાં પધાર્યા વાચનાચાર્ય પદવીથી અલકત ઉપાશ્રયે આવી ઝોળીમાંથી માત્ર બહાર કાઢતાં, પાત્રમાં રહેલ પાષણને ટુકડે પણ નીકળે. આ જોઈ અન્ય મુનિએ આશ્ચર્યચકીત બની સ્મિત વદને શોભન મુનિવરની સામે જોઈ રહ્યા. આ વખતે આચાર્ય મહારાજે પૂછયું કે- હે મુનિ, આ શું વહેરી લાવ્યા? આવું સૂરીશ્વરનું વચન સાંભળતાં જ શોભન મુનિવર કહેવા લાગ્યા કે હે સ્વામીન ! જિનેશ્વર પ્રભુની સ્તુતિ રચવામાં મારું મન અત્યન્ત તલ્લીન થયી ગયેલું હોવાથી, મારું ધ્યાન ન રહ્યું. આ શબ્દ સાંભળી સૂરીશ્વર આશ્રયમાં ગરકાવ બની ગયા. અને શનિને કહેવા લાગ્યા કે- હે શોભન ! “તે સ્તુતિઓ કેવા પ્રકારની બનાવી છે ?” શોભન મુનિએ- “મધ્યાત્મવિલોપનૈવત', ઈત્યાદિ ચોવીશે ભગવન્તની ચમકબંધ રચેલી નવી સ્તુતિઓ ગુમહારાજને કહી સંભળાવી. તે સાંભળી આચાર્ય મહારાજ ઘણા જ ૧–શેભન મુનિવરે યમયુકત ૨૪ તીર્થકરેની જે સ્તુતિઓ સંસ્કૃતમાં બનાવી છે, તે હાલ શોભન સ્તુતિ તરીકે પ્રસિદ્ધ છે તે સ્તુતિ પર ધનપાલે સંસ્કૃત ટીકા રચી. તેને અતિ એમ લખ્યું છે કે “તલ ચેન્નg rfeતષનrrી ” લી. (વિત) આ ટીકા, મૂલ અને તેના ગુજરાતી અનુવાદ તેમજ બીજી સંસ્કૃત અવચૂરી સહિત આગPદમ સમિતિના ને ૪૭માં મુકિત થયી છે. જૈન સાહિત્યને ઇતિહાસ (વિ. , પ્ર.૧) ટીપ્પણમાં પૃ. ૨૦૫ ૨૦૬. For Private And Personal Use Only
SR No.521529
Book TitleJain Satyaprakash 1938 02 SrNo 31
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy