SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ શ્રી સિદ્ધચક્ર તા.૧૦-૮-૩૪ બ્રહ્મચર્યની પરિણતિવાળો મનુષ્ય રસોઇયાના ખર્ચને બચાવવા માટે જ પોતાની સ્ત્રીને અસતી જાણ્યાં છતાં પણ તેના પોષણને અસતીપોષણ ધારી લે તેમાં નવાઈ જેવું નથી. પ્રશ્ન ૯૯૯- રસગૌરવ, ઋદ્ધિગૌરવ અને શાતાગૌરવનું સ્વરૂપ શું? સમાધાન- સાધુને અંગે જેમ કોઈ સાધુને ઇષ્ટ રસવાળા સારાસારા પદાર્થોની ગોચરી મળતી હોય તે સાધુ તે બીજા સાધુને કે જેને ભિક્ષા પણ સારી રસવાળી કે ઉચિત મળતી નથી તેને કહે કે “મને કેવી સરસ ગોચરી મળે છે. આવી ગોચરી મળવાથી જ ખરેખરી મારી ઉત્તમતા છે, એમ કહે અગર મનમાં માને તો તે રસગૌરવ કહેવાય. યાદ રાખવું કે સારા રસવાળી ગોચરી ખાતાં કંથિચતુ પ્રમાદને લીધે આનંદ થાય તો તે રસની આસકિત છે પણ રસગૌરવ નથી. ગૌરવ એ અભિમાનનો જ પર્યાય છે. તેવી જ રીતે નરેન્દ્ર પૂજા અને સાધુ સાધ્વીનો પરિવાર કે તેનો આદર મળવાથી થતું અભિમાન તે ઋદ્ધિગૌરવ ગણાય, અને પોતાના શરીરને કોઇપણ જાતની આધિવ્યાધિથી પીડિતપણું ન હોય, પણ પરમ શુભોદયથી સંયમમાં સહાયકારક એવા શાતાદનીયનો ઉદય હોય છતાં તે શાતાના ઉદયને અંગે અભિમાન કરે અને બીજા શાતાના ઉદયવાળાઓને અધમ તરીકે વિચારે કે જણાવે તો તે શાતાગૌરવ કહેવાય. પ્રશ્ન ૭૦૦- જગતમાં શિયાળે અને ઉનાળે, રાત્રે અને દિવસે પુગલોના સ્પર્શી થવામાં નિયમ ખરો કે નહિ? સમાધાન- ઉનાળામાં કે દિવસે તિચ્છલોકમાં જ્યાં સૂર્ય વિગેરેનું ફરવું હોય છે અને તેથી ઘણે ભાગે ઉષ્ણ સ્પર્શ વેદાય છે. તો પણ સર્વલોકમાં કે તિથ્યલોકમાં પણ બધા પુલો ઉષ્ણસ્પર્શવાળા જ હોય એવો નિયમ નથી તેમ શીત ઋતુમાં બધા શીતસ્પર્શવાળા જ હોય એવો નિયમ નથી, પણ દિવસે શુભ પુદ્ગલો અને રાત્રે અશુભ પુદ્ગલોનો પ્રભાવ છે, એમ શાસ્ત્રષ્ટિથી જણાય છે. તેવીજ રીતે અધોલોકમાં પ્રાયે અશુભ પરિણામવાળા તિર્યગુલોકમાં મધ્યમ પરિણામવાળા અને ઉર્ધ્વલોકમાં શુભ પરિણામવાળા પુદ્ગલો તે તે ક્ષેત્રના પ્રભાવથી હોય એમ પણ શાસ્ત્ર દૃષ્ટિથી જણાય છે. પ્રબ ૭૮૧- જેના ઘરમાં મરણ થાય તે ઘરમાં બહારથી આવનાર માણસને તે ઘરનું પાણી પીવાથી તથા ખાવાથી તે જ દિવસે જિનપૂજા થાય કે નહિ? અથવા કેટલા દિવસનું સૂતક લાગે? સમાધાન શ્રી દશવૈકાલિકસૂત્રના પાંચમા અધ્યયનમાં પડવુછુયુનં ર વિશે. એ ગાથાની વ્યાખ્યામાં ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી જન્મ અને મરણના સૂતકવાળા કુળમાં સાધુઓને પણ આહારપાણી લેવાનું તેમજ પ્રવેશ કરવાનું પણ વર્જે છે. શ્રી આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધમાં તથા વ્યવહારભાષ્યમાં સૂતકવાળાના કુળો દશ દિવસ સુધી વર્જવાનાં જણાવે છે, તેથી સૂતકવાળાને ઘેર ખાવુંપીવું વર્જવું એ ઉચિત જણાય છે, પણ સૂતકવાળાને ઘેર ખાનાર પીનારે તે ખાવા પીવાના દિવસ સિવાય પોતાને ઘેર આવ્યા પછી પણ સૂતક પાળવું જોઇએ એવો કોઈ શાસ્ત્રીય લેખ જાણવામાં નથી, જો કે શ્રીમાનું વિજયસેનસૂરિજી વિગેરે દેશાચાર ઉપર સૂતકનો આધાર રાખવા જણાવે છે, પણ તેઓશ્રી પણ સૂતકનાં ગૃહો દશ દિવસ સુધી વર્જવાં એવી તપાગચ્છની પ્રવૃત્તિ છે. એમ સ્પષ્ટ જણાવે છે. વ્યવહારસૂત્રમાં સૂતકના ગૃહોની વર્જનીયતા લૌકિક છે એમ જણાવે છે, તો પણ તે સૂતકના ગૃહો નહિ વર્જીને આહાર પાણી લેનારને નિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત જણાવે છે, વળી વ્યવહારભાષ્યમાં ડુમ્બમાર વગેરેના કુળો
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy