________________
તા. ૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર
આગમોધ્ધારકની અોધ દેશના
ભગવતી સૂત્ર
Pacy
આયર
*$p3 Vadale
૩૧૯
આગમોધ્ધારક.
प्रतिष्ठां यन्निष्ठां नयति नयनिष्ठां विघटयत्यकृत्येष्वाधत्तेमतिम तपसि प्रेम तनुते । विवेकस्योत्सेकं विदलयति दत्ते च विपदं पदं तद्दोषाणां करणनिकुरंबं कुरु वशे ॥१॥
"
ઇષ્ટ વસ્તુના જૂઠા શબ્દો પ્રિય લાગે છે, તેમજ અનિષ્ટના જૂઠા શબ્દો અપ્રિય લાગે છે.
શાસ્ત્રકાર મહારાજ આચાર્ય સોમપ્રભસૂરીશ્વરજી ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપ્રદેશ દેતા થકા સૂચવી ગયા કે આ સંસારમાં દરેક વિવેકી જનને ધર્મ ઇષ્ટ છે, કારણ જગતમાં જે વસ્તુ ઇષ્ટ છે તેના જૂઠા શબ્દો પણ સારા લાગે. અનિષ્ટના જૂઠા શબ્દો પણ ખરાબ લાગે. ધન વિગેરે ઇષ્ટ છે. કોઈ આશીર્વાદ દે કે તું ચિરંજીવી, કુટુંબવાળો, ધનવાળો, આબરૂવાળો થા. આવી ઈષ્ટ વસ્તુનો આશીર્વાદ મળે તો સંતોષ થાય. કહેનારના કહેવાથી આ ધન, કુટુંબ, આબરૂ મળી જવાનું નથી, છતાં કોઇ આમ કહે ત્યારે આંખ લાલ થતી નથી. આ શબ્દો પર તત્વ નથી. અમર થા કહે તો એ શબ્દોમાં સત્યતા નથી. એના કહેવાથી ચિરંજીવી, અમર કોઇ થયા નથી, થવાના નથી. કોટિધ્વજ થા કહેવાથી કોટિધ્વજ કોઇ થઇ જતું નથી, છતાં આંખમાં અમી ભાસે છે; અર્થાત્ ઇષ્ટ વસ્તુના જૂઠા શબ્દો ઇષ્ટ લાગે છે, અનિષ્ટના જૂઠા શબ્દો સાંભળવા માત્રથી અનિષ્ટ લાગે છે. નખોદ જાય એમ ગાળ દે તે વખત આંખ લાલ કેમ થાય છે ? અનિષ્ટ વસ્તુના જૂઠા શબ્દો ઇતરાજી કરે છે. આ વાત લઇને ધર્મમાં આવીએ. ધર્મ આખા જગતના તમામ મનુષ્યોને ઇષ્ટ છે. ધર્મી હોય કે ન હોય પણ આપણને કોઈ ધર્મી કહે તો આનંદ થાય છે. ‘અપ્પવિશ્વો ધો' ધર્મ આત્માની સાક્ષીએ છે. બીજો ધર્મ જાણે કે ન જાણે તેની જરૂર હોતી નથી.