SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૨ Re A (ટાઈટલ પાના ૩ નું ચાલુ) 8 सव्वे भूआ सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा न अज्जावेयव्वा न परिघेतव्वा न परितावेयव्वा ] - રયળઆ શબ્દો વાંચનારા અને વિચારનારા મનુષ્યો સહેલાઈથી સમજી શકશે કે કોઈપણ ' કે કીડી-માખી-આદિ પ્રાણી કે ઝાડ-પાન-ફળ-ફુલ જેવો ભૂતો કે મનુષ્ય અને ઢોર પશુ, પક્ષી જેવા ઈ, જીવો કે બાકી કોઈપણ શરીરને ધારણ કરનારા સત્ત્વો જગતમાં પોતાના કર્મની વિચિત્રતાને અંગે પણ વિક વિચિત્ર અવસ્થા રહેલા છે, છતાં તેમાંથી કોઈપણ ભેદ વધ આદિને માટે લાયક જ નથી. ઉપર જણાવેલા વાક્યને વિચારનારો મનુષ્ય સમજી શકે તેમ છે કે ફક્ત જિનેશ્વર મહારાજનું શાસન જ કોઈપણ જીવને કોઈપણ જીવ વધ વગેરે કરી પીડા ઉપજાવવા લાયક છે એમ ગણતા હોય, અને તેથી મનુષ્યાદિ પ્રાણીઓ બીજા પ્રાણીઓ ઉપર પોતાથી જુદી રીતે વર્તવા માટે હક્કદાર છે, અગર તેમને તેઓ હક્ક પરમેશ્વરે આપેલો છે, ઉપર જણાવેલો જૈનશાસનનો ઉપદેશ એવી માન્યતા સર્વથા ઉખેડી નાંખે છે. આ વસ્તુ જ્યારે સમજવામાં આવશે ત્યારે સુજ્ઞ મનુષ્ય સમજી જા શકશે કે આ સૂત્ર ચારિત્રના વિષયને જણાવનારું નથી પરંતુ સમ્યકત્વના વિષયને જ જણાવનારું છે છે અને આ વસ્તુ સમજાશે ત્યારે શાસ્ત્રકા. જો વાક્યને સમ્યકત્વ નામના અધ્યયનની શરૂઆતમાં કે કેમ જણાવ્યું છે તેનું તત્ત્વ સમજાશે અને જ્યારે આ વાક્યને સમ્યકત્વના જ મૂલ તરીકે સમજવામાં આવશે ત્યારે તે વાક્યોમાં વાપરેલા તવ્ય પ્રત્યયનું તાત્પર્ય સમજાશે. સામાન્ય રીતે વ્યાકરણને કારણે જાણનારાઓ એ વાત તો સમજી શકે તેમ છે કે તવ્ય પ્રત્યય શક્ય વગર યોગ્ય અર્થમાં વ્યાકરણની દ્રષ્ટિએ વાપરી શકાય છે અને તેથી અહિં ભવ્ય પ્રત્યય દ્વારાએ નિષેધ કરીને અન્ય દર્શનકારો છે જે પ્રતિકૂળ પ્રાણીઓને હણવાદિકને યોગ્ય ગણીને ચાલતા હતા તે વસ્તુ સર્વથા અહિં ઉખેડી પર નાંખવામાં આવી છે અને સ્પષ્ટ શબ્દોથી જણાવી દીધું છે કે પ્રાણી વિગેરેના સંજોગો ચાહે જેવી દશાએ પ્રતિકૂળતાવાળા હોય તો પણ તે પ્રતિકૂળતાવાળા પ્રાણી વિગેરે જે પ્રતિકૂલતા કરે છે, તે માત્ર પ્રતિકૂળતાને પામનાર જીવોના કર્મના ફલ પ્રમાણે જ કરે છે એટલું જ નહિ, પરંતુ તે પ્રતિકૂલતા કે વિવેકી મનુષ્યો તો ખરેખર મોક્ષનું સાધન ગણે છે, પરંતુ તે વાતને દૂર રાખીએ તો પણ પ્રતિકુલ લાગતા પ્રાણીઓનો પણ વધુ વિગેરે કરવાનો હક્ક છે તે વાત જૈનશાસન માન્ય કરતું નથી. આવી * રીતના હક્કના વિચારમાં આ સૂત્ર ઉતારવાથી આ વાક્યને સમ્યકત્વાધ્યયનનું વાક્ય કહી શકાય કાર અને તેથી જ આ વાક્ય કે સૂત્ર પરસ્પર વિરૂદ્ધતાવાળું નહિં રહે. કેમકે ભગવાન જિનેશ્વર મહારાજાના કરે છે આ વાક્યનો અનુવાદ કરતાં ભગવાન જિનેશ્વર મહારાજને ગણધરમહારાજાઓએ અરિહંત ભગવંત કહીને ઓળખાવેલા છે અને અરિહંત શબ્દનો વાસ્તવિક અર્થ જ એ છે કે ઈન્દ્રઆદિક દેવોએ અશોકાદિક આઠ પ્રાતિહાર્યથી કરેલી પૂજાને જેઓ લાયક હોય તે અરિહંત કહેવાય. તો 2 અરિહંતપણાને વખાણવાથી પૂજાનાં વખાણ થાય છે અને વિધાનમાં સળે પાપા વિગેરે કહેવાય વિક છે, પરંતુ જ્યારે તવ્ય પ્રત્યયનો વિચાર કરવામાં આવશે ત્યારે આ સૂત્ર પરસ્પર વિરૂદ્ધવાળું નથી. એમ માલમ પડશે એટલું જ નહિં પરંતુ મિથ્યાદર્શનની જડ ઉખેડી નાંખી સમ્યકત્વના મૂળ કેવી જે રીતે વાવે છે તે સમજાશે, અને જૈનદર્શનની અહિંસાની બારીકાઈ પણ સમજાશે. . ધી “જૈન વિજયાનંદ" પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ છે બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર) છે સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું. હજી A A
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy