________________
જાજરૂનમનન+નનનનન નખાખ
-
અહિંસાની મહત્તા 'रयणायरपट्भटुं रयणंव सुदुल्लहं मणुयजम्मं । तत्थवि रोरस्स निहिव्व दुल्लहो होड जिणधम्मो ॥१॥
ते चेव दिव्वपरिणइवसेण कहकहवि पावित्रं पवरं ।
__ जइयव्वं इत्थ सया सिवसुहसंपत्तिभूलंभि ॥२॥ सो य अहिंसामूलो धम्मो जियरायदोसमोहेहिं । भणिओ जिणेहिं तम्हा सविसेसं तीएं जइयव्वं ॥३॥
किं सुरगिरिणो गरुयं ? जलनिहिणो कि व होज गंभीरं ? ।
किं गयणाउ विसालं ? को व अहिंसासमो धम्मो ? ॥४॥ कल्लाणकोडीजणणी दुरंतदुरियारिवग्गनिट्ठवणी । संसारजलहितरणी एक्कच्चिय होइ जीवदया ॥५॥
विउलं रज रेगेहिं वजियं रूवमाउयं दीहं ।
अन्नपि तं न सोक्खं जं जीवदयाए न ह सज्झं ॥६॥ देविदचक्कट्टित्तणाई भोत्तूण सिवसुहमणंतं । पत्ता अणंतसत्ता अभयं दाऊण जीवाणं ॥७॥
तो अत्तणो हिएसी अभयं जीवाण दिज निच्चंपि' તાત્પર્યાર્થ :- સમુદ્રમાં (હાથથી) પડી ગએલા રત્નની માફક મનુષ્યજન્મ અત્યંત દુર્લભ છે, તે મનુષ્યપણામાં પણ નિપુણ્યક જીવને ધનની માફક જૈનધર્મ દુર્લભજ છે.
મનુષ્યજન્મ સહિત શ્રેષ્ઠ જૈનધર્મ દિવ્ય પરિણતિને લીધે મહા કષ્ટ પામીને હંમેશાં શિવસુખની સંપત્તિના મૂલરૂપ આ જિન ધર્મમાં પ્રયત્ન કરવો જોઇએ.
અને જૈનધર્મમાં જીત્યા છે રાગ, દોષ, ને મોહ જેણે એવા જિનેશ્વર ભગવંતોએ તે જૈનધર્મનું મૂલ અહિંસા જણાવેલી છે તેથી તે દયામાં વિશેષ પ્રયત્ન કરવો જોઇએ.
મેરૂ પર્વતથી મોટું શું ? દરિયાથી ઉંડું શું હોય ? આકાશથી વિશાલ શું હોય ? અથાત્ જેમ અન્ય કોઈ હાટો ગંભીર અને વિશાળ નથી તેમ અહિંસા જેવો ધર્મ કોઇ પણ નથી. ૪
કોડા કલ્યાણને ઉત્પન્ન કરનાર, અત્યંત દારૂણ દુઃખરૂપ શત્રુના વર્ગને નાશ કરનાર અને સંસારસમુદ્ર (તરવા) નૌકા સંદેશ એવી એકજ જીવદયા છે.
મોટું રાજ્ય, રોગ રહિત રૂપ, દીર્ઘ આયુ જીવદયાથીજ થાય છે બીજું પણ તેવું કોઇ સુખ નથી કે જે જીવદયાથી સાધ્ય ન હોય.
જીવોને અભયદાન આપી દેવેન્દ્ર, ચક્રવર્તિપણું ભોગવીને અનંતાપ્રાણી છેડા વગરના એટલે અનન્ત એવા શિવસુખને પામ્યા. તથી આત્માના હિતની ઈચ્છાવાળા મનુષ્યોએ હંમેશાં જીવોને અભયદાન દેવું.
ઉપદેશમાલા”] ) [‘માલધારી હેમચન્દ્રસૂરિ ITTTTTTTTTTTTTTTTTTTTTTTT
મ
નનનન
+
+
+++