SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૧ તા. ૨૦-૬-૩૪ શ્રી સિદ્ધચક્ર અપેક્ષાએ ઉભયાત્મક વસ્તુ હોવાથી વર્તમાનકાળે પર્યાયને અનુભવતી વસ્તુને એકલી પર્યાયરૂપ માની શકીએ જ નહિ પણ વર્તમાનપણાનો પર્યાય મુખ્ય ગણીએ તો પણ તે પર્યાયે પરિણમનારા દ્રવ્યનો અપલાપ તો થઈ શકે જ નહિ અને વર્તમાન પર્યાયના અનુભવની વખત પણ જ્યારે દ્રવ્યપણાનો અપલાપ ન થાય, તો તે દ્રવ્યપણાને જ્ઞશરીર નોઆગમ દ્રવ્યભેદ કે ભવ્ય શરીર નોઆગમ દ્રવ્યભેદના નામે કહી શકીએ જ નહિ એટલે પારિશેષ્યથી વર્તમાનપણે પર્યાયને અનુભવનારા દ્રવ્યના દ્રવ્યનિક્ષેપાને અંગે વ્યતિરિક્ત નોઆગમ ભેદ જ લેવો પડે. જૈનશાસનમાં એવી માન્યતાને તો સ્થાન જ નથી કે દ્રવ્ય વગરના એકલા પર્યાયો હોય કે જણાય કે મનાય. અર્થાતુ પર્યાયને અનુભવતી વખતે જરૂરપણે માનવી પડતી દ્રવ્ય અવસ્થાને વ્યતિરિકત ભેદમાં જ દાખલ કરવી પડશે. ઉપર પ્રમાણે નિક્ષેપાના ભિન્ન ભિન્નપણાને અંગે અને ઐક્યપણાને અંગે જે વિચાર કરવામાં આવ્યો છે તે મુખ્યતાએ દ્રવ્યશબ્દનો કારણ અર્થ લઈને જ કરવામાં આવ્યો છે પણ જેવી રીતે દ્રવ્યશબ્દથી કારણ અર્થ લેવામાં આવે છે તેવી જ રીતે દ્રવ્યશબ્દથી અપ્રધાન અર્થ પણ લેવામાં આવે છે અને તેથી જ અન્ય મતના પ્રવર્તકોને દ્રવ્યતીર્થકર અન્ય શિલ્પાદિકના આચાર્યોને દ્રવ્ય આચાર્ય અને આરંભ પરિગ્રહ નહિ છોડનારને દ્રવ્યસાધુ કહેવામાં આવે છે, એટલે જો દ્રવ્યશબ્દનો અર્થ અપ્રધાન છે એમ માનવામાં ન આવે તો તે દ્રવ્યતીર્થકર વિગેરે જ્ઞ કે ભવ્ય શરીર તરીકે કે આગમ દ્રવ્ય તરીકે ઓળખી શકાય નહિ. આ જ કારણથી જૈનશાસનની કહેલી ક્રિયામાં વર્તતા છતાં તાત્વિક દૃષ્ટિએ રહિત એવા અંગારમર્દક આચાર્યને શાસ્ત્રકારોએ દ્રવ્યઆચાર્ય માન્યા છે. વળી જિનેશ્વર ભગવાને કરેલી સર્વવિરતિ પાલનરૂપી આજ્ઞાના અભિલાષ સિવાય શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરનારને અપ્રધાન દ્રવ્ય પૂજા કરનાર કહ્યો તે પણ ભાવસ્તવરૂપી સંયમનું કારણ તે પૂજા ન બનવાથી અપ્રધાનપણારૂપી દ્રવ્યપણાની અપેક્ષા સિવાય અન્ય રીતે દ્રવ્યપૂજા કહી શકાય તેમ નથી. તેમજ સંયમ, તપ કે તેવી કોઈપણ ધાર્મિક ક્રિયા જે ઉદ્દેશથી આત્માને કરવાની છે અથવા તો શાસ્ત્રકારોએ કહી છે, તે ઉદ્દેશને ભૂલીને કે તેનાથી વિરૂદ્ધ ઉદ્દેશ રાખીને જે જે સંયમ, તપ કે ધર્મ કરવામાં આવે છે તે સંયમ, તપ કે ધર્મને દ્રવ્યસંયમ, દ્રવ્યતપ કે દ્રવ્યધર્મ કહેવામાં આવે છે તે પણ આ અપ્રધાનરૂપી અર્થની અપેક્ષાએ જ કહી શકાય, જેવી રીતે સર્વવિરતિ, દેશવિરતિ કે સમકિતિ જીવો મુખ્ય ઉદ્દેશને ભૂલીને કે અન્ય ઉદ્દેશને ધારીને ક્રિયા કરે તેને દ્રવ્યક્રિયા કહેવાય તેવી રીતે અભવ્ય અગર મિથ્યાષ્ટિ જીવો પણ શાસ્ત્રોકત ઉદ્દેશને ભૂલીને કે અન્ય ઉદ્દેશ રાખીને જે તપ, સંજમ કે ધર્મ કરે તેને પણ અપ્રધાન અર્થમાં જ દ્રવ્ય શબ્દ છે એમ ગણીને દ્રવ્યધર્મ ગણી શકીએ. જેવી રીતે અપ્રધાનપણાની અપેક્ષાએ શાસ્ત્રોક્ત ઉદ્દેશ વિના કે અન્ય ઉદ્દેશથી કરાતો ધર્મ તે અપ્રધાનપણાની અપેક્ષાએ દ્રવ્યધર્મ છે, તેવી જ રીતે વર્તમાનમાં અવિધિથી કરવામાં આવતો ધર્મ પણ શુદ્ધ ઉદ્દેશવાળો હોય તો પણ તે દ્રવ્યધર્મ કહી શકાય છે, કારણકે ધર્મના યથાસ્થિત ફળને આપનાર
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy