________________
LUTILL
શ્રી સંઘ-પૂજન
યાને
શ્રી સંઘ ભગવંતોનો મહિમા
તેણે પોતાનું ધામ પવિત્ર કર્યું, તેણે કુલ અજવાળ્યું, જાતિ દિપાવી, દુર્ગતી છેદી, ; - ચંદ્રમંડળમાં પોતાનું નામ લખાવ્યું, દુઃખને જલાંજલી અર્પ, સ્વર્ગ સુખ મેળવ્યું કે જેણે મોક્ષ 1 કે સુખ રૂપ ચિંતામણી સરખા સંઘનું પૂજન કર્યું.
આ સંઘ જેમ રત્નોનો રોહણગિરિ, તારાઓનું આકાશ, કલ્પવૃક્ષનું સ્વર્ગ, કમલોનું - સરોવર જલનો સમુદ્ર, તેજનો ચંદ્ર, આધાર છે તેમ ગુણોનું સ્થાન છે. એ વિચારી ભગવાન્ ; T સંઘની પૂજા કરો.
ભગવાનને નમનીય એવો શ્રી સંઘ મારા આંગણાની ભૂમિયો પોતાના ચરણ કમલની : રજથી પવિત્ર ક્યારે કરશે? - મનોહર સ્વર્ણધાર તેના ગૃહવિષે પડી, પ્રવરમણિનું નિધાન તેના ઘરમાં સ્થાન પામ્યું, ને ને તેને ઘેર કલ્પવૃક્ષ ઉગ્યું, કે જેનું ઘર શ્રીસંઘે ઘણીજ ખુશીની સાથે સ્પર્શ કરી પાવન કર્યું. તે
તેનાજ આંગણામાં કલ્પવૃક્ષોની શ્રેણીઓ છે, તેના હાથમાં ચિંતામણિ છે, તેનેજ ઘેર : ; કામધેનુ ઉતરી છે. ત્રણે જગતની માલીક સમાન લક્ષ્મી તેનું મુખ જુવે છે કે જેને ઘેર ગુણવાળો સંઘ પધારે છે.
જેની ભક્તિનું ફળ અરહિંસાદિ પદવી છે, (ચક્રવર્તિત્વ અમરત્વ તો ખેતીમાં ઘાસની . : જેમ ફળદાયક છે.) જેનો મહિમા બૃહસ્પતિ પણ નથી ગાઈ શકતા, તે પાપને હરનાર ! કે એવો શ્રી સંઘ સ્વચરણોથી સજ્જન પુરૂષોનું ઘર પાવન કરો.
જે સંસારને નિરાસ કરવાની બુદ્ધિવાળો થઈ મુક્તિને ઈચ્છે છે, પવિત્ર હોવાથી જેને : તીર્થ કહેવાય છે, જેના સમાન કોઈ નથી, જેને તીર્થકર ભગવંતો પણ નમસ્કાર કરે છે, - જેનાથી કલ્યાણ થાય છે. જેની અત્યંત સ્કૂર્તિ છે જેની અંદર સર્વ ગુણો રહેલા છે તે શ્રીસંઘ ? આ પૂજાઓ.
“સૂક્તમુક્તાવલી”?