________________
૪પ૬ (અ)
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૭-૩૮
આ સમાલોચના 5
આગમોદય સમિતિ તરફથી મુદ્રિત થયેલાં આગમોમાં જો કે અશુદ્ધિ નથી જ રહી એવો દાવો કોઈ કરે નહિ, પરન્તુ અજ્ઞાન અગર કદાગ્રહને લીધે વગર અશુદ્ધિ કહેવા બહાર પડવું તે સજ્જનને શોભતું નથી.
જ્ઞાતાસૂત્રમાં જેવી રીતે દ્રોપદીની પૂજા સંબંધી પાઠ આપવામાં આવ્યો છે, તેવી જ રીતનો પાઠ પાટણની તાડપત્રની સંઘના ભંડારથી પોથી નબંર એકસો છત્રીશ જેનાં પાનાં એકસો ઓગણસાઈઠ છે તેના એકસો ત્રેવીસમા પાને અક્ષરશઃ તે પ્રમાણે પાઠ છે એટલે મહારાજશ્રી અભયદેવસૂરિજીની ટીકાની સાથે મૂળ એકઠું કરનાર મહાશયે તે પાઠ લીધો તેમાં કલ્પિતપણું કે ગૌણપણું કહેવું તે કદાગ્રહનો જ પ્રભાવ કહેવાય ધ્યાન રાખવું જરૂરી છે કે બારમી સદીમાં ત્રિપાઠ પુસ્તકો લખાયાં નથી, પરન્તુ સત્તરમી સદીમાં ઘણા ભાગે
મૂળ અને ટીકાઓ એકઠી થઈ ત્રિપાઠ પુસ્તકો લખાયાં છે. ૨ શ્રી ઉવવાઈજી, શ્રી પ્રશ્નવ્યાકરણ વિગેરેની શ્રી અભયદેવસૂરિજીની ટીકાઓ
વાંચનારાઓને સ્પષ્ટ માલમ છે કે તે વખત પણ ઘણાં પુસ્તકો અશુદ્ધ હતાં જેને લીધે ભગવાન્ શ્રી અભયદેવસૂરિજીને પ્રયોગસ્થ નિ પુસ્તાનિ એમ લખવું પડયું તથા સૂત્ર વ્યવસ્થાપ્ય મતો વિકૃશ્ય વ્યાપદ્યાનાહિત પ્રવ નૈવ એવાં એવાં વાક્યો લખવાં પડયાં છે. શ્રી ઉવવાઈ સૂત્રમાં શ્રી અભયદેવસૂરિજી જણાવે છે કે દ વવો वाचनाभेदाः दृश्यन्ते, तेषु च यमेवावभोत्स्यामहे तमेव व्याख्यास्यामः, शेषास्तु મતિમતી સ્વયમૂદા અર્થાત્ “અહિં મૂળની પ્રતોમાં ઘણા વાચનાના ભેદો છે તેમાં જે વાચનાના ભેદને અમે સમજી શકીશું તેની વ્યાખ્યા કરીશું બાકીના વાચનાના ભેદો બુદ્ધિશાળીઓએ પોતે જાણવા.” આ વાચના સમજનાર સુજ્ઞ મનુષ્ય કોઈપણ દિવસ વ્યાખ્યા નહિં કરાયેલા એવા વાચનાના ભેદને ગૌણ માનવા તૈયાર ન થઈ શકે તો પછી પુસ્તકાવાન્તર અને વાચનાત્તર તરીકે કહેલ ભેદને મુખ્ય ગૌણ માનવા તૈયાર થવું તે કેવલ