________________
શ્રી સિદ્ધચક્રનું આદિ બીજ અને શ્રી નવપદપદ્મની કર્ણિકા.
ત્રિલોકનાથ તીર્થકર ભગવાનરૂપી અરિહંતો. શ્રી જૈનશાસનમાં અવ્યવચ્છિન્નપણે શાસનનાયક ભગવાન મહાવીર મહારાજથી અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા શ્રીજૈનસંઘમાં કે તે જૈનશાસનમાંથી સાધર્મિકપણાના પણ સંબંધ વિનાના અને વાવાળા જૈન મૂળસંઘમાંથી ઉતરેલા હોઈ પોતાને દિગંબર એટલે દિશારૂપી વસાવાળા તરીકે જાહેર કરનારા દિગંબરજૈનોમાં (કોઈપણ જૈનાગમમાં જૈનોની મૂળ શાખાને શ્વેતાંબર તરીકે જણાવી નથી. શ્વેતાંબર તરીકે મૂળ શાખાને વિશેષણ તરીકે લગાડવાનો પ્રસંગ દિગંબરોની ઉત્પત્તિ પછી ઘણા સૈકા થઈ ગયા પછી જ શાસ્ત્રોમાં ઉપલબ્ધ થાય છે અને તે જૈન મૂળ શાખામાંથી નીકળેલા દિગંબરોને માટે દિગંબર એવો શબ્દ તેમના મૂળ પુરુષ કુંદકુંદ (કદિન્ય)થી શરૂ થયેલો છે, અને તેથી જ વર્તમાનમાં પણ સમજદાર જૈનો પોતાને માટે જૈનશબ્દની પાછળ શ્વેતાંબરશબ્દથી ઓળખાણ જવલ્લેજ આપે છે; કારણ કે જુદા પડનારા દિગંબરોને જૈનોની પાછળ દિગંબર એવો શબ્દ જોડવાની જરૂર પડે તે સ્વાભાવિક છે, પણ મૂળ શાખારૂપ જૈનોને તે દિગંબરોથી ભિન્નતા બતાવવા ખાતર પણ શ્વેતાંબર વિશેષણ લગાડવું વ્યાજબી નથી. જો દિગંબર અને શ્વેતાંબર બંને વિશેષણોથી બંને કોમો ઓળખાય તો મૂળ આદિ જૈનધર્મ પાળનારી કઈ જનતા હતી તે પારખવું મુશ્કેલ પડે. એ પણ યાદ રાખવાની જરૂર છે કે સહરામલ્લ દિગંબર જૈનોએ સર્વથા સાધર્મિકપણામાંથી કાઢી નાખ્યો છે અને તેથી દ્વિવોને માટે કરેલા અનશનાદિને આધાકર્મ માનીને ત્યાગ કરવામાં તે નિહોને બારે પ્રકારના સાધુવ્યવહારથી દૂર કરવા માટે શ્રીસંઘે કાયોત્સર્ગ કરેલો અને તે દ્વારાએ તેઓને દૂર કર્યા છતાં તે ઇતર નિદ્વવોને રજોહરણાદિ વેષ જૈનસંઘના સાધુ જેવો હોવાથી લોકોમાં શ્રીજૈનસંઘના સાધુઓથી તેઓની ભિન્નતા લોકોમાં જાહેર હોય પણ ખરી અને કદાચ ન પણ હોય, અને તેથી તે ઇતર નિદ્ધવોને માટે કરેલા અશનાદિકનું આધાર્મિપણું જ્યાં નિવો ભિન થવાનું જાહેર હોય ત્યાં ગણવામાં આવે નહિ પણ જે ગામમાં લોકોમાં તે ઈતર નિદ્વવોનું ભિન્નપણું રજોહરણાદિ વેષની સામ્યતાને લીધે જાહેર ન હોય તે સ્થાનમાં તે ઇતર નિદ્ધવો માટે કરેલા અશનાદિકને આધાકર્મી ગણીને વર્જવા જોઈએ એમ ઈતર નિન્નાહવો માટે આધાકર્મી વર્જવા માટે વિકલ્પ જણાવે છે, પણ બોટિક (દિગંબર)ને માટે ભિન્નતા લોકોમાં સ્પષ્ટ હોવાથી તેના સાધુ માટે કરેલા અનશન વિગેરેના આધાર્મિપણામાં વિકલ્પ નથી એટલે તે દિગંબરના સાધુ માટે કરેલા અનશનાદિક આધાકર્મી કહેવાય નહિ, કેમકે તેમને શ્રીસંઘે બહાર કાઢયા છે, અને લોકોમાં પણ તે બહાર કાઢેલા તરીકે જાહેર થયેલા છે.) વળી શાસ્ત્રોને લોકોથી સ્થાપનાનિક્ષેપાની આરાધ્યતા સિદ્ધ છતાં જેઓને ભગવાન જિનેશ્વરદેવોની પ્રતિમાની માન્યતા અને પૂજા વિગેરે ઉડાવી દીધાં તેવા સ્થાનક્વાસીઓમાં પણ શ્રી સિદ્ધચક અને શ્રીનવપદપઘની માન્યતા જાણ બહાર નહિ હોવા સાથે ઘણી જ પ્રચલિત છે.
આ નવપદમય સિદ્ધચક્રની આરાધના માટે જૈનોના ઘણા ગામોમાં દરેક આસો અને ચૈત્ર માસમાં સુદિ સાતમથી પૂર્ણિમા સુધીના દિવસોમાં પ્રયત્નો કરવામાં આવે છે તે વાત જગપ્રસિદ્ધ
(અનુસંધાન પા. ૫૭૬ પર)