SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ શ્રી સિદ્ધચક્ર તા. ૬-૫-૧૯૩૬ , , , , , , , , , , , , , , , છે એ સમાલોચના : ભગવાન્ તીર્થકર મહારાજ સિવાયનો કોઈપણ જીવ ભવિષ્યમાં સહાય તેવો સમર્થ વિદ્વાન અને શુદ્ધ ચારિત્રના પાલક પણ જન્મ સમયે કંઈપણ વિશેષતાને પામતાજ નથી આ પ્રકારે આવેલ લખાણ સ્વતંત્રપણે થયું હોય તો પણ સુધારાને પાત્ર છે. ૧ ક્ષાયિકની માફક ફાયપક્ષમિક સમ્યકત્વ પણ છાસઠ સાગરોપમની સ્થિતિનું હોવાથી અન્ય જીવને પણ ભવાંતરનું હોઈ શકે. તીર્થકર મહારાજ સિવાયના જીવો ભવાંતરથી ૨ મતિ આદિ જ્ઞાન જ લાવે એમ માનવું સૂત્રથી વિરૂદ્ધ છે. ૩. શ્રીજિનેશ્વર મહારાજ સિવાય બીજા કોઈપણ મનુષ્યને ભવાંતરોથી અવધિ જ્ઞાન સાથે નજ આવે એમ શાસ્ત્રનો શ્રદ્ધાળુ તો માની કે કહી ૩ શકે જ નહિ. ૪ આવશ્યકાદિસૂત્રોને જાણનારો મનુષ્ય તો ભગવાન્ તીર્થકર સિવાયના ગણધર અને આચાર્યાદિને તે તે નામકર્મની સત્તાવાળા હોવાથી ઈતરજન્મો કરતાં વિશેષતાવાળા ૪ માન્યા શિવાય રહી શકે જ નહિ. ભાવિતાત્મા અનગારની માતા એક સ્વપ્ર દેખે છે. એ પણ કથન શું અમાન્ય છે ? (વીરશાસન) શતાબ્દીની ઉજવણી શાસ્ત્રાનુસારણી છે કે વિરૂદ્ધ છે ? એ બાબતની ચર્ચા શાસ્ત્રપાઠ અને તેને અનુસરતી યુક્તિઓથી થવી વ્યાજબી છે. છતાં અંગત આક્ષેપોથી પરસ્પર ૫ હુમલા કરી ચર્ચા બગાડવી એ વ્યાજબી નથી. ચેલંજ કરનારે આક્ષેપથી દૂર રહેવું. (વીરશાસન) વરશબ્દમાં રહેલી કર્મવિજેતૃતા ન સમજે અને તેમના અનન્તવીર્યને ન સમજે તેજ મનુષ્ય વેદના કલ્પિત અર્થો ઉપજાવનાર અને વર્ણવ્યવસ્થાના લોપક હોઈ હિંદુધર્મના ઉચ્છેદકને પણ વીર માની સરખામણી કરી મુનિવેષ અને જૈનપણાને લજવે. પોતાની છબીઓ મનાવે અને પરમેશ્વરની પ્રતિમાને ન માનવાની અનાર્યસમાજીયોની સરખાવટ દેખીને તેનો રાગી થનારો મનુષ્ય સૂત્રસિદ્ધાંતનોજ ઉત્થાપક થાય છે તેટલુંજ નહિ, પણ દગલબાજ પણ બને છે જૈનધર્મ ગહિત અને જુગુપ્સિત કુલોનો નિષેધ કરે છે, છતાં જ્હણે તે વ્યવસ્થા પેટ ભરવા માટે વેગળી મેલવી છે તે વર્ણવ્યવસ્થાના લોપક બની અધમુસલમાન થનારાના મતને સહકાર દેનારો થાય તેમાં આશ્ચર્ય શું ? ભારતીય ઈતિહાસના અજ્ઞાન લોકો સ્વયંપ્રભાની વાતને ન જાણે, અને બ્રાહ્મણજાતીયે જાતિના નામે ધાડો પાડેલી ન જાણે, તેઓ ધર્મને નુકશાન કરનાર બોલે તેમાં નવાઈ નથી. પણ જૈન વેષધારી આવું બોલે તે તો ખરેખર અક્કલહીન અને ધર્મથી દૂર ધસી ગયેલી પ્રજાજ ચલાવી લે. પ્રતિમા અને વર્ણવ્યવસ્થાના લોપને લીધે અર્ધ મુસલમાન બનેલો મનુષ્ય તેવાનાજ મુખે
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy