________________
પ૦૫
તા.૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર ૬ પોતાને ત્યાં પ્રત છતાં પ્રાચીન મુનિવરને નામે લખવું તે કરતાં નામ સાથે લખવું સારું. ૭ ઉંટડી અને ઘેટીના દુધને પિંડનિર્યુક્તિ અને તેની બંને ટીકામાં અન્ય મતની અપેક્ષાએ પણ અપેય
જણાવેલ છે. અભક્ષ્ય શબ્દનો તો તેની સાથે સંબંધ જ નથી. ૮ થોડા કાલ પછી જો તેમાં જીવો ઉત્પન્ન થવાથી તે અભક્ષ્ય થાય છતાં તે અભક્ષ્ય ન પણ કહેવાય
તો માખણમાં પણ તેમ હોવાથી તે માખણને અભક્ષ્યમાં નાખ્યું તો આ ઘેટી અને ઉંટડીના દુધને કેમ ન નાખ્યાં ? અબાધિત નિર્ણયઅનિર્ણય બંને હોય તો શંકાથી વર્જવું કે સર્વત્ર વર્જવું? દૃષ્ટાંત ને સાધ્ય, અપેય ને અભક્ષ્ય, અયોગ્ય ને અભક્ષ્ય ને ઉંટડી ઘેટી બેમાંથી એક ઉંટડીની વાતથી થતો અર્ધજરતીયન્યાય તેમજ પ્રૌઢશાસ્ત્ર અને પંચાગીકારોએ ભર્યા જણાવેલ ને એક સામાન્ય
અનિયમિત કથનથી વિરૂદ્ધ એકાંત પ્રરૂપણાના ભેદમાં જેને ભેદ ન સમજાય તેને શું કહેવું? ૧૧ ઉંટડીના દુધનું અયોગ્યપણું પણ દુધના નિવીયાતા ગણવાના અધિકારમાં છે કે? ને નિવયાતાની
વાતમાં કહેલ અયોગ્ય શબ્દ વિગઈની વાતમાં શી રીતે લગાડ્યો ને સમજાય અયોગ્ય શબ્દની જગા
પર અભક્ષ્ય શબ્દ કયાંથી ગોઠવ્યો? ૧૨ શ્રી દેવેન્દ્રસૂરિજીએ પચ્ચકખાણભાષ્યમાં તથા શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ કરેલા બાલાવબોધમાં દુધ
આદિ છ વિગઈના એકવીસ ભેદો ભણ્ય ગણાવતાં ચોખ્ખા શબ્દથી ઉંટડીના દુધને ભક્ષ્ય ગણાવ્યું
છે કે? શું તે આચાર્યોને નિઃશૂક ગણો છો? ૧૩ શ્રી હેમહંસગણિજીએ શ્રી આવશ્યક બાલાવબોધમાં ઉંટડીનું દુધ ભક્ષ્ય વિગઈ તરીકે ગણાવ્યું છે કે? ૧૪ શ્રી હેમચંદ્રઆચાર્યને ભટ્ટજી દીક્ષિત વગેરે આસ્તિક શબ્દની વ્યુત્પત્તિ આપતાં સ્પષ્ટ લખે છે કે
(તિ પરત્નોવાિિતિ મતિરત્યાતિ') અર્થાત્ પરલોકાદિ છે એવી જેની બુદ્ધિ હોય તે
આસ્તિક કહેવાય. છતાં તેને નરી અજ્ઞાનતા કહેનાર કેટલો જ્ઞાની હશે ? ૧૫ જૈનદર્શન પ્રમાણે પણ સમ્યકત્વના લક્ષણ તરીકે આસ્તિકય જણાવ્યા છતાં, એ આસ્તિકય કોરી
માન્યતામાં નથી, એ કહેનારે ચોથું ગુણઠાણું કે જે અવિરતિમયને પરિગ્રહારંભની પ્રવૃત્તિવાળું છે ત્યાં આસ્તિકય માનવું નથી એમ કે ? (જૈન પ્રવચન)
વસ્તુના સકલધર્મોના પ્રાધાન્યથી કથન ને જ્ઞાનને પ્રમાણવાકય કે જ્ઞાન કહેવાય છે ને એકાદિ ધર્મની પ્રધાનતાએ નય કહેવાય છે ને તેથી પ્રમાણને સકલાદેશી ને નયને વિકલાદેશી માનવામાં અડચણ નથી પણ પહેલાંના ત્રણ ભાંગા વસ્તુના અખંડપણાને અંગે સકલાદેશી ને બીજા અવયવદ્વારાએ વસ્તુને નિરૂપણ કરનારા હોઇ વિકલાદેશી ગણ્યા છે ને તેથી અજ્ઞાનિકના સડસઠભેદમાં સતી ભાવોત્પત્તિ આદિ વિકલ્પો લઈ શકાયા છે. અવયવ ને અવયવિની અપેક્ષાએ સપ્તભંગી માનનારને તેમાં અડચણ નથી.
અસલમાં તો નવ દેવ અને સદ્ એ દુર્ણય પ્રમાણને નયનાં વાક્યો છે. દિગંબરોને તો અન્યધર્મની અપેક્ષા સાથેના એકધર્મવાળા વાકયને નય માનવો છે. વધારે માટે આવશ્યક મલયગિરિ ૩૭૦મું પાનું જોવું.
(જૈનદર્શન, સ્યાદ્વાદાંક)