________________
તા. ૨૦-૬-૩૪
૪૨૮
શ્રી સિદ્ધચક ૨૪ શાસ્ત્રોમાં શ્રી ગૌતમસ્વામીજી, શäભવસૂરિજી વિગેરે અનેક મહાપુરુષોની દીક્ષા
કુટુંબની અનુમતિ કે તેના પ્રયત્ન સિવાયની છે. ૨૫ ભગવાન કાલિકાચાર્યે ભાનુમિત્રને તથા શ્રીમૂળચંદજી મહારાજ વિગેરેએ શ્રીગુલાબશ્રી
વિગેરેને ચોમાસામાં પણ દીક્ષા આપી છે. ૨૬ શ્રી નિશીથભાષ્ય તથા ભાષ્યકાર મહારાજે પુરાણ અને ભાવિત શ્રાદ્ધ કે શ્રાદ્ધ જેઓને
વર્ષાકાલની સાધુસમાચારીથી દીક્ષા છોડી ઉદ્દાહ કરવાનો દોષ લાગુ નથી થતો તેવાને છોડીને જ પયુષણ પછી દીક્ષાનો નિષેધ કરેલો છે ને તેમાં પણ અપવાદે પુરાણ કે શ્રાદ્ધ સિવાયને દીક્ષા આપવાની છૂટ આપી છે. દશવૈકાલિક વૃત્તિમાં પણ ચોમાસાની
દીક્ષાના નિષેધમાં “પ્રાયઃ” શબ્દ છે. પ્રવચન સારોદ્વાર વિગેરેના પાઠો સામાન્ય છે. ૨૭ ચોઘડીયું કે છાયાલગ્ન જોઈને પણ કુટુંબના ભયથી ઉતાવળ કરનારને દીક્ષા આપી
શકાય એમ ચૂર્ણિકાર કહે છે. ૨૮ પૃચ્છાથી શુદ્ધ થયેલાને, ગોચરી આદિ સાધુ-આચાર કહ્યા પછી તે આચારનું પાલન
અંગીકાર કરે તે દીક્ષા લેનારની પરીક્ષા કહેવાય એમ ચૂર્ણિકાર સ્પષ્ટ જણાવે છે. ૨૯ સામાન્યથી આચાર પાળવાનો અંગીકાર કરવારૂપ પરીક્ષા નાની દીક્ષા પહેલાં થવાથી
વિશેષથી મુખ્યરીતિએ વડી દીક્ષાને અંગે જે છ માસની પરીક્ષા સાધ્વાચાર દેખાડવા વિગેરેથી ને સાવદ્ય-પરિહારથી સર્વની પરીક્ષા તે ગાતાર્થ નથી પણ તે કરવી જ જોઇએ. ધર્મબિંદુના ૧૯૫૧ના અને હમણાં બહાર પડેલ ભાષાંતરમાં પણ તે છ માસની પરીક્ષા
નાની દીક્ષા થયા પછી વડી દીક્ષા માટે છે એમ સ્પષ્ટ લખ્યું પણ છે. ૩૦ કેટલાક સાધુઓ તરફથી પણ જ્યારે દીક્ષા લેનારને અપાત્ર જણાવવામાં આવે ત્યારે
શ્રી ઉપમિતિભવમાં સૂચવ્યા મુજબ ગીતાર્થની સાથે દીક્ષા દેતાં એકમત થવું એ અયોગ્ય નથી. ગીતાર્થપણાના નિશ્ચયની સ્થિતિ તપાસવા કરતાં અન્યના વડીલોની સ્થિતિ આગળ કરવી એ અયોગ્ય કેમ ગણવી? ગોષ્ઠામાહિલની વખત અન્ય ગચ્છીયાથી
નિર્ણય કરવાનો અધિકાર સ્પષ્ટ છે. ઉપસંપદમાં અન્ય સ્થવિરોની સંમતિને સ્થાન છે. ૩૧ સારું ચોઘડીયું વિગેરે પણ શુભ મુહૂર્ત જ છે. જ્યાં મુનિ મહારાજ હોય તે ઉપાશ્રય
વિગેરે પણ જાહેર સ્થાનો જ છે. ૩૨ શ્રી મેઘકુમાર તથા ઋષભદત્ત જેવાને પણ ભગવાન મહાવીરે શિક્ષા માટે સ્થવિરોને
જ અર્પણ કર્યા છે. ૩૩ સોળ વર્ષ સુધી પુરુષને અવ્યક્ત માનવામાં જો શુદ્ધ રાજ્યનીતિ કારણ હોય તો પછી
તે નીતિમાં અઢાર વર્ષ પછી સ્ત્રી અને પુરુષ બન્ને જો વ્યક્ત ગણાય તો શા માટે તે
નીતિને ન અનુસરાય ? ૩૪ દીક્ષાનો રોધ કે બીજો કોઈ અવરોધ ન દેખે તો વ્યક્ત (૧૬, ૧૮ વર્ષની ઉંમરવાળા