SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર ૫૫૭ કોઇપણ દેખનાર મનુષ્ય એવો નથી હોતો કે ચક્ષુમાં જે પદાર્થની આકૃતિ ન પડે તે પદાર્થની આકૃતિ તે દેખી શકે. એટલે ચોખ્ખું થયું કે નિર્જીવ આકૃતિ જેણે ન માનવી હોય તે મનુષ્ય તો આંખ પણ ઉઘાડવી જોઇએ જ નહિ. કેમકે આંખ ઉઘાડીને દેખનારાની આંખમાં તો સ્થાપના આવ્યા વગર રહેવાની જ નથી. એટલે ચોખ્ખું થયું કે મોંઢેથી સ્થાપના નથી માનતા એમ કહેનારાને પણ જો દેખનાર તરીકે રહેવું હશે તો તેને આંખમાં તો સ્થાપના લેવી જ પડશે. એટલે મોંઢેથી સ્થાપના નકામી છે. સ્થાપના ફાયદો કરતી નથી વિગેરે બોલવું તે નાના છોકરાઓ ખાતા જાય અને ઉપવાસ કર્યો કહે એના જેવી બાલચેષ્ટા જ કહેવાય. તેવી રીતે જ અરિહંત મહારાજને નમસ્કાર કરવા માટે નમો અરિહંતાનું પદ બોલે તે વખત અરિહંત મહારાજનો આકાર જાણતો હોય તો મગજમાં તે આવ્યા સિવાય રહેતો જ નથી. અને તે જ આકારને ઉદ્દેશીને નમસ્કાર થવાનો અગર બોલાવાનો છે. માટે સ્થાપના મગજમાં જેને ન લાવવી હોય તેને અહિંતાળ બોલવાનુંયે નથી અને નમસ્કાર કરવાનોયે નથી અને નમો અરિહંતાનું કહેવું વ્યર્થ જ છે. ‘નમો અરિહંતાણંથી' દ્રવ્યસિદ્ધિ. એવી રીતે નમો અરિહંતાણં દ્વારાએ જેમ સર્વવ્યાપક એવા નામ અને સ્થાપના જણાવ્યાં તેવી જ રીતે નમો અરિહંતાણં કહેનારો દ્રવ્યને કોઇપણ તા. ૪-૧૦-૧૯૩૭ પ્રકારે દૂર કરી શકે તેમ નથી. કારણ કે નમો અહિંતાનું કહેનારો મનુષ્ય અરિહંતપણું આકાશમાં રહેલું છે એવું માનવાવાળો હોતો જ નથી, પરન્તુ સ્પષ્ટ રીતે જાણે છે અને માને છે કે અરિહંતપણું તીર્થંકર મહારાજાના જીવોમાં જ રહેલું છે. જીવદ્રવ્ય સિવાય અજીવમાં અરિહંત નામનું કર્મ હોતું જ નથી, કે જેથી અજીવને અરિહંતપણું મળવાનો વખત આવે. તો પછી અજીવ એવા દ્રવ્યને પણ અરિહંતપણું ધારણ કરવાનું થતું નથી જ. પરન્તુ પૂર્વભવમાં વીસ સ્થાનકની આરાધના કરનારા ભાગ્યશાલી એવા જીવદ્રવ્યમાં જ અરિહંતપણું આવેલું હોય છે તેથી અરિહંતને નમસ્કાર કરવા માટે નમો અરિò બોલવાવાળો જીવ અરિહંત ભગવાનના જીવદ્રવ્યને લક્ષ્યમાં ન લે એવું તો બને જ નહિં. દ્રવ્યનિક્ષેપો જૈનશાસ્ત્રને માનનારા મનુષ્યો જોગસ્સ સૂત્રને સર્વપ્રકારે માનનારા જ હોય છે. અને તે તોળK માં ભગવાન ઋષભદેવજી વગેરે ચોવીસ તીર્થંકરોને અરિહંતે વિત્તજ્ઞમાં કહીને જે સ્તવના કરાય છે તે દ્રવ્યનિક્ષેપો નહિં માનનારની અપેક્ષાએ તો જુદું જ છે. યાદ રાખવું કે ભગવાન ઋષભદેવજીથી માંડીને મહાવીર ભગવાન સુધીના ચોવીસ તીર્થંકરોમાંથી કોઇપણ તીર્થંકરનો જીવ અત્યારે નથી તો શરીરને ધારણ કરનાર અને નથી તો અરિહંત નામકર્મને ભોગવનાર અત્યારે તો
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy