SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ શ્રી સિદ્ધચક્ર તા.૪-૩-૩પ છે કે કોઈપણ કાળે અને કોઈપણ પ્રકારે પરમપદરૂપ જે મોક્ષ તે સિવાયના નરેન્દ્રત્વ, ચક્રવર્તિત્વ, દેવત્વ કે ઈંદ્રવ આદિ પરભવમાં મળતાં પૌદ્ગલિક ફળો કે આ ભવમાં મળતા ઈષ્ટ વિષયોની પ્રાપ્તિ, અનિષ્ટ વિષયોનું નિવારણ, રોગાદિકનો નાશ, ઋદ્ધિસમૃદ્ધિની પ્રાપ્તિ કે યશકીર્તિનો ફેલાવો કોઈ દિવસ પણ ધર્મના ફળ તરીકે તો શું ? પણ સાધ્ય તરીકે કોઈ દિવસ પણ ધારવું જોઈએ નહિ. યાદ રાખવું કે તોડપુન: શ્રેયસિદ્ધિઃ સ થર્ના એ સૂત્ર લૌકિક માર્ગવાળાને જેમ માન્ય છે, તેમ લોકોત્તર માર્ગવાળાને પણ માન્ય જ છે, પણ લોકોત્તર મતવાળા અભ્યદય એટલે સાંસારિક સર્વ પ્રકારના સુખો આદિની પ્રાપ્તિ ધર્મના સાધ્યફળ તરીકે ગણે છે, અને તેથી જ તેઓ સ્વલામોડગ્નિહોત્ર ગુન્ વિગેરે શ્રુતિના સૂત્રોથી દેવલોક, ઋદ્ધિસમૃદ્ધિ, યશકીર્તિ કે પુત્રપૌત્રાદિકને માટે ધર્મરૂપ મનાયેલા યજ્ઞનું વિધાન કરે છે, પણ લોકોત્તર દ્રષ્ટિની અપેક્ષાએ તે પૌદ્ગલિક ફળરૂપ અને સંસારના ચક્રાવારૂપ ઋદ્ધિસમૃદ્ધિ આદિને સાધ્ય ફળરૂપે ગણવામાં આવતું નથી, કેમકે ભગવાન તીર્થકર વિગેરે આરંભ અને પરિગ્રહના તથા વિષય અને કષાયના ત્રિવિધ ત્રિવિધ પ્રકારે ત્યાગી હોઈ જો તે આરંભાદિમય એવા નરેન્દ્રત અને દેવત્વાદિને સાધ્ય તરીકે ગણાવી તેના કારણ તરીકે તે પ્રાપ્ત કરવા માટે ધર્મનું નિરૂપણ કરે તો જૈન શાસનના મુદા પ્રમાણે તેઓ પોતાની પ્રતિજ્ઞાને તોડનારા થાય અને તેઓને વદતોવ્યાઘાતવાળી દશા પ્રાપ્ત થાય, માટે લોકોત્તર દ્રષ્ટિએ અભ્યદય એટલે પૌદ્ગલિક સમૃદ્ધિ અને સાધ્યફળ હોઈ શકે જ નહિ અને તેને માટે ધર્મનું નિરૂપણ પણ હોય નહિ, પરંતુ કર્ષક જેમ ખેતી કરતી વખત ધાન્યને જ મુખ્ય ફળ હોવાથી સાધ્ય તરીકે ગણે છે, છતાં તે ધારેલા ધાન્યની નિષ્પત્તિ પહેલાં વાવેલા ધાન્યની જાતિ પ્રમાણે તરેહ તરેહના ઘાસોને પામે છે, તેથી તે ખેતીની ક્રિયાનું મુખ્ય એટલે સાધ્યફળ ધાન્ય એટલે અનાજ જ કહી શકાય, પણ અનાજ વાવવાથી થયેલા ઘાસની પ્રાપ્તિ એ મુખ્ય ફળ એટલે સાધ્યફળ ન ગણાતાં આનુષંગિક એટલે પ્રાપ્યફળ તરીકે ગણી શકાય છે, તેવી જ રીતે ધર્માનુષ્ઠાનના પ્રતાપે મોક્ષરૂપી સાધ્યફળ મેળવવાનું છતાં પણ પદ્ગલિક સમૃદ્ધિરૂપી અમ્યુદયની જે વચમાં પ્રાપ્તિ થાય છે તે આનુષંગિક એટલે પ્રાપ્ય ફળ તરીકે જ ગણી શકાય. ઉપર કહેલી વાત બરાબર સમજવામાં આવશે તો વાચકો સ્પષ્ટ રીતે સમજી શકશે કે જેમ જે અનાજ વાવવાથી કિંમતી એવા ધાન્યરૂપી મુખ્ય એટલે સાધ્યફળની પ્રાપ્તિ થઇ શકતી હોય તેવા અનાજને જો કર્ષક પણ ઘાસ આદિકને માટે વાવે તો તે કર્ષકની લાઈનમાં પણ અણસમજુ કે મૂર્ખ જ ગણાય છે, તેવી રીતે ધર્માનુષ્ઠાનો પણ મુખ્ય એટલે સાધ્ય એવા મોક્ષરૂપ ફળને દેવાવાળા છતાં તે ધર્માનુષ્ઠાનોથી અમ્યુદય એટલે પદ્ગલિક ફળો કે જે ધર્માનુષ્ઠાનના ગૌણ એટલે કે માત્ર પ્રાપ્યફળ છે, તેની જો ધર્માનુષ્ઠાનથી સાધ્યતા રાખી બેસે તો તે મનુષ્ય ધર્માનુષ્ઠાન વિશુદ્ધપણે અને ભાવોલ્લાસથી કરતો હોય તો પણ તેને દ્રવ્યઅનુષ્ઠાન કરવાવાળા જ શાસ્ત્રકારો જણાવે છે, અર્થાત્
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy