SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વતિથિની હાનિ અને વૃદ્ધિને અંગે રામટોળીનો ઢંઢેરો ૧. આચાર્યશ્રી આનંદ વિમલસૂરિજીએ બે પૂનમની વખતે બે તેરસ કરી છે. કરાવી તે ભૂલ્યા. કે ૨. આચાર્યશ્રી વિજયદાનસૂરિજીએ સોલમી સદીમાં બે પૂનમની બે તેરસ આ0 કરી કરાવી તે ભૂલ્યા. આચાર્ય શ્રી હીરસૂરિજીએ ટીપ્પણાની બીજી પૂનમ અને અમાવાસ્યા આદિને જ ઉદયવાળી માની તે ભૂલ્યા. શ્રી વિજયસેનસૂરિજીએ બે અગ્યારસ હોય ત્યારે બીજી અગ્યારસને ઉદયવાળી માની તે ભૂલ્યા. શ્રી વિજયદેવસૂરિજીએ પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસનો ક્ષય અને વૃદ્ધિ કરવાનો પટ્ટક કર્યો તે ભૂલ્યા. પોતાના આચાર્ય આત્મારામજી, કમલવિજયજી, દાનવિજયજી, પ્રેમવિજયજી અને પોતે પણ પર્વતિથિની હાનિ કે વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર Io અપર્વતિથિની હાનિ કે વૃદ્ધિ કરી તે પણ ભૂલ થઈ. જ ન તા.ક. ઉપર મુજબની વાસ્તવિક અભૂલોને પણ અમો ભૂલો ગણીએ છીએ તે એમ જાહેર કરવા સાથે જાહેર કરીએ છીએ કે જેમ ભીખમપંથીયો , ભગવાન મહાવીરને ભૂલ્યા કહે તેમાં તેને શાસ્ત્રપાઠ આદિની જરૂર છે નથી તેમ અમારે પણ જરૂર નથી. નવીનમતના નેતાને કોઇએ રૂબરૂની ચર્ચા કરવા રૂપઝગડામાં ખેંચવા નહિં, વળી ભીખમપંથીયો જેમ સાચા લેખોના ખોટા અર્થો લખે છે તેમ અમે પણ ત્રિપત્રીની તરખટમાં કરીએ છીએ તેમાં નવાઈ ગણવી નહિં.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy