SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ *તા.૨૬૭-૪ ૪૬૩ - આ સિદ્ધચક્ર જૈનમતમાં અવગુણો છુપાવવા લીલા કહેવામાં આવતી નથી. . . . . . ; મિથ્યાદૃષ્ટિઓને પૂછવામાં આવે કે આ શું? લીલા દેવને અંગે પણ લીલા, અવગુણોને લીલારૂપે જણાવી તેમના દેવને નિરાળા રાખ્યા. શું થયું કે અવગુણોથી શરમાયા. ચેષ્ટાઓ ઉપર લીલાનો પડો કર્યો. તત્વ શું ? ભગવાન અવગુણવાળા મેથી,“ગુલવાળા છે, પણ એ તો લીલા છે. શું થયું ? ગુણો માન્યા. - ગુરુને અંગે પૂછો તો શું કહે ? એ તો જાદવકુલના બાલક છે, ગોકુલના બાલક છે. શું કર્યું ? અવગુણોને જાદવ બાલકપણામાં નાખ્યા ? - ધર્મને અંગે પૂછો તો શું કહે ? એ તો પહેલેથી ચાલ્યું આવે છે, ઇશ્વરે કહ્યું છે, અર્થાત એ બહાને અવગુણો ઢાંકયા, પણ ગુણની ઉત્તમતા તો રાખીજ. જો ગુણોની ઉત્તમતા ન હોય તો અવગુણોને લીલા, બાલક, ને ચાલ્યું આવે છે એ નામે ચડાવત નહિ. અર્થાત્ કોઈ મતવાળો પણ દેવમાં, ગુરુમાં કે ધર્મમાં અવગુણોનાખવા તૈયાર નથી, પરંતુ તે સર્વને “પરમ પવિત્ર” માનવા તૈયાર છે. દેવ આદિને અજ્ઞાની ઘૂર્ત, લોભી છે એમ કોઈ માનવા તૈયાર નથી. ' જૈનમતમાં કહેણી તેવી રેહણી છે. પરંતુ જેઓને “કહેણી તેવી રહેણી” હોય તેવાને આ બધા અવગુણો ઢાંકવાનું નથી હોતું, અર્થાત્ " ના 1 t ; ; દેવો-નિષ્કષાયતાના ઉપદેશ અને નિષ્કષાયતાના વર્તનવાળા જ હોય છે. ગુરુ-ત્યાગમય ઉપદેશ અને ત્યાગના વર્તનવાળા હોય છે. - ધર્મ-શુદ્ધ દયામય આચારવાળો જ. આવા શુદ્ધતત્ત્વોની આગળ-લીલા-બાલક કે ચાલ્યું આવેલ છે એવી રૂઢિને સ્થાને જ નથી અહીં નિષ્કલંક દેવ, ત્યાગી સાધુ દયામૂલક ધર્મને સ્થાન છે. પડદા વિગેરે નથી. ખુલ્લું તત્ત્વ ચીનું તત્ત્વ માનવાને જ અધિકારી બન્યા હોય તો કેવલ જેનો જ છે.' “આત્માને ઉજ્વલ કરવા તરીકેની બુદ્ધિ આવે તેથી દેવની માન્યતા, આત્માને કલ્યાણ તરીકેની બુદ્ધિ આવે તેથી ગુરુની માન્યતા, અને આત્મા ત્યાગમાં જ રમે એ દૃષ્ટિએ ધર્મની માન્યતા ધરાવનાર કોઇપણ હોય તો તે કેવલ જેનો જ છે, પરંતુ જૈનોને એ પંચાત નથી કે ઈશ્વરે પહાડ પાણી-નદી-અનાજ-વૃક્ષનર્યા છે એ મુદ્દાથી માનવા. અહીં એ કારણથી જે દેવને લોકો માને છે તેઓને ખરેખર ખેડુતો, આજકાલના ઈજિનિયરો, આજકાલના શોધખોળ કરનારા પુરુષો વધારે માનવા જોઇએ. તેઓને ઇશ્વર કરતાં વધારે માનવાનું કારણ એ જ
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy