________________
૪૬૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-to-૧૪
પ્રશ્નફાર:ચતુર્વિધ સંઘ,
સમાધાનઠાર; શ્વકલ@ાત્ર પ્રાઈંગત આાગમોધ્ધારક_
શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
' મ
ી
CINE
પ્રશ્ન ૬૯૪- બાદર એકેંદ્રિય જીવને સ્પર્શ કરતાં કેટલું દુઃખ થાય છે ?
સમાધાન-બાદર એકેંદ્રિય જીવો સ્વભાવથી જ અત્યંત અનિષ્ટ વેદના ભોગવી રહ્યા છે, તેમાં તેનો સ્પર્શ કરવાથી પાકીને ફૂટેલા ગુમડાં ઉપર કોઈ અડે અને આપણને જેમ વેદના થાય, તેમ બાદર એકેંદ્રિયને અડવાથી વેદનાનો ઘણો વધારો થાય છે. આ વાત વિચારવાથી શાસ્ત્રકારોએ બાદર એકેંદ્રિયના સ્પર્શનો પણ કરેલો નિષેધ અને સ્પર્શ કરવાથી જણાવેલું પ્રાયશ્ચિત યોગ્ય જ છે એમ સમજાશે.
પ્રશ્ન ૬૯૫- એક ઘરમાં દશ માણસ હોય, તેમાં કેટલાક પાપી હોય અને કેટલાક ધર્મી પણ હોય, તો પાપીએ કરેલા પાપથી ધર્મી લેપાય કે કેમ ?
સમાધાન- શાસ્ત્રકારો મન, વચન, કાયાથી જેમ પાપને કરવું અને કરાવવું એ બંનેનો નિષેધ કરે છે, તેવી જ રીતે પાપની અનુમોદનાનો પણ નિષેધ કરે જ છે, અને અનુમોદના શાસ્ત્રકારો ત્રણ પ્રકારે જણાવે છે. ૧. જે કોઈ પણ જીવ આપણા પ્રસંગમાં આવેલો હોય અને તે જે કંઇ પાપ કરે (જો કે તે પાપ કરવાનું આપણે કહ્યું ન હોય છતાં) તેનો નિષેધ ન કરીએ તો આપણને અનુમોદના નામનો દોષ લાગે. (આ જ કારણથી ઉપદેશકની પાસે આવેલા અગર તેના પ્રસંગમાં આવેલા જે જે મનુષ્યો હોય તેને તે ઉપદેશક મહાત્માએ સર્વ પાપોનો સર્વથા ત્યાગ કરવાનો ઉપદેશ કરવો જ જોઈએ અને આ જ કારણથી શાસ્ત્રકારો સર્વ પાપોના સર્વથા પરિહારરૂપી સર્વવિરતિનો ઉપદેશ આપ્યા સિવાયનો દેશવિરતિ આદિનો ઉપદેશ આપવામાં આવે તો ગૃહસ્થપણામાં રહેલા દેશવિરતિવાળાએ કરેલા પાપોની અનુમોદનાનું પાપ ઉપદેશકને લાગે એમ સ્પષ્ટપણે કહેલું છે. જો કે સર્વપાપોના ત્યાગ અને તેના ફળનું સ્વરૂપ જેણે યથાસ્થિત જાણ્યું છે, અને સર્વ પાપોની વિરતિરૂપ સર્વવિરતિ આદરવાને કે દેશથી પાપોનો વિરામ કરવો તે રૂપ દેશવિરતિ આદરવાને પણ અશકત હોઇ દેશવિરતિ કે એકલું સમ્યકત્વ આદર્યું હોય તેવા શ્રાવકોને તો ઉપદેશકો શ્રાવકની યોગ્યતા અનુસાર માર્ગાનુસારી, સમ્યક્ત, દેશવિરતિ કે સર્વવિરતિપણાનો યથારૂચિ ઉપદેશ કમે કે ઉત્ક્રમે આપી શકે છે, અને તેથી જ તેવા જીવોને ઉદ્દેશીને પંચાશક, ધર્મબિંદુ શ્રાવક ધર્મપ્રકરણ,