SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ શ્રી સિદ્ધચક્ર જુન ૧૯૩૭ તરફ જોવું જોઈએ નહિં, જ્યારે તમે ચેલેન્જી આપી છે ત્યારે એકદમ ગમે તે ભોગે ચોટીલા જરૂર આવો. કોઈપણ જાતનું બહાનું ચાલશે નહીં એ નક્કી છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી C/o પોપટલાલ ધારશીભાઈ જામનગર આનન્દ સાગર તાર ૩ અમદાવાદ તા. ૯મી જુન વંદના તાર મળ્યો. મારા બંને તારોમાં જણાવેલા અગત્યના મુદ્દાઓનો આપ જવાબ આપી શકતા નથી. આચાર્ય શ્રી વિજય નેમિસૂરિજીને ચર્ચા માટે તૈયાર કરી શકતા નથી. રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ મેળવી શકતા નથી અને અમદાવાદ આવવાની મારી વિનંતિ નહીં સ્વીકારતા તદ્દન નકામા અગર ખોટા મુદ્દાઓ ઉભા કરો છો એ સાફ પુરવાર કરે છે કે તમે શાસ્ત્રાર્થ કરવાને તૈયાર નથી. સાચી બિના આમ હોવા છતાં અમારે શીરે પોતાના બચાવ ખાતર નાહક દંભનો આરોપ મુકવાનું આપ સાહસ કરો છો, ત્યારે કહેવું પડે છે કે-આપના જેવાને તે કોઈ રીતિએ છાજતું નથી. તમે પ્રતાપશી મોહનલાલભાઈ અને પાનાચંદ રૂપચંદ ઝવેરી મારફત શનિવાર સંવત્સરી પક્ષ સામે શાસ્રાર્થની ચેલેન્જી તા. ૧લી અને તા. ૨જીમાં જાહેર કરી તેમાં અમદાવાદની વાત જ નથી પણ ચોટીલાની વાત છે અને તેમાં એવી ગેરસમજ ઉત્પન્ન કરવી કે - ‘હું શાસ્ત્રાર્થ કરવાને કે તેમાં ભાગ લેવાને તૈયાર નથી.’ આ ઉપરથી મારા ગુરૂદેવની આજ્ઞા મુજબ શિનવાર પક્ષનું પ્રતિનિધિત્વ મેં પ્રાપ્ત કર્યું અને તમારી ચેલેંઝ તા. ૫મીએ ઝીલી. આથી સ્પષ્ટ છે કે વાદી તમો છો અને તેથી તમારા જણાવ્યા મુજબ-તમારે તમારી પોતાની સગવડ જોવી ન જોઈએ અને કોઈપણ કારણને ભોગે તમારે અમદાવાદ આવવું જ જોઈએ. પાંચમી જુને સુરત જવાની તૈયારી હોવાનો આપ દેખાવ કરો છો, અને આઠમી જુને અમદાવાદ સુધી આવવા જેટલી પણ નબળાઈ બતાવો છો તે સાચી વાતને સ્હેજમાં ખુલ્લી પાડનાર છે. ચેલેન્જી કરનારે ચેલેન્ઝ ઝીલાઈ ગયા પછી બહાનાં કાઢવાં તે ચાલી શકે નહીં. આમ છતાં આપના તારમાંથી જણાઈ આવે છે કે આપ કોઈ રીતે અમદાવાદ આવવા તૈયાર નથી એટલા ખાતર હું સુચવું છું કે શ્રી સંઘમાં સંપ સ્થાપવાની જો તમારી અંતર ઈચ્છા હોય તો અત્રે બીરાજતા આચાર્ય શ્રી પદ્મસૂરિજી તથા બે દિવસમાં અત્રે પધારનાર આચાર્ય શ્રી વિજયદર્શનસૂરિજી કે જે બન્ને આચાર્યો શ્રી નેમિસૂરિજીના વિદ્વાન શિષ્યો છે તેમાંના કોઈને પણ રવિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે અને તેમ ન બને તો તમો બંને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી અને આચાર્ય શ્રી નેમિસૂરિજી આપનું પ્રતિનિધિત્વ આપી શાસ્ત્રાર્થ કરવાની આજ્ઞા ફરમાવો, અને મને જણાવો.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy