SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૩-૫-૩૪ ૩૦૩ શ્રી સિદ્ધચક્ર વગરના પૂજનને વાસ્તવિક પૂજન ન ગણવું એને તો “નિઘા રૂવ વિશ:” જેવું કે આત્મા વગરના શરીર જેવું નામધારી પૂજન ગણવું. જેમ અંગારમર્દક આચાર્ય એ નામ માત્રના દ્રવ્ય આચાર્ય જ હતા અને એ દ્રવ્ય આચાર્યપણું એમને ભાવઆચાર્યપણાને ઉત્પન્ન કરનારું ન હતું તેની માફક. ભવનિર્વેદઃ સર્વનું મૂળ શ્રીજિનેશ્વર ભગવાનનું પૂજન કર્યા બાદ આપણે માગીએ છીએ કે- ‘નવીયર નપુર રોડ - તુદ માવો મયવં ' હે પરમાત્માનું ! મને આપના પ્રભાવથી તમારી પોતાની શક્તિથી નહિ) થાઓ (મળો.) શું ? “અવનવ્હેમો' આ સંસાર ઉપર અભાવકંટાળો. ભલા કરીએ છીએ તો ત્રણ લોકના નાથ સમા પરમોપકારી, અનંત ચતુષ્ટય ધારક જિનેશ્વર મહારાજનું ભાવપૂર્વકનું પૂજન, અને એ પૂજાના અંતે (એ પૂજાના ફળ તરીકે) માગીએ છીએ “આ સંસાર ઉપર કંટાળો.” કેવું વિચિત્ર ! પણ એ સમગ્ર પૂજન અને ઉપાસનાનું રહસ્ય જ અહીં સમાયેલું છે. ભવનિર્વેદ (સંસાર ઉપર કંટાળો) મેળવીને જ એ પૂજ્ય પુરુષો મહાન થયા છે તો આપણે પણ જો મહાન થવું હોય તો એમણે ખેડેલ માર્ગે જ પ્રયાણ કરવું રહ્યું. તો એ ચીજ એ ભવનિર્વેદ કેટલી કીંમતી વસ્તુ હોવી જોઈએ એ હવે સહેલાઈથી સમજી શકાય એમ છે. એ ભવનિર્વેદની ભાવના વગરની અષ્ટ પ્રકારી, સત્તર પ્રકારી કે એકવીશ પ્રકારી એ બધી પૂજાઓ પેલા કહેણામામા જેવી જ છે. વળી આપણે માનેલું સાધ્ય સિદ્ધ થતું હોય તો તે માટેના સાધનો વેડફાઈ જાય કે એની ગમે તે સ્થિતિ થાય તો પણ ડરવાનું કંઈ કારણ નથી. અહીં પૂજન વિગેરેનું સાધ્ય છે ભવનિર્વેદ એ સાથે જો સર્વવિરતિ સાધુપણાનો અંગીકાર કરવામાં સિદ્ધ થતું હોય (અને વાસ્તવિક રીતે સિદ્ધ થાય જ છે) તો પછી સાધનરૂપે કરાતી દ્રવ્યપૂજા-ગુરુદર્શન-દાન વિગેરેનો નાશ થતો હોય તો પણ કંઈ હરકત જેવું નથી. લોકોત્તર (દ્રવ્ય) પૂજાઃ સર્વવિરતિનું એક સાધન. અહીં સવાલ એ થાય છે કે-જો દ્રવ્ય પૂજા કરવામાં લાભ થતો હોય તો સાધુ મહારાજ પોતે એ પૂજા કેમ નથી કરતા ? વળી જે પૂજા-દ્રવ્યપૂજા-કરવાથી પોતાને (સાધુ મહારાજને) લાભ નથી થતો તેનો બીજાને માટે ઉપદેશ કેમ આપ્યો ? શંકા ઠીક છે છતાં સાવ જલ્દી સમાધાન થઈ શકે એવી છે. માનો કે બે માણસો એક ઠેકાણે ભેગા થયા છે. બન્ને ભિન્ન ભિન્ન જાતિના છે. કોઈ કોઈનું ખાતાપીતા નથી. એક વહેલો આવ્યો તેણે પોતાની રસોઈ બનાવી લીધી હતી. બીજો હજી એમને એમ બેઠો હતો. ત્યાં એક ત્રીજો માણસ આવ્યો અને એને કંઈક કહેવાનું મન થયું. એણે જોયું કે પહેલાની રસોઈ બની હતી છતાં ચૂલો સળગતો
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy