SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૧ શ્રી સિદ્ધચક તા.૨૦-૬-૩૪ જીવાદિ તત્વોને બોલી દેવા માત્રથી સમ્યકત્વ નથી આવી જતું, પરન્તુ એ નવ તત્વને તત્વરૂપે જાણે ત્યારે જ સમકિત આવે છે. અહીં પણ આશ્રવને આશ્રવરૂપેજ જાણીને એને ત્યાજ્ય સમજીને એનો ત્યાગ કરવાની પ્રવૃત્તિ કરવી પડે છે. અને આ પ્રમાણે ત્યાગની પ્રવૃત્તિ આત્માને સંયમરૂપે માનીએ ત્યારે જ બની શકે છે. ભલા સમ્યકત્વ અને જ્ઞાનનું સાધ્ય શું ? શાસ્ત્રકાર મહારાજ કહે છે કે જ્ઞાની પત્ન વિરતિઃ એટલે એનું સાધ્ય વિરતિ છે, જ્યાં સુધી એ વિરતિના પરિણામ ન થયા હોય ત્યાં સુધી સાચું જ્ઞાન ન કહેવાય. સમ્યકત્વ પામ્યા પછી બેથી નવ પલ્યોપમે દેશવિરતિપણુંશ્રાવકપણું મળે છે. શ્રાવકપણું મળ્યા બાદ સંખ્યાતા સાગરોપમે ચારિત્ર-સર્વવિરતિ. તેથી સંખ્યાતા સાગરોપમે ઉપશમશ્રેણી અને તેથી સંખ્યાતા સાગરોપમે ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય છે. આ બધી ઉત્તરોત્તર પ્રાપ્તિનો અંતિમ હેતુ એ છે કે-છેવટે ચારિત્ર મોહનીયનો શ્રમ કરવો અને પછી આત્માના સ્વસ્વરૂપને પ્રાપ્ત કરવું એટલે કે વીતરાગપણું પ્રાપ્ત કરવું. આ વસ્તુ જ્યારે ખ્યાલમાં આવી જાય ત્યારે માણસ આત્માને જરૂર સંયમરૂપ માનવાનો. આત્માને ચારિત્રરૂપ માનીએ એટલે સંયમરૂપ માન્યો ગણાય એ ચારિત્રરૂપ-સંયમરૂપ આત્માની કેટલી કિંમત છે એ જાણવા માટે એટલું જ જાણવું બસ થશે કે સમ્યગુજ્ઞાન અને સમ્યગુદર્શન એ આત્માના બે મોટા ગુણ જરૂર છે પરંતુ એ બને મોટા ગુણો કેવળ એક જ સમ્યફચારિત્રની ઈચ્છા પછી આપોઆપ આવી જાય છે. એટલે સમ્યગુજ્ઞાન અને સમ્યગુદર્શન એ સમ્યગુચારિત્રની ઇચ્છારૂપ વૃક્ષના ફૂલ સમાન છે. વૃક્ષ હોય તો જ ફૂલ આવે. વૃક્ષ વગર ફૂલ કદી સાંભળ્યું છે? ત્યાં જેટલું વૃક્ષનું મહત્વ એટલું જ અહીં ચારિત્રની ઇચ્છાનું મહત્વ! જ્યાં સુધી ચારિત્ર પ્રાપ્તિની ઇચ્છારૂપ વૃક્ષ નથી ઉગતું ત્યાં સુધી સમ્યગદર્શન અને જ્ઞાન પણ રોકાઈ રહે છે. એટલે એ બન્નેનો મુખ્ય આધાર ચારિત્ર ઉપર જ છે મોહનીય કર્મ. મહાનુભાવો ! શાસ્ત્રકાર મહારાજ ફરમાવે છે કે ચારિત્રમોહનીયના ક્ષય થયા પછી બે ઘડીમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા વગર નથી રહેતી. ચારિત્રમોહનીયના ક્ષય વગર કોઇપણ જીવ કેવળજ્ઞાન-દર્શન મેળવી શકે જ નહિ. કેટલાક કાર્યો એવા હોય છે કે જે એક અવધારણવાળા હોય છે. એટલે કે એક વસ્તુ હોતા બીજી હોય જ છે, પરંતુ બીજી હોય ત્યારે પહેલી હોય જ એવો નિયમ નથી હોતો. જેમાં અગ્નિ અને ધૂમાડો. જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ જરૂર હોય જ પરન્તુ જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય એવો નિયમ નથી હોતો, પણ આ ચારિત્રની ઉપાદેયતા અને જ્ઞાનદર્શન માટે તો ઉભય અવધારણ જ છે. જ્યાં ચારિત્રની ઇચ્છા હોય ત્યાં
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy