SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૦ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ પૂજ્ય પ્રવર્તકજી મહારાજ છેલ્લાં ૫૦ વર્ષના ગાળામાં જે વખતે આગરા પધાર્યા હશે, તે વખતે આગરાના કોઈ પણ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે મૂળનાયકને ઉત્થાપન કરેલા હશે તે વખતે આ લેખ લખાયો હશે, કે જેથી પાછલના ભાગનો હોવા છતાં લેખ સંપૂર્ણ લઈ શકાય છે. એટલે એમ અનુમાન કરી શકાય કે છેલ્લાં ૫૦ વર્ષની અંદર આગરાના જે મંદિરનો જીર્ણોદ્ધાર થયો હશે તે મંદિરના આ બને લેખો છે. (આગરામાં જઈને તપાસવામાં આવે તો પાકી ખાત્રી થઈ શકે.) આમાંને બીજા નંબરનો લેખ આરસની મૂળનાયકજીની મૂર્તિ પરનો અને પહેલા નંબરનો આરસની બીજી કોઈ મૂત્તિપરનો છે. પહેલા નંબરના લેખના જેવા જ - સાલ, મિતિ અને લગભગ સમાન હકીકતના–લેખવાળી આરસની એક શ્વેતાંબરી મૂર્તિ આગરાના કોઈ પણ એક દિગંબર જૈન મંદિરમાં છે. કયા મંદિરમા છે તેનો ઉલ્લેખ કરેલો નથી. આ શિલાલેખ પણ “બે ઘટના” નામના લેખમાં આ અંકમાં પ્રગટ કરવામાં આવ્યો છે. (૧) सं. कुंरपाल सोनपाल प्रतिष्ठाया (याम् ) श्रीमत्संवत् १६७१ वर्षे वैशाख सुदी ३ शनौ श्री आगरादुर्गे उसवालज्ञातीय अंगावंशे सा० जीमा भा० जीमश्री पुत्र सा. पेमन भार्या मुक्तादे पुत्र सा० घेतसी सा० तेजसी पुत्र सा० कल्याणदासेन अंचलगच्छे पूज्य श्री कल्याणसागरसूरीणामुपदेशेन सुपासबिंबं प्रतिष्ठापितम् સંઘવી કુંવરપાલ સોનપાલે કરાવેલી પ્રતિષ્ઠામાં, વિ. સં. ૧૬૭૧ ના વૈશાખ સુદી ૩ ને શનિવારે આગરા નગરમાં ઓસવાલ જ્ઞાતીય અંગાવંસના શા છણાની ભાર્યા જિનશ્રી, તેમના પુત્ર શા. પેમનની ભાર્યા મુક્તાદે તેમના પુત્રો શા, ખેતસી અને તેજસી. તેમાંના શા. તેજસીના પુત્ર શા. કલ્યાણદાસે અંચલગચ્છના પૂજ્ય શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. (મૂલનાયકજીની મૂર્તિના મસ્તકની ચોટીની પાસે ચાર મણિઓની કીનારી પરની પંક્તિ) પાતિસારું શ્રી નીનિયર ! (એ જ મૂતિની પલાંઠીના આગળ (સન્મુખ)ના ભાગ પરની પંક્તિઓ.) संवत् १६७१ वर्षे गांधी गोत्रे साधा वंशे सा० गोल सा० राहुकेन श्रीमदंचलगच्छे पूज्य श्रीधर्ममूर्तिसूरिश्रीकल्याणसागरसूरीनामुपदेशेन नेम(मि)नाथ बिंबं प्रतिष्ठितम् । (એ જ મૂર્તિની પલાંઠીની બન્ને બાજુ તથા પાછળના ભાગને લેખ.) श्रीविक्रमार्क० समयातीतसंवत् १६७१ वर्षे वैशाख सुदी ३ शनौ रोहिणीनक्षत्रे गांधी गोत्रे साधाणीवंशे सा० पदमा भार्या पदमलदे तत्पुत्र सा० सोचा भार्यां For Private And Personal Use Only
SR No.521508
Book TitleJain Satyaprakash 1936 02 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy