________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
ચિત્ર
સંગ્રાહક:(૨) વલભીપુર
મુનિરાજ શ્રી યંતવિજયજી (શ્રાવિવિધતીર્થકલ્પ ઉપરથી ઐતિહાસિક સાર) | [શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિક્રમની ચૌદમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં રચેલા શ્રાવિવિધતીર્થકલ્પમાં શ્રીવલભીપુર માટે કોઈ ખાસ કલ્પ ઓ નથી. પરંતુ તેમાંના સત્યપુરકલ્પમાં વલભીપુર સંબંધી થોડીક હકીકત આવે છે. તે સૌને વિદિત થવા માટે જનતા સમક્ષ અહીં રજુ કરવામાં આવે છે. --- સંગ્રાહક.]
- ગુર્જર દેશના પશ્ચિમ વિભાગમાં અત્યંત સમૃદ્ધિવાળી વલભી' નામની નગરી હતી અને તેમાં શિલાદિત્ય નામને રાજ હતો. તેણે રત્નજડિત કાંકીના લોભથી તે નગરીમાં વસતા -- રહેતા રંક નામના શેઠને (તે કાંકરી ખુંચવી લઈને) અતિ પરાભવ કર્યો – તિરસ્કાર કર્યો. તેથી કોપાયમાન થઈને પિતાનું વેર લેવા માટે તે રંક શેઠ, પિતાની પાસેનું અઢળક ધન આપીને, ગીજનીપતિ હમ્મરને મોટા સૈન્ય સાથે વલભી ઉપર આક્રમણ કરવા માટે લાવ્યો.
તે વખતે શ્રીઅંબીકાદેવી – અંબાજી અને ક્ષેત્ર વાલની મૂર્તિઓથી યુક્ત શ્રી ચંદ્રપ્રભ ભગવાનની પ્રતિમા અધિદાયક દેવાના પ્રભાવથી આકાશ માર્ગ દ્વારા વલભીથી દેવપટ્ટણ+ જઈને વિરાજમાન થઈ અને શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા અધિષ્ઠાયક દેવોના પ્રભાવથી રથમાં બેસીને અદ્રશ્યપણે ચાલતી આસો શુદિ ૧૧ને દિવસે શ્રીમાલક નગરમાં પહોંચી. બીજા પણ અતિશય – પ્રભાવવાળા દેવ યાચિત સ્થાને પહોંચ્યા. વલભીનગરમાં ચોમાસું રહેલા શ્રીમાન વર્ધમાનસૂરિજીને ક્ષેત્રદેવીએ આવીને સ્વમમાં કહ્યું કે અહીં ઉત્પાત થવાનો છે; માટે આપને ભીક્ષામાં મળેલું દૂધ, લોહી થઈ જઈને તે પાછું જે ઠેકાણે દૂધ થઈ જાય ત્યાં જઈને આપે અને બીજા સાધુઓએ રહેવું. અર્થાત તે લોહીનું પાછું દૂધ થાય ત્યાં સુધી આગળ ચાલ્યા જવું. અરિજીએ તેમ જ કર્યું. પછી તે સૈન્ય વિ. સં. ૮૪પમાં વલભીનગરીનો ભંગ કરીને ત્યાંના શિલાદિત્ય રાજાને મારી નાંખીને હમ્મીર પિતાને સ્થાને ગયે.
| ( આ કલ્પ ઉપરથી જણાય છે કે – વિ. સં. ૮૪૫માં થયેલા વલભીના ભંગ સમયે અહીંથી અધિષ્ઠાયક દેવો દ્વારા શ્રી ચંદ્રપ્રભ ભગવાનની મૂર્તિ દેવપટ્ટણમાં અને શ્રી મહાવીર સ્વામીની મૂત્તિ શ્રીમાલનગરમાં જઇને વિરાજમાન થઈ તેથી એ સમયે તે બન્ને તીર્થોના પ્રભાવ – મહાજ્યમાં વિશેષ વધારો થયો હશે. – સંગ્રાહક.)
+ કાઠીઆવાડમાંના વેરાવળ બંદર પાસે આવેલ હાલનું પ્રભાસપાટણ, આગળના સમયમાં દેવપટ્ટણ” નામથી પ્રસિદ્ધ હતું
* આબુથી પશ્ચિમ દિશામાં આવેલું જોધપુર રાજ્યનું હાલનું જે ભીનમાલ ગામ છે, તે પહેલાં શ્રીમાલનગર’ એ નામથી પ્રસિદ્ધ હતું.
* શ્રીમાન જિનપ્રભસૂરિજીએ રચેલા “ચતુરશાતિ મહાતીર્થ નામસંગ્રહકલ્પ ”માં પણ લખ્યું છે ? - નદિવર્ધન રાજાએ કરાવેલ અને શ્રીગૌતમસ્વામીએ પ્રતિષ્ઠિત કરેલ શ્રીચંદ્રપ્રભ ભગવાનની મહાપ્રભાવશાળી પ્રતિમા વલભીનગરીથી આવેલી તે અહીં શ્રીપ્રભાસપાટણમાં વિરાજમાન છે. આ ઉપરથી જણાય છે કે - વલભીનગરથી પ્રભાસપાટણ ગયેલી શ્રીચંદ્રપ્રભ ભગવાનની મહાપ્રભાવશાળી મન નવધનરાનએ કરાવેલ અને તેની પ્રતિષ્ઠા લબ્ધિના ભંડાર શ્રીગૌતમસ્વામીએ કરી હતી.
For Private And Personal Use Only